Uttrakhand: ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં ગયેલા પૂર્વ મંત્રી હરક સિંહ રાવતને ત્યાં ઈડીના દરોડા, જાણો કયા કેસને લઈ કરાઈ રહી છે કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2024-02-07 13:18:28

ઈડીની ટીમ આજકાલ સખત એક્ટિવ દેખાઈ રહી છે. અલગ અલગ ઠેકાણા પર ઈડીની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. દિલ્હીથી ગઈકાલે સમાચાર સામે આવ્યા હતા કે આપના અનેક નેતાઓના ઘરે ઈડીએ રેડ કરી છે. અનેક કલાકો સુધી તપાસ ચાલી વગેરે વગેરે... ત્યારે આજે ફરી એક વખત ઈડીની ટીમ એક્ટિવ થઈ છે અને ઉત્તરાખંડના પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના અનેક ઠેકાણો પર છાપેમારી કરી છે. મની લોન્ડરિંગ કેસમાં આજે કોંગ્રેસના નેતાને ત્યાં ઈડી ત્રાટકી છે. મહત્વનું છે કે ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને છોડીને તે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. 

કોંગ્રેસના હરકસિંહના ઠેકાણાઓ પર ઈડીની રેડ!

ગઈકાલે દિલ્હીમાં ઈડીની ટીમે આમ આદમી પાર્ટીના નેતાઓને ત્યાં રેડ પાડી હતી. અનેક કલાકો સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલના પીએસને ત્યાં તેમજ રાજ્યસભા સાંસદને ત્યાં રેડ પડી હતી ત્યારે આજે ઈડીની ટીમે ઉત્તરાખંડમાં રેડ પાડી છે. કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરકસિંહ રાવતના અનેક ઠેકાણાઓ પર ઈડીએ રેડ પાડી છે. મળતી માહિતી અનુસાર EDના આ દરોડા બે અલગ-અલગ કેસમાં ચાલી રહી છે. એક કેસ જંગલની જમીન સાથે સંબંધિત છે જ્યારે બીજો કેસ જમીન કૌભાંડનો છે. એવું પણ સામે આવ્યું છે કે ગત વર્ષે વિજિલન્સ વિભાગે આ કેસમાં હરક સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એક જગ્યા પર નહીં પરંતુ ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢમાં ઘણી જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  

ગઈકાલે અનેક જગ્યાઓ પર ઈડીએ કરી હતી રેડ

મહત્વનું છે કે દિલ્હીમાં ઈડી દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને લઈ રાજકારણ ગરમાયું છે. ગઈકાલે AAPના આતિશીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી તેમજ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવી વાત આપ નેતા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે કોંગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ મંત્રીને ત્યાં ઈડી ત્રાટકી છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.