Uttarkashi Tunnel Rescue : ગઈકાલે પૂર્ણ થવાની હતી કામગીરી પરંતુ મળી અસફળતા!શ્રમિકો થોડા મીટર જ દૂર છે પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-24 11:15:53

ઉત્તરકાશીમાં ટનલની નીચે ફસાયેલા 41 શ્રમિકોને આજે જીવનદાન મળી શકે છે. છેલ્લા અનેક દિવસોથી ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલે એવા સમાચાર હતા કે માત્ર થોડા કલાકોની અંદર શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી જશે. આ સમાચાર સામે આવતા શ્રમિકોના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. તેમને એવું હતું કે થોડા કલાકોની અંદર તે પોતાના પરિવારજનને મળશે પરંતુ હજી સુધી તેઓ પોતાના પરિવારના સભ્યને મળી શક્યા નથી. રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં તો પહોંચી ગયું છે, થોડા મીટર જ બાકી છે પરંતુ આ થોડા મીટરનું અંતર કાપવું અઘરૂં છે.

 

રેસ્ક્યુ કામગીરીનો આજે 13મો દિવસ!

ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ ટેક્નોલોજી, અલગ અલગ રીતથી પ્રયાસો થઈ રહ્યા છે. એનડીઆરએફની ટીમ સહિત બચાવ કામગીરી માટે વિવિધ ટીમો પણ ઉપસ્થિત છે. એમ્બ્યુલન્સને પણ રાખવામાં આવી છે ઉપરાંત વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે શ્રમિકોને સારવાર ત્વરીત મળી રહે. રેસ્ક્યુની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. ટનલમાં ફસાયેલાએ  41 શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, અંતિમ તબક્કામાં આ કામગીરી પહોંચી છે પરંતુ અંતિમ તબક્કામાં કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. શુક્રવારે બચાવ કામગીરીનો 13મો દિવસ છે. 

ગઈકાલે પૂર્ણ થવાની હતી રેસ્ક્યુની કામગીરી પરંતુ...  

આમ તો આ રેસ્ક્યુ ગઈકાલે જ પૂર્ણ થઈ જશે તેવી આશા હતી, અધિકારીઓએ પણ આવી આશા રાખી હતી પરંતુ ત્યારે રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચ્યું. થોડા જ મીટરનું અંતર બાકી હતું ત્યારે અનેક વખત ડ્રિલ મશીન બંધ પડી ગયું. મશીન બગડી જવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનને સ્થગિત કરવામાં આવ્યું, ત્યારે એવી માહિતી સામે આવી છે કે ફરી એક વખત રેસ્ક્યુ ઓપરેશનને શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કાર્યને આગળ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે