ઉત્તરાખંડમાં એક વિધાન, એક કાનૂન! વિધાનસભામાં UCC બિલ રજૂ, લાગ્યા જય શ્રી રામના નારા


  • Published By :
  • Published Date : 2024-02-06 14:43:03

આજે ઉત્તરાખંડ વિધાનસભા સત્રના બીજા દિવસે સરકારે સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ભારતીય બંધારણની નકલ સાથે દેહરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા. સીએમ ધામીએ આજે ​​વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ 2024 બિલ રજૂ કર્યું હતું.

 

CM ધામીએ કર્યું ટ્વીટ


ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું  દેવભૂમિ ઉત્તરાખંડના નાગરિકોને એક સમાન અધિકાર આપવાના ઉદ્દેશ્યથી આજે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતાનું બિલ રજુ કરવામાં આવશે. આ આપણા તમામ લોકો માટે ગર્વની ક્ષણો છે કે આપણે યુસીસી લાગુ કરવાની દિશામાં આગળ વધનારા દેશના પહેલા રાજ્યના સ્વરૂપમાં ઓળખવામાં આવશે. 


2 ફ્રેબ્રુઆરીના રોજ સીએમને ડ્રાફ્ટ સોંપવામાં આવ્યો


ડ્રાફ્ટને તૈયાર કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ 10 મહિનાના કાર્યકાળમાં વિવિધ ધર્મો, સમુહો, સામાન્ય લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ચાર ભાગ અને 740 પાનાનો આ ડ્રાફ્ટ સમિતિએ 2 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ધામીને સોંપ્યો હતો.  


4 ફેબ્રુઆરીએ લાગી હતી કેબિનેટની મોહર


4 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં ડ્રાફ્ટ અને તેના સંબંધમાં બિલ પર મંજુરીની મહોર લાગી હતી. આ દરમિયાન વિધાનસભા સત્રમાં સોમવારે વિધાનસભા ગૃહની કાર્યવાહી મોકુફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ કાર્યકારી સમિતિની બેઠકમાં મંગળવારના એજન્ડા પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 


વિપક્ષના નેતાએ કરી રાજીનામાની જાહેરાત


સમિતિમાં બહુમતીથી મંગળવારે પ્રશ્નકાળ અને શુન્યકાળ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતા યશપાલ આર્યએ આરોપ લગાવ્યો કે સરકાર ગૃહની પરંપરાઓ સાથે રમત રમી રહ્યા છે. વિપક્ષના નેતા યશપાલ આર્ય તથા પ્રિતમ સિંહએ બહુમતીથી પ્રશ્નકાળ અને શુન્યકાળ ન હોવાનો વિષય પસાર થવા પર કાર્યકારી સમિતિથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 


 બિલ આસાનીથી પસાર થઈ જશે


સ્વતંત્ર ભારતમાં ઉત્તરાખંડ વિધાનસભા આ પ્રકારનું બિલ રજુ કરનારી પહેલી એસેમ્બલી બની છે. સત્તારૂઢ ભાજપ પાસે આ બિલને પાસ કરાવવા માટે પુરતી બહુમતી છે. પ્રદેશમાં કોંગ્રેસ પાસે 47 અને કોંગ્રેસ પાસે 19 સીટો છે. આ બિલ પાસ કરાવવામાં ધામી સરકારને બહું મુશ્કેલી નહીં થાય. બિલ રજૂ થતાં જ ઉત્તરાખંડ વિધાનસભા ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો હતો.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.