Uttarakhand Tunnel Collapse : અનેક દિવસો બાદ ટનલની અંદર ફસાયેલા શ્રમિકોને મળ્યું ભોજન, જાણો ભોજનમાં શું મોકલાયું?


  • Published By :
  • Published Date : 2023-11-22 11:40:33

10 દિવસ પહેલા ઉત્તરકાશીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ટનલમાં ભૂસ્ખલન થતા 41 શ્રમિકો ટનલમાં ફસાયા છે. દિવાળી પહેલા બનેલી આ ઘટનામાં રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. ટનલ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સળંગ આટલા દિવસોથી ચાલુ રહ્યું છે પરંતુ હજી સુધી શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા નથી મળી. ગઈકાલે ટનલમાં ફસાયેલા શ્રમિકોની પરિસ્થિતિ જાણવા માટે સીસીટીવી સુરંગની અંદર મોકલવામાં આવ્યા હતા. પાઈપલાઈનની મદદથી શ્રમિકો સુધી ઓક્સીજન તેમજ પાણી મોકલવામાં આવતું હતું ત્યારે ગઈકાલે શ્રમિકોને ભોજન મોકલવામાં આવ્યું હતું.

ગઈકાલે સામે આવ્યો હતો ટનલની અંદરનો વીડિયો 

12 નવેમ્બરે ઉત્તરકાશીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. 41 શ્રમિકો ટનલની અંદર ફસાયા છે. શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઠવાની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે. અલગ અલગ પ્લાન બનાવી શ્રમિકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અત્યાધુનિક ટેક્નોલોજીન સહારો આ રાહત કામગીરી માટે લેવાઈ રહ્યો છે. ટનલની અંદર ફસાયેલા શ્રમિકોની પરિસ્થિતિ શું છે તે જાણવા માટે કેમેરો મોકલવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ટનલની અંદર ફસાયેલા શ્રમિકો સુરક્ષિત છે. શ્રમિકો સુરક્ષિત છે તે જાણીને શ્રમિકોના પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો.


શ્રમિકોને મોકલવામાં આવ્યું ભોજન 

ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા માટે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચલાવાઈ રહ્યું છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવી જાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે ઓપરેશન પૂર્ણ થવામાં હજી અનેક કલાકો લાગી શકે છે. ટનલમાં 8 રાજ્યોના 41 શ્રમિકો ફસાયા છે. બચાવ કામગીરી દરમિયાન પાઈપલાઈનથી ઓક્સીજન અને પાણી મોકલવામાં આવતું હતું ત્યારે હવે શ્રમિકોને જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. શ્રમિકોને જમવામાં પુલાવ તેમજ મટર-પનીર મોકલવામાં આવ્યું હતું તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત ફળો પણ શ્રમિકોને મોકલવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.

શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવે તે માટે થઈ રહી છે પ્રાર્થના 

આ ટનલની નીચે જે શ્રમિકો ફસાયા છે તે અલગ અલગ રાજ્યોના છે. ઉત્તરાખંડના 2, હિમાચલ પ્રદેશના 1, યુપીના 8, બિહારના 5, પશ્ચિમ બંગાળના 3, આસામના 2, ઝારખંડના 15 અને ઓડિશાના 5 મજૂરો ફસાયા છે. શ્રમિકોનો આબાદ બચાવ થાય તે માટે અલગ અલગ જગ્યાઓ પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આની પહેલા શ્રમિકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જલ્દીથી આ શ્રમિકોનું રેસ્ક્યુ થાય તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે.  



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.