Uttarakhand Tunnel : 41 શ્રમિકોને બહારમાં કાઢવા માટે બનાવાયા અલગ અલગ પ્લાન પરંતુ બધા નિષ્ફળ! જાણો હવે કઈ પદ્ધતિનો કરાશે ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-11-27 14:16:36

ઉત્તરાખંડમાં દિવાળી પહેલા એક ઘટના બની હતી. નિર્માણાધીન ટનલ પડી જવાને કારણે 41 શ્રમિકોના જીવ જોખમમાં છે. સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવને બચાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. અનેક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તે બધી નિષ્ફળ સાબિત થઈ છે. શ્રમિકોને બહાર કાઢવવા માટે ડ્રિલિંગ મશીનનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે. પરંતુ ડ્રિલીંગ મશીન અનેક વખત બંધ પડી રહ્યું છે જેને કારણે રેસ્ક્યુની કામગીરી ખોરવાઈ છે. ટનલ આગળ ડ્રિલીંગ મશીન ખરાબ થઈ રહી છે! કોઈ મશીન નથી ટકી શક્યું જેને કારણે હવે મેન્યુઅલ ડ્રિલીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. એક સાથે બે-ત્રણ વિકલ્પો પર કામ થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર વર્ટિકલ ડ્રીલિંગની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.   

 



અલગ અલગ નેતાઓ છે ત્યાં હાજર 

ઉત્તરાખંડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. 41 શ્રમિકો ટનલની નીચે ફસાઈ ગયા છે. સલામત રીતે શ્રમિકોને બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 15 દિવસથી 41 શ્રમિકોને બચાવવા માટે અલગ અલગ ઉપાયો પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિવિધ ડ્રિલીંગ મશીનોને કામ પર લગાવવામાં આવી છે. અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ તે બધા ઉપાયોમાં નિષ્ફળતા મળી રહી છે. હજી સુધી શ્રમિકો સુધી નથી પહોંચી શકાયું. મળતી માહિતી અનુસાર પીએમ મોદી પણ સતત આ મામલે અપડેટ થઈ રહ્યા છે. પી.કે.સચિવ, અજય કુમાર ભલ્લા સહિતના પદાધિકારીઓ ત્યાં હાજર છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવી જાય તે માટે કેન્દ્રીય મંત્રી વી.કેસિંહે ટનલ પાસે બનેલા નાના મંદિરમાં પ્રાર્થના કરી હતી. 


41 શ્રમિકોને બહાર કાઢવા માટે કરાઈ રહી છે કામગીરી

મહત્વનું છે કે ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે 14 નવેમ્બરથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. વિદેશથી મશીન પણ રેસ્ક્યુ માટે મંગાવવામાં આવ્યું પરંતુ તે પણ ઉપયોગી સાબિત નથી થયું. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, ટનલમાં ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે કુલ 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવશે. અને આ કામગીરી પૂર્ણ કરવામાં ચારથી પાંચ દિવસનો સમય લાગશે. મહત્વનું છે કે અનેક દિવસો વીતિ ગયા પરંતુ હજી સુધી શ્રમિકો બહાર નથી આવ્યા. ક્યારે આવશે તેની જાણ નથી કારણ કે અનેક વખત આ રેસ્ક્યુની કામગીરીને અટકાવી પડી છે જેને કારણે રેસ્ક્યુની કામગીરીમાં વિલંબ આવી રહ્યો છે. ત્યારે આ ટનલમાં ફસાયેલા શ્રમિકો જલ્દી સુરક્ષિત બહાર નીકળે તેવી આશા.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .