Uttrakhand: ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં ગયેલા પૂર્વ મંત્રી હરક સિંહ રાવતને ત્યાં ઈડીના દરોડા, જાણો કયા કેસને લઈ કરાઈ રહી છે કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2024-02-07 13:18:28

ઈડીની ટીમ આજકાલ સખત એક્ટિવ દેખાઈ રહી છે. અલગ અલગ ઠેકાણા પર ઈડીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. દિલ્હીથી ગઈકાલે સમાચાર સામે આવ્યા હતા કે આપના અનેક નેતાઓના ઘરે ઈડીએ રેડ કરી છે. અનેક કલાકો સુધી તપાસ ચાલી વગેરે વગેરે... ત્યારે આજે ફરી એક વખત ઈડીની ટીમ એક્ટિવ થઈ છે અને ઉત્તરાખંડના પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના અનેક ઠેકાણો પર છાપેમારી કરી છે. મની લોન્ડરિંગ કેસમાં આજે કોંગ્રેસના નેતાને ત્યાં ઈડી ત્રાટકી છે. મહત્વનું છે કે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને છોડીને તે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. 

કોંગ્રેસના હરકસિંહના ઠેકાણાઓ પર ઈડીની રેડ!

ગઈકાલે દિલ્હીમાં ઈડીની ટીમે આમ આદમી પાર્ટીના નેતાઓને ત્યાં રેડ પાડી હતી. અનેક કલાકો સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના પીએસને ત્યાં તેમજ રાજ્યસભા સાંસદને ત્યાં રેડ પડી હતી ત્યારે આજે ઈડીની ટીમે ઉત્તરાખંડમાં રેડ પાડી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરકસિંહ રાવતના અનેક ઠેકાણાઓ પર ઈડીએ રેડ પાડી છે. મળતી માહિતી અનુસાર EDના આ દરોડા બે અલગ-અલગ કેસમાં ચાલી રહી છે. એક કેસ જંગલની જમીન સાથે સંબંધિત છે જ્યારે બીજો કેસ જમીન કૌભાંડનો છે. એવું પણ સામે આવ્યું છે કે ગત વર્ષે વિજિલન્સ વિભાગે આ કેસમાં હરક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એક જગ્યા પર નહીં પરંતુ ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢમાં ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  

ગઈકાલે અનેક જગ્યાઓ પર ઈડીએ કરી હતી રેડ

મહત્વનું છે કે દિલ્હીમાં ઈડી દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ રાજકારણ ગરમાયું છે. ગઈકાલે AAPના આતિશીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી તેમજ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી વાત આપ નેતા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે કોંગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ મંત્રીને ત્યાં ઈડી ત્રાટકી છે.   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.