Uttarkashi Tunnel Collapsed : દિવાળી મનાવવા જાય તે પહેલા શ્રમિકો સાથે સર્જાઈ દુર્ઘટના, આ રીતે થઈ રહ્યો છે સંપર્ક


  • Published By :
  • Published Date : 2023-11-13 11:49:25

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અનેક નિર્માણાધીન બ્રિજો, ટનલો તૂટી પડતી હોય છે જેને કારણે લોકોના જીવ જતા હોય છે. ત્યારે ઉત્તરકાશીમાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ શનિવારે મોડી રાત્રે તૂટી પડ્યો હતો. આ ટનલમાં 40 જેટલા શ્રમિકો ફસાયા હતા. ઘટનાની જાણ થયા બાદ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર ફસાયેલા શ્રમિકોને પાઈપની મદદથી ઓક્સિજન તેમજ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ફસાયેલા શ્રમિકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બચાવ કાર્ય કરી રહેલી ટીમના જણાવ્યા અનુસાર ટનલમાં ઘૂસવા માટે બાજુમાંથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ સ્થળની મુલાકાત લીધી છે.

 

ટનલ તૂટી પડતા ફસાયા 40 જેટલા શ્રમિકો 

દુર્ઘટના ગમે ત્યારે અને ગમે તેની સાથે સર્જાઈ શકે છે. ઉત્તરકાશીમાં શનિવાર મોડી રાત્રે એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં 40 જેટલા શ્રમિકો જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. ઉત્તરકાશીમાં એક નિર્માણાધીન ટનલ તૂટી પડવાને કારણે મજૂરોના જીવન સંકટમાં મૂકાયા છે. યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ વચ્ચે ભૂસ્ખલનને કારણે ટનલનો એક ભાગ તૂટી પડ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. સિલ્ક્યારા ટનલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘટનાની માહિતી આપતા પ્રોવિન્શિયલ ગાર્ડ જવાન રણવીર સિંહ ચૌહાણે કહ્યું કે કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. વોકી-ટોકીના મદદથી અંદર ફસાયેલા લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 

પાઈપની મદદથી ઓક્સિજન અને પાણી અપાઈ રહ્યો છે

રાહત બચાવ કાર્ય કરી રહેલા અધિકારી પ્રશાંત કુમારે જણાવ્યું કે, "ટનલની અંદર 40 લોકો ફસાયેલા છે. બધા સુરક્ષિત છે, અમે તેમને ઓક્સિજન અને પાણી પૂરું પાડ્યું છે. હાલની સ્થિતિ એ છે કે ગઈકાલે અમે ટનલની અંદર ફસાયેલા લોકો સાથે વાતચીત કરી હતી. અમે લગભગ 15 મીટર ટનલની અંદર ગયા, અને લગભગ 35 મીટર હજુ આવરી લેવાના બાકી છે. દરેક વ્યક્તિ સુરક્ષિત છે, અમે ઓક્સિજન અને પાણી પૂરું પાડ્યું છે. અમે ટનલની અંદર જવા માટે બાજુ તરફ જઈએ છીએ. શ્રમિકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .