Uttarakhand Tunnel : 41 શ્રમિકોને બહારમાં કાઢવા માટે બનાવાયા અલગ અલગ પ્લાન પરંતુ બધા નિષ્ફળ! જાણો હવે કઈ પદ્ધતિનો કરાશે ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-11-27 14:16:36

ઉત્તરાખંડમાં દિવાળી પહેલા એક ઘટના બની હતી. નિર્માણાધીન ટનલ પડી જવાને કારણે 41 શ્રમિકોના જીવ જોખમમાં છે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવને બચાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. અનેક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તે બધી નિષ્ફળ સાબિત થઈ છે. શ્રમિકોને બહાર કાઢવવા માટે ડ્રિલિંગ મશીનનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે. પરંતુ ડ્રિલીંગ મશીન અનેક વખત બંધ પડી રહ્યું છે જેને કારણે રેસ્ક્યુની કામગીરી ખોરવાઈ છે. ટનલ આગળ ડ્રિલીંગ મશીન ખરાબ થઈ રહી છે! કોઈ મશીન નથી ટકી શક્યું જેને કારણે હવે મેન્યુઅલ ડ્રિલીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. એક સાથે બે-ત્રણ વિકલ્પો પર કામ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર વર્ટિકલ ડ્રીલિંગની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.   

 



અલગ અલગ નેતાઓ છે ત્યાં હાજર 

ઉત્તરાખંડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. 41 શ્રમિકો ટનલની નીચે ફસાઈ ગયા છે. સલામત રીતે શ્રમિકોને બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 15 દિવસથી 41 શ્રમિકોને બચાવવા માટે અલગ અલગ ઉપાયો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિવિધ ડ્રિલીંગ મશીનોને કામ પર લગાવવામાં આવી છે. અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તે બધા ઉપાયોમાં નિષ્ફળતા મળી રહી છે. હજી સુધી શ્રમિકો સુધી નથી પહોંચી શકાયું. મળતી માહિતી અનુસાર પીએમ મોદી પણ સતત આ મામલે અપડેટ થઈ રહ્યા છે. પી.કે.સચિવ, અજય કુમાર ભલ્લા સહિતના પદાધિકારીઓ ત્યાં હાજર છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવી જાય તે માટે કેન્દ્રીય મંત્રી વી.કેસિંહે ટનલ પાસે બનેલા નાના મંદિરમાં પ્રાર્થના કરી હતી. 


41 શ્રમિકોને બહાર કાઢવા માટે કરાઈ રહી છે કામગીરી

મહત્વનું છે કે ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે 14 નવેમ્બરથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. વિદેશથી મશીન પણ રેસ્ક્યુ માટે મંગાવવામાં આવ્યું પરંતુ તે પણ ઉપયોગી સાબિત નથી થયું. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, ટનલમાં ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે કુલ 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવશે. અને આ કામગીરી પૂર્ણ કરવામાં ચારથી પાંચ દિવસનો સમય લાગશે. મહત્વનું છે કે અનેક દિવસો વીતિ ગયા પરંતુ હજી સુધી શ્રમિકો બહાર નથી આવ્યા. ક્યારે આવશે તેની જાણ નથી કારણ કે અનેક વખત આ રેસ્ક્યુની કામગીરીને અટકાવી પડી છે જેને કારણે રેસ્ક્યુની કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે. ત્યારે આ ટનલમાં ફસાયેલા શ્રમિકો જલ્દી સુરક્ષિત બહાર નીકળે તેવી આશા.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.