Uttrakhand: ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં ગયેલા પૂર્વ મંત્રી હરક સિંહ રાવતને ત્યાં ઈડીના દરોડા, જાણો કયા કેસને લઈ કરાઈ રહી છે કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2024-02-07 13:18:28

ઈડીની ટીમ આજકાલ સખત એક્ટિવ દેખાઈ રહી છે. અલગ અલગ ઠેકાણા પર ઈડીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. દિલ્હીથી ગઈકાલે સમાચાર સામે આવ્યા હતા કે આપના અનેક નેતાઓના ઘરે ઈડીએ રેડ કરી છે. અનેક કલાકો સુધી તપાસ ચાલી વગેરે વગેરે... ત્યારે આજે ફરી એક વખત ઈડીની ટીમ એક્ટિવ થઈ છે અને ઉત્તરાખંડના પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના અનેક ઠેકાણો પર છાપેમારી કરી છે. મની લોન્ડરિંગ કેસમાં આજે કોંગ્રેસના નેતાને ત્યાં ઈડી ત્રાટકી છે. મહત્વનું છે કે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને છોડીને તે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. 

કોંગ્રેસના હરકસિંહના ઠેકાણાઓ પર ઈડીની રેડ!

ગઈકાલે દિલ્હીમાં ઈડીની ટીમે આમ આદમી પાર્ટીના નેતાઓને ત્યાં રેડ પાડી હતી. અનેક કલાકો સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના પીએસને ત્યાં તેમજ રાજ્યસભા સાંસદને ત્યાં રેડ પડી હતી ત્યારે આજે ઈડીની ટીમે ઉત્તરાખંડમાં રેડ પાડી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરકસિંહ રાવતના અનેક ઠેકાણાઓ પર ઈડીએ રેડ પાડી છે. મળતી માહિતી અનુસાર EDના આ દરોડા બે અલગ-અલગ કેસમાં ચાલી રહી છે. એક કેસ જંગલની જમીન સાથે સંબંધિત છે જ્યારે બીજો કેસ જમીન કૌભાંડનો છે. એવું પણ સામે આવ્યું છે કે ગત વર્ષે વિજિલન્સ વિભાગે આ કેસમાં હરક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એક જગ્યા પર નહીં પરંતુ ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢમાં ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  

ગઈકાલે અનેક જગ્યાઓ પર ઈડીએ કરી હતી રેડ

મહત્વનું છે કે દિલ્હીમાં ઈડી દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ રાજકારણ ગરમાયું છે. ગઈકાલે AAPના આતિશીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી તેમજ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી વાત આપ નેતા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે કોંગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ મંત્રીને ત્યાં ઈડી ત્રાટકી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.