Uttarkashi Tunnel Collapse: 10 દિવસથી ટનલની અંદર ફસાયા છે 41 શ્રમિકો, શ્રમિકોની પરિસ્થિતિ જાણવા મોકલાયો કેમેરો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-21 10:19:58

ઉત્તરકાશીમાં છેલ્લા ઘણા સમયથી ટનલની નીચે 40થી 41 શ્રમિકો ફસાયા છે જેમને બચાવવા માટે 10 દિવસથી અભિયાન ચાલી રહ્યું છે. શ્રમિકોને સુરશ્રિત ટનલમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પાઈપલાઈનની મદદથી ઓક્સિજન શ્રમિકોને પહોંચાડાઈ રહ્યું છે. શ્રમિકોના પરિવારજનો ત્યાં ઉપસ્થિત છે અને સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સુરંગની અંદર સીસીટીવી કેમેરો મોકલવામાં આવ્યો છે જેના ફૂટેજ સામે આવ્યા છે. સુરંગની અંદર કેટલા શ્રમિકો ફસાયા છે, ત્યાંની કેવી પરિસ્થિતિ છે તેની માહિતી પ્રાપ્ત કરવામાં આવી રહી છે.           

10 દિવસ વીતિ ગયા પરંતુ હજી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન  

દિવાળીના સમય દરમિયાન ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ટનલની નીચે 40થી 41 શ્રમિકો ફસાયા છે. 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા નથી મળી. જીવન અને મરણ વચ્ચે શ્રમિકો ઝોલા ખાઈ રહ્યા છે. પાઈપલાઈનની મદદથી શ્રમિકોને પાણી તેમજ ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. શ્રમિકોનો જીવ બચી જાય તે માટે અનેક જગ્યાઓ પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. 


સુરંગની અંદરના સીસીટીવી આવ્યા સામે 

પીએમ મોદી પણ શ્રમિકોની મદદે આવ્યા છે. સતત આ ઘટના પર વોચ રાખવામાં આવી રહી છે. ગઈકાલે સાંજે સુરંગમાં ફસાસેયા શ્રમિકોને ભોજન આપવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે ટનલની અંદરનો પહેલો વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમામ શ્રમિકો સુરક્ષિત દેખાઈ રહ્યા છે. અમેરિકન ઓગર મશીન વડે સિલ્ક્યારા ટનલમાંથી એસ્કેપ ટનલ બનાવવાનું કામ ફરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ અંગેની માહિતી આપી હતી. મહત્વનું છે કે 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા નથી મળી! શ્રમિકો જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે.       



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.