Uttrakhand Accident: શ્રદ્ધાળુઓ ભરેલી બસ ખીણમાં ખાબકી તે પહેલાનો વીડિયો થયો વાયરલ, ભક્તિમાં લીન દેખાયા ભક્તો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-21 16:04:23

ગંગોત્રી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ગુજરાતીઓ મોતને ભેટ્યા છે. ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતી પરિવારને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. બસ ખીણમાં ખાબકી પડી હતી અને ભક્તો કાળનો કોળિયો બની ગયા હતા. શ્રદ્ધાળુઓના મોતને કારણે ભાવનગર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી ઉઠી હતી. આ અકસ્માત સર્જાયો એની પહેલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એ વીડિયોમાં મૃત્યુ પામનાર ભક્તો મહાદેવની ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. હર હર મહાદેવના નાદથી બસ ગુંજી હતી. ભક્તિમાં તરબોળ ભક્તો જોત જાતોમાં કાળનો કોળિયો બની ગયા અને ગંગોત્રી જવાની બદલીમાં તે અનંતની યાત્રાએ નીકળી ગયા છે.  

અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે  

ગઈકાલે ઉત્તરાખંડથી એક ઘટના સામે આવી જેણે બધાને હલાવી દીધા હતા. ગંગોત્રીથી પરત આવી રહેલા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા છે. ગંગોત્રી હાઈવે પર રવિવારે બસ ખાબકી પડી હતી. જેમાં ગુજરાતના 35 યાત્રિકો સવાર હતા. અકસ્માત બન્યો તે પહેલાનો એક વીડિયો હાલ સામે આવ્યો છે. તે વીડિયોમાં ભક્તો ભક્તિમાં તત્લીન જોવા મળી રહ્યા છે. ભક્તોને ક્યાં ખબર હતી કે આવનારી ક્ષણ તેમના માટે અંતિમ સાબિત થઈ છે. બસ પરથી ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. અકસ્માત સર્જાયો તે પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ભક્તિમાં લીન દેખાઈ રહ્યા છે. મરતા પહેલા ભક્તોએ મહાદેવનું નામ લીધું હતું. 



ગઈકાલે સર્જાયેલા અકસ્માતમાં થયા અનેક ગુજરાતીઓના મોત 

ગંગોત્રી ધામથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસને રવિવારે અકસ્માત નડ્યો હતો. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા તે અચાનક જ ઉંડી ખીણમાં પડી હતી. ગંગોત્રી હાઇવે પર ગંગનાની પાસે મુસાફરોને લઇ જતી બસ ખીણમાં ખાબક્યા બાદ રેસ્ક્યું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે અનેક યાત્રાળુઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. અનેક લોકોના મોત આવા અકસ્માતને કારણે થયા છે. યાત્રાધામે નીકળેલા અનેક શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બનતા હોય છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.