Uttarkashi Tunnel Collapsed : દિવાળી મનાવવા જાય તે પહેલા શ્રમિકો સાથે સર્જાઈ દુર્ઘટના, આ રીતે થઈ રહ્યો છે સંપર્ક


  • Published By :
  • Published Date : 2023-11-13 11:49:25

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અનેક નિર્માણાધીન બ્રિજો, ટનલો તૂટી પડતી હોય છે જેને કારણે લોકોના જીવ જતા હોય છે. ત્યારે ઉત્તરકાશીમાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ શનિવારે મોડી રાત્રે તૂટી પડ્યો હતો. આ ટનલમાં 40 જેટલા શ્રમિકો ફસાયા હતા. ઘટનાની જાણ થયા બાદ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ફસાયેલા શ્રમિકોને પાઈપની મદદથી ઓક્સિજન તેમજ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ફસાયેલા શ્રમિકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બચાવ કાર્ય કરી રહેલી ટીમના જણાવ્યા અનુસાર ટનલમાં ઘૂસવા માટે બાજુમાંથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ સ્થળની મુલાકાત લીધી છે.

 

ટનલ તૂટી પડતા ફસાયા 40 જેટલા શ્રમિકો 

દુર્ઘટના ગમે ત્યારે અને ગમે તેની સાથે સર્જાઈ શકે છે. ઉત્તરકાશીમાં શનિવાર મોડી રાત્રે એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં 40 જેટલા શ્રમિકો જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. ઉત્તરકાશીમાં એક નિર્માણાધીન ટનલ તૂટી પડવાને કારણે મજૂરોના જીવન સંકટમાં મૂકાયા છે. યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ વચ્ચે ભૂસ્ખલનને કારણે ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. સિલ્ક્યારા ટનલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘટનાની માહિતી આપતા પ્રોવિન્શિયલ ગાર્ડ જવાન રણવીર સિંહ ચૌહાણે કહ્યું કે કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. વોકી-ટોકીના મદદથી અંદર ફસાયેલા લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 

પાઈપની મદદથી ઓક્સિજન અને પાણી અપાઈ રહ્યો છે

રાહત બચાવ કાર્ય કરી રહેલા અધિકારી પ્રશાંત કુમારે જણાવ્યું કે, "ટનલની અંદર 40 લોકો ફસાયેલા છે. બધા સુરક્ષિત છે, અમે તેમને ઓક્સિજન અને પાણી પૂરું પાડ્યું છે. હાલની સ્થિતિ એ છે કે ગઈકાલે અમે ટનલની અંદર ફસાયેલા લોકો સાથે વાતચીત કરી હતી. અમે લગભગ 15 મીટર ટનલની અંદર ગયા, અને લગભગ 35 મીટર હજુ આવરી લેવાના બાકી છે. દરેક વ્યક્તિ સુરક્ષિત છે, અમે ઓક્સિજન અને પાણી પૂરું પાડ્યું છે. અમે ટનલની અંદર જવા માટે બાજુ તરફ જઈએ છીએ. શ્રમિકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.