ઉત્તરાખંડમાં એક વિધાન, એક કાનૂન! વિધાનસભામાં UCC બિલ રજૂ, લાગ્યા જય શ્રી રામના નારા


  • Published By :
  • Published Date : 2024-02-06 14:43:03

આજે ઉત્તરાખંડ વિધાનસભા સત્રના બીજા દિવસે સરકારે સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ભારતીય બંધારણની નકલ સાથે દેહરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા. સીએમ ધામીએ આજે ​​વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ 2024 બિલ રજૂ કર્યું હતું.

 

CM ધામીએ કર્યું ટ્વીટ


ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું  દેવભૂમિ ઉત્તરાખંડના નાગરિકોને એક સમાન અધિકાર આપવાના ઉદ્દેશ્યથી આજે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતાનું બિલ રજુ કરવામાં આવશે. આ આપણા તમામ લોકો માટે ગર્વની ક્ષણો છે કે આપણે યુસીસી લાગુ કરવાની દિશામાં આગળ વધનારા દેશના પહેલા રાજ્યના સ્વરૂપમાં ઓળખવામાં આવશે. 


2 ફ્રેબ્રુઆરીના રોજ સીએમને ડ્રાફ્ટ સોંપવામાં આવ્યો


ડ્રાફ્ટને તૈયાર કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ 10 મહિનાના કાર્યકાળમાં વિવિધ ધર્મો, સમુહો, સામાન્ય લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ચાર ભાગ અને 740 પાનાનો આ ડ્રાફ્ટ સમિતિએ 2 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ધામીને સોંપ્યો હતો.  


4 ફેબ્રુઆરીએ લાગી હતી કેબિનેટની મોહર


4 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં ડ્રાફ્ટ અને તેના સંબંધમાં બિલ પર મંજુરીની મહોર લાગી હતી. આ દરમિયાન વિધાનસભા સત્રમાં સોમવારે વિધાનસભા ગૃહની કાર્યવાહી મોકુફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ કાર્યકારી સમિતિની બેઠકમાં મંગળવારના એજન્ડા પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 


વિપક્ષના નેતાએ કરી રાજીનામાની જાહેરાત


સમિતિમાં બહુમતીથી મંગળવારે પ્રશ્નકાળ અને શુન્યકાળ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતા યશપાલ આર્યએ આરોપ લગાવ્યો કે સરકાર ગૃહની પરંપરાઓ સાથે રમત રમી રહ્યા છે. વિપક્ષના નેતા યશપાલ આર્ય તથા પ્રિતમ સિંહએ બહુમતીથી પ્રશ્નકાળ અને શુન્યકાળ ન હોવાનો વિષય પસાર થવા પર કાર્યકારી સમિતિથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 


 બિલ આસાનીથી પસાર થઈ જશે


સ્વતંત્ર ભારતમાં ઉત્તરાખંડ વિધાનસભા આ પ્રકારનું બિલ રજુ કરનારી પહેલી એસેમ્બલી બની છે. સત્તારૂઢ ભાજપ પાસે આ બિલને પાસ કરાવવા માટે પુરતી બહુમતી છે. પ્રદેશમાં કોંગ્રેસ પાસે 47 અને કોંગ્રેસ પાસે 19 સીટો છે. આ બિલ પાસ કરાવવામાં ધામી સરકારને બહું મુશ્કેલી નહીં થાય. બિલ રજૂ થતાં જ ઉત્તરાખંડ વિધાનસભા ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો હતો.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.