Uttar Pradesh : પતિએ ચાની ઈચ્છા વ્યક્ત કરી તો ગુસ્સામાં આવીને પત્નીએ તેની આંખમાં કાતર મારી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-28 12:19:37

આપણામાંથી અનેક લોકો એવા હશે જે ચાના શોખીન હશે. ઠંડીનું વાતાવરણ હોય અને ગરમ ચા મળી જાય તો ચાના રસીયાઓને જન્નત મળી ગઈ હોય તેવો અહેસાસ થાય. ઠંડીની સિઝનમાં ચા પીવાની અલગ જ મજા હોય છે. અને જો ચા બનેલી મળી જાય તો તો વાત જ ન પૂછો! આજે ચાની વાત એટલા કરવી છે કારણ કે ગરમ ચા પીવાની ઈચ્છા ઉત્તરપ્રદેશનમાં રહેતા એક વ્યક્તિને મોંઘી પડી છે. ચા પીવાની ઈચ્છા અંકિત નામના વ્યક્તિએ પોતાની પત્ની સામે વ્યક્ત કરી તો પત્નીએ તેની આંખમાં કાતર ઘૂસાડી દીધી.

News & Views :: ચા પીધા પછીની 10 મિનિટમાં શરીરમાં શું થાય છે?

પત્ની પતિ વચ્ચે અનેક વખત થતાં હતા ઝઘડા 

ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ પતિની આંખમાં કાતર વડે હુમલો કર્યો છે. વાત એમ હતી કે પતિને ગરમ ચા પીવાની ઈચ્છા થઈ, પત્નીને આ અંગેની વાત કરી, પત્ની રોષે ભરાઈ અને પતિ પર હુમલો કરી દીધો. મળતી માહિતી અનુસાર બરૌતના રહેવાસી અંકિત (28)ના લગ્ન ત્રણ વર્ષ પહેલા રામલા પોલીસ સ્ટેશન વિસ્તારના સૂપ ગામની રહેવાસી યુવતી સાથે થયા હતા. લગ્ન પછીના થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ પછી બંને વચ્ચે બોલાચાલી અને મારપીટ થવાની શરૂ થઈ ગઈ. 

ભલે આપ હોવ ચાના ચરસી પણ ચા વિષે આ વાત તો નહીં જ જાણતા હોવ - Khabri Media

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી!

આ બધા વચ્ચે અંકિતે ચાની માગણી કરી તો પત્ની ગુસ્સે થઈ ગઈ. રૂમની અંદર ગઈ. થોડા સમય બાદ તે હાથમાં કાતર લઈને આવી અને અંકિતની આંખમાં ઘૂસેડી દીધી. જમીન પર લોહીલુહાણ હાલતમાં અંકિત પડી ગયો. અવાજ સાંભળી અંકિતના પરિવારના સભ્યો ત્યાં આવ્યા. આખી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસના ડરથી પત્ની ત્યાંથી ફરાર થઈ ગઈ. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. 






એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.