Uttarkashi Tunnel: અમેરિકાના ઓગર મશીને 25 મીટર સુધી કર્યું ડ્રિલિંગ, મજુરોની સુરક્ષાની આશા વધી


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-17 15:27:22

ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત સિલક્યારા ટનેલમાં 6 દિવસોથી ફસાયેલા 40 મજુરોને બહાર કાઢવા માટે અમેરિકાના ઓગર મશીનથી પાઈપ નાંખવાનું કાર્ય યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 25 મીટર સુધી ઓગર મશીન દ્વારા ડ્રિલ કરવામાં આવ્યું છે. ટનેલમાં ફસાયેલા મજુરો માટે ઓક્સિજન, ખાદ્ય સામગ્રી, દવાઓનો પુરવઠો સતત પુરો પાડવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડના પૂર્વ જનરલ મેનેજર કર્નલ દીપક પાટિલના જણાવ્યા પ્રમાણે પ્લાન બીની સફળ થવાની સંભાવના વધુ હતી. તેમણે કહ્યું કે સંભવિત યોજના માટે પણ ઉપકરણો અને મશીનો ઉપલબ્ધ છે. જો પ્લાન સફળ રહ્યો તો આજે સાંજ સુધીમાં તમામ મજુરોને બહાર નિકાળી શકાશે. 


અમેરિકાથી મંગાવવામાં આવ્યું મશીન


અમેરિકાના ઓગર મશીનથી અત્યાર સુધી 25 મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવી ચુકી છે. શુક્રવાર સવારે ડ્રિલિંગના વખતે બોલ્ડર લાવવામાં આવ્યું હતું. અમેરિકાના ઓગર મશીનથી 900 એમએમ વ્યાસથી લગભગ 10થી 12 પાઈપ નાખ્યા છે. 


5 દિવસથી ફસાયા છે મજુરો


સિલક્યારા સુરંગ દુર્ઘટનાના પાંચ દિવસ પુરા થઈ ચુક્યા છે. આ જે રેસ્ક્યુનો છઠ્ઠો દિવસ છે. ગત મંગળવારે સુરંગમાં ફસાયેલા 40 મજુરોને બચાવવા માટે દેહરાદુનથી ઓગર મશીન મંગાવવામા આવ્યું હતું.  આ મશીન ત્રણ હેરક્યુલિસ વિમાનોથી ચિન્યાલીસૌડ હવાઈ મથકે ઉતારવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે યમનોત્રી હાઈવે પર સિલક્યારા ટનેલનો એક ભાગ 12 નવેમ્બરે રવિવારે સુવારે ઢળી પડ્યો હતો. જેમાં 40 મજુરો ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે કાટમાળમાં શક્તિશાળી અમેરિકા ઓગર મશીનથી ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. ટનેલમાં ફસાયેલા મજુરો પૈકી 15 ઝારખંડના ત્યારે અન્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિસા અને આસામના વતની છે. 



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.