Uttarkashi Tunnel Rescue : ગઈકાલે પૂર્ણ થવાની હતી કામગીરી પરંતુ મળી અસફળતા!શ્રમિકો થોડા મીટર જ દૂર છે પરંતુ...


  • Published By :
  • Published Date : 2023-11-24 11:15:53

ઉત્તરકાશીમાં ટનલની નીચે ફસાયેલા 41 શ્રમિકોને આજે જીવનદાન મળી શકે છે. છેલ્લા અનેક દિવસોથી ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલે એવા સમાચાર હતા કે માત્ર થોડા કલાકોની અંદર શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી જશે. આ સમાચાર સામે આવતા શ્રમિકોના પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. તેમને એવું હતું કે થોડા કલાકોની અંદર તે પોતાના પરિવારજનને મળશે પરંતુ હજી સુધી તેઓ પોતાના પરિવારના સભ્યને મળી શક્યા નથી. રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં તો પહોંચી ગયું છે, થોડા મીટર જ બાકી છે પરંતુ આ થોડા મીટરનું અંતર કાપવું અઘરૂં છે.

 

રેસ્ક્યુ કામગીરીનો આજે 13મો દિવસ!

ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી જોરશોરથી ચાલી રહી છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ ટેક્નોલોજી, અલગ અલગ રીતથી પ્રયાસો થઈ રહ્યા છે. એનડીઆરએફની ટીમ સહિત બચાવ કામગીરી માટે વિવિધ ટીમો પણ ઉપસ્થિત છે. એમ્બ્યુલન્સને પણ રાખવામાં આવી છે ઉપરાંત વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે શ્રમિકોને સારવાર ત્વરીત મળી રહે. રેસ્ક્યુની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. ટનલમાં ફસાયેલાએ  41 શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, અંતિમ તબક્કામાં આ કામગીરી પહોંચી છે પરંતુ અંતિમ તબક્કામાં કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે. શુક્રવારે બચાવ કામગીરીનો 13મો દિવસ છે. 

ગઈકાલે પૂર્ણ થવાની હતી રેસ્ક્યુની કામગીરી પરંતુ...  

આમ તો આ રેસ્ક્યુ ગઈકાલે જ પૂર્ણ થઈ જશે તેવી આશા હતી, અધિકારીઓએ પણ આવી આશા રાખી હતી પરંતુ ત્યારે રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચ્યું. થોડા જ મીટરનું અંતર બાકી હતું ત્યારે અનેક વખત ડ્રિલ મશીન બંધ પડી ગયું. મશીન બગડી જવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનને સ્થગિત કરવામાં આવ્યું, ત્યારે એવી માહિતી સામે આવી છે કે ફરી એક વખત રેસ્ક્યુ ઓપરેશનને શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કાર્યને આગળ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.       



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.