Uttarkashi Tunnel: અમેરિકાના ઓગર મશીને 25 મીટર સુધી કર્યું ડ્રિલિંગ, મજુરોની સુરક્ષાની આશા વધી


  • Published By :
  • Published Date : 2023-11-17 15:27:22

ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત સિલક્યારા ટનેલમાં 6 દિવસોથી ફસાયેલા 40 મજુરોને બહાર કાઢવા માટે અમેરિકાના ઓગર મશીનથી પાઈપ નાંખવાનું કાર્ય યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 25 મીટર સુધી ઓગર મશીન દ્વારા ડ્રિલ કરવામાં આવ્યું છે. ટનેલમાં ફસાયેલા મજુરો માટે ઓક્સિજન, ખાદ્ય સામગ્રી, દવાઓનો પુરવઠો સતત પુરો પાડવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ લિમિટેડના પૂર્વ જનરલ મેનેજર કર્નલ દીપક પાટિલના જણાવ્યા પ્રમાણે પ્લાન બીની સફળ થવાની સંભાવના વધુ હતી. તેમણે કહ્યું કે સંભવિત યોજના માટે પણ ઉપકરણો અને મશીનો ઉપલબ્ધ છે. જો પ્લાન સફળ રહ્યો તો આજે સાંજ સુધીમાં તમામ મજુરોને બહાર નિકાળી શકાશે. 


અમેરિકાથી મંગાવવામાં આવ્યું મશીન


અમેરિકાના ઓગર મશીનથી અત્યાર સુધી 25 મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવી ચુકી છે. શુક્રવાર સવારે ડ્રિલિંગના વખતે બોલ્ડર લાવવામાં આવ્યું હતું. અમેરિકાના ઓગર મશીનથી 900 એમએમ વ્યાસથી લગભગ 10થી 12 પાઈપ નાખ્યા છે. 


5 દિવસથી ફસાયા છે મજુરો


સિલક્યારા સુરંગ દુર્ઘટનાના પાંચ દિવસ પુરા થઈ ચુક્યા છે. આ જે રેસ્ક્યુનો છઠ્ઠો દિવસ છે. ગત મંગળવારે સુરંગમાં ફસાયેલા 40 મજુરોને બચાવવા માટે દેહરાદુનથી ઓગર મશીન મંગાવવામા આવ્યું હતું.  આ મશીન ત્રણ હેરક્યુલિસ વિમાનોથી ચિન્યાલીસૌડ હવાઈ મથકે ઉતારવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે યમનોત્રી હાઈવે પર સિલક્યારા ટનેલનો એક ભાગ 12 નવેમ્બરે રવિવારે સુવારે ઢળી પડ્યો હતો. જેમાં 40 મજુરો ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે કાટમાળમાં શક્તિશાળી અમેરિકા ઓગર મશીનથી ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે. ટનેલમાં ફસાયેલા મજુરો પૈકી 15 ઝારખંડના ત્યારે અન્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિસા અને આસામના વતની છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે