Uttar Pradesh : પતિએ ચાની ઈચ્છા વ્યક્ત કરી તો ગુસ્સામાં આવીને પત્નીએ તેની આંખમાં કાતર મારી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-28 12:19:37

આપણામાંથી અનેક લોકો એવા હશે જે ચાના શોખીન હશે. ઠંડીનું વાતાવરણ હોય અને ગરમ ચા મળી જાય તો ચાના રસીયાઓને જન્નત મળી ગઈ હોય તેવો અહેસાસ થાય. ઠંડીની સિઝનમાં ચા પીવાની અલગ જ મજા હોય છે. અને જો ચા બનેલી મળી જાય તો તો વાત જ ન પૂછો! આજે ચાની વાત એટલા કરવી છે કારણ કે ગરમ ચા પીવાની ઈચ્છા ઉત્તરપ્રદેશનમાં રહેતા એક વ્યક્તિને મોંઘી પડી છે. ચા પીવાની ઈચ્છા અંકિત નામના વ્યક્તિએ પોતાની પત્ની સામે વ્યક્ત કરી તો પત્નીએ તેની આંખમાં કાતર ઘૂસાડી દીધી.

News & Views :: ચા પીધા પછીની 10 મિનિટમાં શરીરમાં શું થાય છે?

પત્ની પતિ વચ્ચે અનેક વખત થતાં હતા ઝઘડા 

ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ પતિની આંખમાં કાતર વડે હુમલો કર્યો છે. વાત એમ હતી કે પતિને ગરમ ચા પીવાની ઈચ્છા થઈ, પત્નીને આ અંગેની વાત કરી, પત્ની રોષે ભરાઈ અને પતિ પર હુમલો કરી દીધો. મળતી માહિતી અનુસાર બરૌતના રહેવાસી અંકિત (28)ના લગ્ન ત્રણ વર્ષ પહેલા રામલા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂપ ગામની રહેવાસી યુવતી સાથે થયા હતા. લગ્ન પછીના થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ પછી બંને વચ્ચે બોલાચાલી અને મારપીટ થવાની શરૂ થઈ ગઈ. 

ભલે આપ હોવ ચાના ચરસી પણ ચા વિષે આ વાત તો નહીં જ જાણતા હોવ - Khabri Media

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી!

આ બધા વચ્ચે અંકિતે ચાની માગણી કરી તો પત્ની ગુસ્સે થઈ ગઈ. રૂમની અંદર ગઈ. થોડા સમય બાદ તે હાથમાં કાતર લઈને આવી અને અંકિતની આંખમાં ઘૂસેડી દીધી. જમીન પર લોહીલુહાણ હાલતમાં અંકિત પડી ગયો. અવાજ સાંભળી અંકિતના પરિવારના સભ્યો ત્યાં આવ્યા. આખી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસના ડરથી પત્ની ત્યાંથી ફરાર થઈ ગઈ. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. 






મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.