Uttarkashi Tunnel Collapse: 10 દિવસથી ટનલની અંદર ફસાયા છે 41 શ્રમિકો, શ્રમિકોની પરિસ્થિતિ જાણવા મોકલાયો કેમેરો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-21 10:19:58

ઉત્તરકાશીમાં છેલ્લા ઘણા સમયથી ટનલની નીચે 40થી 41 શ્રમિકો ફસાયા છે જેમને બચાવવા માટે 10 દિવસથી અભિયાન ચાલી રહ્યું છે. શ્રમિકોને સુરશ્રિત ટનલમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પાઈપલાઈનની મદદથી ઓક્સિજન શ્રમિકોને પહોંચાડાઈ રહ્યું છે. શ્રમિકોના પરિવારજનો ત્યાં ઉપસ્થિત છે અને સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સુરંગની અંદર સીસીટીવી કેમેરો મોકલવામાં આવ્યો છે જેના ફૂટેજ સામે આવ્યા છે. સુરંગની અંદર કેટલા શ્રમિકો ફસાયા છે, ત્યાંની કેવી પરિસ્થિતિ છે તેની માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે.           

10 દિવસ વીતિ ગયા પરંતુ હજી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન  

દિવાળીના સમય દરમિયાન ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ટનલની નીચે 40થી 41 શ્રમિકો ફસાયા છે. 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા નથી મળી. જીવન અને મરણ વચ્ચે શ્રમિકો ઝોલા ખાઈ રહ્યા છે. પાઈપલાઈનની મદદથી શ્રમિકોને પાણી તેમજ ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. શ્રમિકોનો જીવ બચી જાય તે માટે અનેક જગ્યાઓ પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. 


સુરંગની અંદરના સીસીટીવી આવ્યા સામે 

પીએમ મોદી પણ શ્રમિકોની મદદે આવ્યા છે. સતત આ ઘટના પર વોચ રાખવામાં આવી રહી છે. ગઈકાલે સાંજે સુરંગમાં ફસાસેયા શ્રમિકોને ભોજન આપવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે ટનલની અંદરનો પહેલો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમામ શ્રમિકો સુરક્ષિત દેખાઈ રહ્યા છે. અમેરિકન ઓગર મશીન વડે સિલ્ક્યારા ટનલમાંથી એસ્કેપ ટનલ બનાવવાનું કામ ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અંગેની માહિતી આપી હતી. મહત્વનું છે કે 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા નથી મળી! શ્રમિકો જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે.       



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.