Uttarakhand Tunnel Collapsed : ફસાયેલા લોકોનું ચાલી રહ્યું છે રેસ્ક્યુ, બગડ્યું ડ્રિલીંગ મશીન ખોરવાઈ કામગીરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-15 09:38:35

દિવાળી પહેલા ઉત્તરાખંડમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઉત્તરકાશીમાં નેશનલ હાઈવે પર બનાવવામાં આવેલી ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો.  40 શ્રમિકોના જીવ આ કાટમાળ નીચે દબાયેલા છે. શનિવાર મોડી રાત્રે આ દુર્ઘટના સર્જાઈ હતી, શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન પર શરૂ કરવામાં આવ્યું પરંતુ 70 કલાકથી વધારેનો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી 40 જેટલી જીંદગીઓ પર મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. બચાવ કામગીરી દરમિયાન ડ્રિલિંગ મશીન તૂટી ગયું હતું જેની સીધી અસર રેસ્ક્યુની કામગીરી પર પડી હતી. ઉલ્લેખનિય છે કે ક્ષતિગ્રસ્ત મશીનને દૂર કરીને નવું ડ્રિલિંગ મશીનને કામ પર લગાવવામાં આવ્યું છે અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે.


ડ્રીલ મશીન બગડતા ખોરવાઈ રેસ્ક્યુની કામગીરી

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવાર મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન ટનલનો ભાગ તૂટી પડતા તેની નીચે 40 જેટલા શ્રમિકો ફસાઈ ગયા હતા. એવું માનવામાં આવતું હતું કે થોડા કલાકોની અંદર આ શ્રમિકોને બહાર કાઢવામાં આવશે, રેસ્ક્યુની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે પરંતુ 70 કલાકથી વધારેનો સમય વિતી ગયો છે પરંતુ શ્રમિકોના જીવ પર જોખમ હજી પણ એટલું જ છે. રેસ્ક્યુની કામગીરી કરવા માટે જે ડ્રીલ મશીનની મદદ લેવામાં આવી રહી હતી તે બગડી ગયું જેને કારણે રેસ્ક્યુની કામગીરી પર અસર થઈ. ખરાબ મશીનને હટાવીને ફરીથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને એવી પણ માહિતી સામે આવી છે જે પ્રમાણે આજ સાંજ સુધીમાં આ બચાવ કાર્ય પૂર્ણ થઈ શકે છે.   



40 શ્રમિકોના જીવ જોખમમાં મૂકાયા!

નિર્માણ પામી રહેલી ઈમારતો, બિલ્ડીંગો, બ્રિજો સાથે અનેક વખત દુર્ઘટના સર્જાય છે અને નુકસાન થાય છે. ત્યારે એક દુર્ઘટના શનિવાર મોડી રાત્રે ઉત્તરાખંડમાં બની હતી. નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતા તે કાટમાળની નીચે 40 જેટલા શ્રમિકો ફસાયા હતા. રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ ગઈ હતી પરંતુ અનેક કલાકો વિત્યા પછી પણ તે શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી ન હતી. 70 કલાકથી વધારેનો સમય વિતી ગયો છે પરંતુ શ્રમિકો હજી કાટમાળની નીચે ફસાયેલા છે.



રાજ્યના મુખ્યમંત્રીએ લીધી હતી સ્થળ મુલાકાત  

 શ્રમિકો સુધી ઓક્સિજન પાઈપલાઈનની મદદથી પહોંચાડવામાં આવી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી હતી કે આ ટલનમાં જે શ્રમિકો ફસાયા છે તેમાં બિહારના 4, ઉત્તરાખંડના 2, બંગાળના 3, યુપીના 8, ઓરિસ્સાના 5, ઝારખંડના 15, આસામના 2 અને હિમાચલ પ્રદેશના એક કર્મચારીનો સમાવેશ થાય છે. પાણી પણ શ્રમિકોને પાઈપલાઈનની મદદથી પહોંચાડવામાં આવ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સ્થળની મુલાકાત લીધી હતી ઉપરાંત પીએમ મોદીએ પણ આ ઘટનાની જાણકારી મેળવી હતી તેવી માહિતી સીએમએ આપી છે. એવી માહિતી સામે આવી છે કે જો બધુ અનુકુળ રહ્યું તો આજ સાંજ કે રાત સુધીમાં શ્રમિકોનું રેસ્ક્યુ થઈ શકે છે.   



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .