Uttarakhand Tunnel : 41 શ્રમિકોને બહારમાં કાઢવા માટે બનાવાયા અલગ અલગ પ્લાન પરંતુ બધા નિષ્ફળ! જાણો હવે કઈ પદ્ધતિનો કરાશે ઉપયોગ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-27 14:16:36

ઉત્તરાખંડમાં દિવાળી પહેલા એક ઘટના બની હતી. નિર્માણાધીન ટનલ પડી જવાને કારણે 41 શ્રમિકોના જીવ જોખમમાં છે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવને બચાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. અનેક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તે બધી નિષ્ફળ સાબિત થઈ છે. શ્રમિકોને બહાર કાઢવવા માટે ડ્રિલિંગ મશીનનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે. પરંતુ ડ્રિલીંગ મશીન અનેક વખત બંધ પડી રહ્યું છે જેને કારણે રેસ્ક્યુની કામગીરી ખોરવાઈ છે. ટનલ આગળ ડ્રિલીંગ મશીન ખરાબ થઈ રહી છે! કોઈ મશીન નથી ટકી શક્યું જેને કારણે હવે મેન્યુઅલ ડ્રિલીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. એક સાથે બે-ત્રણ વિકલ્પો પર કામ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર વર્ટિકલ ડ્રીલિંગની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.   

 



અલગ અલગ નેતાઓ છે ત્યાં હાજર 

ઉત્તરાખંડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. 41 શ્રમિકો ટનલની નીચે ફસાઈ ગયા છે. સલામત રીતે શ્રમિકોને બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 15 દિવસથી 41 શ્રમિકોને બચાવવા માટે અલગ અલગ ઉપાયો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિવિધ ડ્રિલીંગ મશીનોને કામ પર લગાવવામાં આવી છે. અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તે બધા ઉપાયોમાં નિષ્ફળતા મળી રહી છે. હજી સુધી શ્રમિકો સુધી નથી પહોંચી શકાયું. મળતી માહિતી અનુસાર પીએમ મોદી પણ સતત આ મામલે અપડેટ થઈ રહ્યા છે. પી.કે.સચિવ, અજય કુમાર ભલ્લા સહિતના પદાધિકારીઓ ત્યાં હાજર છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવી જાય તે માટે કેન્દ્રીય મંત્રી વી.કેસિંહે ટનલ પાસે બનેલા નાના મંદિરમાં પ્રાર્થના કરી હતી. 


41 શ્રમિકોને બહાર કાઢવા માટે કરાઈ રહી છે કામગીરી

મહત્વનું છે કે ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે 14 નવેમ્બરથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. વિદેશથી મશીન પણ રેસ્ક્યુ માટે મંગાવવામાં આવ્યું પરંતુ તે પણ ઉપયોગી સાબિત નથી થયું. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, ટનલમાં ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે કુલ 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવશે. અને આ કામગીરી પૂર્ણ કરવામાં ચારથી પાંચ દિવસનો સમય લાગશે. મહત્વનું છે કે અનેક દિવસો વીતિ ગયા પરંતુ હજી સુધી શ્રમિકો બહાર નથી આવ્યા. ક્યારે આવશે તેની જાણ નથી કારણ કે અનેક વખત આ રેસ્ક્યુની કામગીરીને અટકાવી પડી છે જેને કારણે રેસ્ક્યુની કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે. ત્યારે આ ટનલમાં ફસાયેલા શ્રમિકો જલ્દી સુરક્ષિત બહાર નીકળે તેવી આશા.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.