Uttarkashi Tunnel: અમેરિકાના ઓગર મશીને 25 મીટર સુધી કર્યું ડ્રિલિંગ, મજુરોની સુરક્ષાની આશા વધી


  • Published By :
  • Published Date : 2023-11-17 15:27:22

ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત સિલક્યારા ટનેલમાં 6 દિવસોથી ફસાયેલા 40 મજુરોને બહાર કાઢવા માટે અમેરિકાના ઓગર મશીનથી પાઈપ નાંખવાનું કાર્ય યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 25 મીટર સુધી ઓગર મશીન દ્વારા ડ્રિલ કરવામાં આવ્યું છે. ટનેલમાં ફસાયેલા મજુરો માટે ઓક્સિજન, ખાદ્ય સામગ્રી, દવાઓનો પુરવઠો સતત પુરો પાડવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડના પૂર્વ જનરલ મેનેજર કર્નલ દીપક પાટિલના જણાવ્યા પ્રમાણે પ્લાન બીની સફળ થવાની સંભાવના વધુ હતી. તેમણે કહ્યું કે સંભવિત યોજના માટે પણ ઉપકરણો અને મશીનો ઉપલબ્ધ છે. જો પ્લાન સફળ રહ્યો તો આજે સાંજ સુધીમાં તમામ મજુરોને બહાર નિકાળી શકાશે. 


અમેરિકાથી મંગાવવામાં આવ્યું મશીન


અમેરિકાના ઓગર મશીનથી અત્યાર સુધી 25 મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવી ચુકી છે. શુક્રવાર સવારે ડ્રિલિંગના વખતે બોલ્ડર લાવવામાં આવ્યું હતું. અમેરિકાના ઓગર મશીનથી 900 એમએમ વ્યાસથી લગભગ 10થી 12 પાઈપ નાખ્યા છે. 


5 દિવસથી ફસાયા છે મજુરો


સિલક્યારા સુરંગ દુર્ઘટનાના પાંચ દિવસ પુરા થઈ ચુક્યા છે. આ જે રેસ્ક્યુનો છઠ્ઠો દિવસ છે. ગત મંગળવારે સુરંગમાં ફસાયેલા 40 મજુરોને બચાવવા માટે દેહરાદુનથી ઓગર મશીન મંગાવવામા આવ્યું હતું.  આ મશીન ત્રણ હેરક્યુલિસ વિમાનોથી ચિન્યાલીસૌડ હવાઈ મથકે ઉતારવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે યમનોત્રી હાઈવે પર સિલક્યારા ટનેલનો એક ભાગ 12 નવેમ્બરે રવિવારે સુવારે ઢળી પડ્યો હતો. જેમાં 40 મજુરો ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે કાટમાળમાં શક્તિશાળી અમેરિકા ઓગર મશીનથી ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. ટનેલમાં ફસાયેલા મજુરો પૈકી 15 ઝારખંડના ત્યારે અન્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિસા અને આસામના વતની છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .