Uttrakhand: ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં ગયેલા પૂર્વ મંત્રી હરક સિંહ રાવતને ત્યાં ઈડીના દરોડા, જાણો કયા કેસને લઈ કરાઈ રહી છે કાર્યવાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-07 13:18:28

ઈડીની ટીમ આજકાલ સખત એક્ટિવ દેખાઈ રહી છે. અલગ અલગ ઠેકાણા પર ઈડીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. દિલ્હીથી ગઈકાલે સમાચાર સામે આવ્યા હતા કે આપના અનેક નેતાઓના ઘરે ઈડીએ રેડ કરી છે. અનેક કલાકો સુધી તપાસ ચાલી વગેરે વગેરે... ત્યારે આજે ફરી એક વખત ઈડીની ટીમ એક્ટિવ થઈ છે અને ઉત્તરાખંડના પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના અનેક ઠેકાણો પર છાપેમારી કરી છે. મની લોન્ડરિંગ કેસમાં આજે કોંગ્રેસના નેતાને ત્યાં ઈડી ત્રાટકી છે. મહત્વનું છે કે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને છોડીને તે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. 

કોંગ્રેસના હરકસિંહના ઠેકાણાઓ પર ઈડીની રેડ!

ગઈકાલે દિલ્હીમાં ઈડીની ટીમે આમ આદમી પાર્ટીના નેતાઓને ત્યાં રેડ પાડી હતી. અનેક કલાકો સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના પીએસને ત્યાં તેમજ રાજ્યસભા સાંસદને ત્યાં રેડ પડી હતી ત્યારે આજે ઈડીની ટીમે ઉત્તરાખંડમાં રેડ પાડી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરકસિંહ રાવતના અનેક ઠેકાણાઓ પર ઈડીએ રેડ પાડી છે. મળતી માહિતી અનુસાર EDના આ દરોડા બે અલગ-અલગ કેસમાં ચાલી રહી છે. એક કેસ જંગલની જમીન સાથે સંબંધિત છે જ્યારે બીજો કેસ જમીન કૌભાંડનો છે. એવું પણ સામે આવ્યું છે કે ગત વર્ષે વિજિલન્સ વિભાગે આ કેસમાં હરક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એક જગ્યા પર નહીં પરંતુ ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢમાં ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  

ગઈકાલે અનેક જગ્યાઓ પર ઈડીએ કરી હતી રેડ

મહત્વનું છે કે દિલ્હીમાં ઈડી દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ રાજકારણ ગરમાયું છે. ગઈકાલે AAPના આતિશીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી તેમજ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી વાત આપ નેતા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે કોંગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ મંત્રીને ત્યાં ઈડી ત્રાટકી છે.   



લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.