ઉત્તરાખંડમાં એક વિધાન, એક કાનૂન! વિધાનસભામાં UCC બિલ રજૂ, લાગ્યા જય શ્રી રામના નારા


  • Published By :
  • Published Date : 2024-02-06 14:43:03

આજે ઉત્તરાખંડ વિધાનસભા સત્રના બીજા દિવસે સરકારે સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ભારતીય બંધારણની નકલ સાથે દેહરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા. સીએમ ધામીએ આજે ​​વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ 2024 બિલ રજૂ કર્યું હતું.

 

CM ધામીએ કર્યું ટ્વીટ


ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર્યું  દેવભૂમિ ઉત્તરાખંડના નાગરિકોને એક સમાન અધિકાર આપવાના ઉદ્દેશ્યથી આજે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતાનું બિલ રજુ કરવામાં આવશે. આ આપણા તમામ લોકો માટે ગર્વની ક્ષણો છે કે આપણે યુસીસી લાગુ કરવાની દિશામાં આગળ વધનારા દેશના પહેલા રાજ્યના સ્વરૂપમાં ઓળખવામાં આવશે. 


2 ફ્રેબ્રુઆરીના રોજ સીએમને ડ્રાફ્ટ સોંપવામાં આવ્યો


ડ્રાફ્ટને તૈયાર કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ 10 મહિનાના કાર્યકાળમાં વિવિધ ધર્મો, સમુહો, સામાન્ય લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ચાર ભાગ અને 740 પાનાનો આ ડ્રાફ્ટ સમિતિએ 2 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી ધામીને સોંપ્યો હતો.  


4 ફેબ્રુઆરીએ લાગી હતી કેબિનેટની મોહર


4 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં ડ્રાફ્ટ અને તેના સંબંધમાં બિલ પર મંજુરીની મહોર લાગી હતી. આ દરમિયાન વિધાનસભા સત્રમાં સોમવારે વિધાનસભા ગૃહની કાર્યવાહી મોકુફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ કાર્યકારી સમિતિની બેઠકમાં મંગળવારના એજન્ડા પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 


વિપક્ષના નેતાએ કરી રાજીનામાની જાહેરાત


સમિતિમાં બહુમતીથી મંગળવારે પ્રશ્નકાળ અને શુન્યકાળ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતા યશપાલ આર્યએ આરોપ લગાવ્યો કે સરકાર ગૃહની પરંપરાઓ સાથે રમત રમી રહ્યા છે. વિપક્ષના નેતા યશપાલ આર્ય તથા પ્રિતમ સિંહએ બહુમતીથી પ્રશ્નકાળ અને શુન્યકાળ ન હોવાનો વિષય પસાર થવા પર કાર્યકારી સમિતિથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 


 બિલ આસાનીથી પસાર થઈ જશે


સ્વતંત્ર ભારતમાં ઉત્તરાખંડ વિધાનસભા આ પ્રકારનું બિલ રજુ કરનારી પહેલી એસેમ્બલી બની છે. સત્તારૂઢ ભાજપ પાસે આ બિલને પાસ કરાવવા માટે પુરતી બહુમતી છે. પ્રદેશમાં કોંગ્રેસ પાસે 47 અને કોંગ્રેસ પાસે 19 સીટો છે. આ બિલ પાસ કરાવવામાં ધામી સરકારને બહું મુશ્કેલી નહીં થાય. બિલ રજૂ થતાં જ ઉત્તરાખંડ વિધાનસભા ભારત માતા કી જય અને જય શ્રી રામના નારાથી માહોલ ગુંજી ઉઠ્યો હતો.  



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..