Uttar Pradesh : પતિએ ચાની ઈચ્છા વ્યક્ત કરી તો ગુસ્સામાં આવીને પત્નીએ તેની આંખમાં કાતર મારી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-28 12:19:37

આપણામાંથી અનેક લોકો એવા હશે જે ચાના શોખીન હશે. ઠંડીનું વાતાવરણ હોય અને ગરમ ચા મળી જાય તો ચાના રસીયાઓને જન્નત મળી ગઈ હોય તેવો અહેસાસ થાય. ઠંડીની સિઝનમાં ચા પીવાની અલગ જ મજા હોય છે. અને જો ચા બનેલી મળી જાય તો તો વાત જ ન પૂછો! આજે ચાની વાત એટલા કરવી છે કારણ કે ગરમ ચા પીવાની ઈચ્છા ઉત્તરપ્રદેશનમાં રહેતા એક વ્યક્તિને મોંઘી પડી છે. ચા પીવાની ઈચ્છા અંકિત નામના વ્યક્તિએ પોતાની પત્ની સામે વ્યક્ત કરી તો પત્નીએ તેની આંખમાં કાતર ઘૂસાડી દીધી.

News & Views :: ચા પીધા પછીની 10 મિનિટમાં શરીરમાં શું થાય છે?

પત્ની પતિ વચ્ચે અનેક વખત થતાં હતા ઝઘડા 

ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ પતિની આંખમાં કાતર વડે હુમલો કર્યો છે. વાત એમ હતી કે પતિને ગરમ ચા પીવાની ઈચ્છા થઈ, પત્નીને આ અંગેની વાત કરી, પત્ની રોષે ભરાઈ અને પતિ પર હુમલો કરી દીધો. મળતી માહિતી અનુસાર બરૌતના રહેવાસી અંકિત (28)ના લગ્ન ત્રણ વર્ષ પહેલા રામલા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂપ ગામની રહેવાસી યુવતી સાથે થયા હતા. લગ્ન પછીના થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ પછી બંને વચ્ચે બોલાચાલી અને મારપીટ થવાની શરૂ થઈ ગઈ. 

ભલે આપ હોવ ચાના ચરસી પણ ચા વિષે આ વાત તો નહીં જ જાણતા હોવ - Khabri Media

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી!

આ બધા વચ્ચે અંકિતે ચાની માગણી કરી તો પત્ની ગુસ્સે થઈ ગઈ. રૂમની અંદર ગઈ. થોડા સમય બાદ તે હાથમાં કાતર લઈને આવી અને અંકિતની આંખમાં ઘૂસેડી દીધી. જમીન પર લોહીલુહાણ હાલતમાં અંકિત પડી ગયો. અવાજ સાંભળી અંકિતના પરિવારના સભ્યો ત્યાં આવ્યા. આખી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસના ડરથી પત્ની ત્યાંથી ફરાર થઈ ગઈ. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. 






ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.