Uttarakhand Tunnel Collapse : અનેક દિવસો બાદ ટનલની અંદર ફસાયેલા શ્રમિકોને મળ્યું ભોજન, જાણો ભોજનમાં શું મોકલાયું?


  • Published By :
  • Published Date : 2023-11-22 11:40:33

10 દિવસ પહેલા ઉત્તરકાશીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ટનલમાં ભૂસ્ખલન થતા 41 શ્રમિકો ટનલમાં ફસાયા છે. દિવાળી પહેલા બનેલી આ ઘટનામાં રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. ટનલ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સળંગ આટલા દિવસોથી ચાલુ રહ્યું છે પરંતુ હજી સુધી શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા નથી મળી. ગઈકાલે ટનલમાં ફસાયેલા શ્રમિકોની પરિસ્થિતિ જાણવા માટે સીસીટીવી સુરંગની અંદર મોકલવામાં આવ્યા હતા. પાઈપલાઈનની મદદથી શ્રમિકો સુધી ઓક્સીજન તેમજ પાણી મોકલવામાં આવતું હતું ત્યારે ગઈકાલે શ્રમિકોને ભોજન મોકલવામાં આવ્યું હતું.

ગઈકાલે સામે આવ્યો હતો ટનલની અંદરનો વીડિયો 

12 નવેમ્બરે ઉત્તરકાશીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. 41 શ્રમિકો ટનલની અંદર ફસાયા છે. શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઠવાની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે. અલગ અલગ પ્લાન બનાવી શ્રમિકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અત્યાધુનિક ટેક્નોલોજીન સહારો આ રાહત કામગીરી માટે લેવાઈ રહ્યો છે. ટનલની અંદર ફસાયેલા શ્રમિકોની પરિસ્થિતિ શું છે તે જાણવા માટે કેમેરો મોકલવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ટનલની અંદર ફસાયેલા શ્રમિકો સુરક્ષિત છે. શ્રમિકો સુરક્ષિત છે તે જાણીને શ્રમિકોના પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો.


શ્રમિકોને મોકલવામાં આવ્યું ભોજન 

ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા માટે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચલાવાઈ રહ્યું છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવી જાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે ઓપરેશન પૂર્ણ થવામાં હજી અનેક કલાકો લાગી શકે છે. ટનલમાં 8 રાજ્યોના 41 શ્રમિકો ફસાયા છે. બચાવ કામગીરી દરમિયાન પાઈપલાઈનથી ઓક્સીજન અને પાણી મોકલવામાં આવતું હતું ત્યારે હવે શ્રમિકોને જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. શ્રમિકોને જમવામાં પુલાવ તેમજ મટર-પનીર મોકલવામાં આવ્યું હતું તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત ફળો પણ શ્રમિકોને મોકલવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.

શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવે તે માટે થઈ રહી છે પ્રાર્થના 

આ ટનલની નીચે જે શ્રમિકો ફસાયા છે તે અલગ અલગ રાજ્યોના છે. ઉત્તરાખંડના 2, હિમાચલ પ્રદેશના 1, યુપીના 8, બિહારના 5, પશ્ચિમ બંગાળના 3, આસામના 2, ઝારખંડના 15 અને ઓડિશાના 5 મજૂરો ફસાયા છે. શ્રમિકોનો આબાદ બચાવ થાય તે માટે અલગ અલગ જગ્યાઓ પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આની પહેલા શ્રમિકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જલ્દીથી આ શ્રમિકોનું રેસ્ક્યુ થાય તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે.  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .