Uttarakhand Tunnel Collapse : 40 શ્રમિકોના જીવ બચાવવા કરાઈ રહ્યા છે પ્રયાસો, શ્રમિકોનો પરિવાર સ્થળ પર હાજર...!


  • Published By :
  • Published Date : 2023-11-18 12:18:42

છેલ્લા 7 દિવસોથી લોકોની નજર ઉત્તરાખંડમાં બનેલી એક દુર્ઘટના પર ટકેલી છે. 144 કલાક જેટલો સમય વીતિ ગયો છે અને 40 મજૂરોને ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાથી કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. 40 મજૂરોના જીવ બચ્ચાવવા સતત પ્રયાસ થઈ રહ્યા છે. શ્રમિકોને કાઢવા માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. યુધ્ધના ધોરણે બચાવ કામગીરી કરાઈ રહી છે. શ્રમિકોના જીવ બચી જાય તે માટે હવે અમેરિકાથી મશીનનો સહારો લેવામાં આવી રહ્યો છે. ટનલમાં ફસાયેલા શ્રમિકોને પાઈપલાઈનની મદથી ઓક્સિજન તેમજ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ શ્રમિકોનું રેસ્ક્યુ જલ્દી થાય તે માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે.       

40 શ્રમિકોના જીવ પર હજી પણ છે સંકટ 

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવાનું ઓપરેશન છેલ્લા અનેક દિવસોથી ચાલી રહ્યું છે. વોકી-ટોકીની મદદથી શ્રમિકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ટનલમાં ડ્રિલિંગનું કામ તાત્કાલિક ધોરણે ચાલી રહ્યું હતું પરંતુ વચ્ચે ડ્રિલીંગ મશીન બગડી ગયું હતું જેને કારણે રેસ્ક્યુ ઓપરેશનને રોકવું પડ્યું હતું. બગડેલા ડ્રિલીંગ મશીને બદલી બીજા ડ્રિલીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી પણ સામે આવી હતી જેમાં અમેરિકી મશીનનો ઉપયોગ શ્રમિકોને બચાવવા માટે કરાઈ રહ્યો છે.અત્યાર સુધીમાં ડ્રિલિંગની મદદથી 25 મીટરથી વધુ પાઇપ નાખવામાં આવી છે. 


પીએમ મોદીએ કરી સ્થિતિની સમીક્ષા 

એક તરફ ટનલની અંદર પાઈપ નાખવાનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ બચાવની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે SDRF, NDRF, ફાયર સર્વિસ, મેડિકલ સર્વિસ અને પોલીસે મળીને મોકડ્રીલ હાથ ધરી હતી. સાથે જ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો સહિત દરેક કામ કરી રહ્યા છે. પાઈપ લગભગ 25 મીટરમાં નાખવામાં આવી છે. કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. પીએમ મોદી પણ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.


શ્રમિકોને બચાવવા કરાઈ રહી છે વિશેષ પૂજા!   

સતત આટલા દિવસ થી સુરંગમાં ફસાયેલા 40 મજૂરોમાંથી તેમના ઘણા સંબંધીઓ સ્થળ પર છે. વહીવટીતંત્રની ટીમો અને પરિવારના સભ્યો કામદારો સાથે સતત વાતચીત કરી રહ્યા છે. ત્યાં એક મજૂરે અંદરથી પોતાના કાકા સાથે વાતો પણ કરી પરંતુ 7 દિવસથી આ લોકો એવી જગ્યાએ ફસાયા છે જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કીલ હોય છે. ત્યારે એ બધા 40 શ્રમિકોની સુરક્ષા માટે પ્રાર્થના અને પૂજા પણ શરૂ થઈ ગઈ છે. 40 મજૂરો છેલ્લા 7 દિવસથી ફસાયેલા છે. કાશી વિશ્વનાથ મંદિરમાં ઘણી ધાર્મિક સંસ્થાઓ યજ્ઞ અને પૂજા કરી રહી છે. સુરંગમાં ફસાયેલા 40 મજૂરોને વહેલી અને સુરક્ષિત બહાર આવવા માટે માતા ગંગા અને બાબા ભોલેનાથની પ્રાર્થના કરવામાં આવી રહી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે