Uttrakhand Accident: શ્રદ્ધાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકી તે પહેલાનો વીડિયો થયો વાયરલ, ભક્તિમાં લીન દેખાયા ભક્તો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-21 16:04:23

ગંગોત્રી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ગુજરાતીઓ મોતને ભેટ્યા છે. ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતી પરિવારને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. બસ ખીણમાં ખાબકી પડી હતી અને ભક્તો કાળનો કોળિયો બની ગયા હતા. શ્રદ્ધાળુઓના મોતને કારણે ભાવનગર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ઉઠી હતી. આ અકસ્માત સર્જાયો એની પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એ વીડિયોમાં મૃત્યુ પામનાર ભક્તો મહાદેવની ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. હર હર મહાદેવના નાદથી બસ ગુંજી હતી. ભક્તિમાં તરબોળ ભક્તો જોત જાતોમાં કાળનો કોળિયો બની ગયા અને ગંગોત્રી જવાની બદલીમાં તે અનંતની યાત્રાએ નીકળી ગયા છે.  

અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે  

ગઈકાલે ઉત્તરાખંડથી એક ઘટના સામે આવી જેણે બધાને હલાવી દીધા હતા. ગંગોત્રીથી પરત આવી રહેલા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા છે. ગંગોત્રી હાઈવે પર રવિવારે બસ ખાબકી પડી હતી. જેમાં ગુજરાતના 35 યાત્રિકો સવાર હતા. અકસ્માત બન્યો તે પહેલાનો એક વીડિયો હાલ સામે આવ્યો છે. તે વીડિયોમાં ભક્તો ભક્તિમાં તત્લીન જોવા મળી રહ્યા છે. ભક્તોને ક્યાં ખબર હતી કે આવનારી ક્ષણ તેમના માટે અંતિમ સાબિત થઈ છે. બસ પરથી ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. અકસ્માત સર્જાયો તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. મરતા પહેલા ભક્તોએ મહાદેવનું નામ લીધું હતું. 



ગઈકાલે સર્જાયેલા અકસ્માતમાં થયા અનેક ગુજરાતીઓના મોત 

ગંગોત્રી ધામથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને રવિવારે અકસ્માત નડ્યો હતો. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા તે અચાનક જ ઉંડી ખીણમાં પડી હતી. ગંગોત્રી હાઇવે પર ગંગનાની પાસે મુસાફરોને લઇ જતી બસ ખીણમાં ખાબક્યા બાદ રેસ્ક્યું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે અનેક યાત્રાળુઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. અનેક લોકોના મોત આવા અકસ્માતને કારણે થયા છે. યાત્રાધામે નીકળેલા અનેક શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બનતા હોય છે. 




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .