વડોદરાઃ ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 16:10:55

વડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 11 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. ટ્રક અને છકડાનો અકસ્માત થતાં મૃતદેહોને છકડાના પતરા કાપીને કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોનો જમાવડો થઈ ગયો હતો. વડોદરા ફાયર વિભાગની ટીમ અને એરફોર્સના જવાનોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. 


ટ્રકના કન્ટેઈનરમાં ઘૂસી ગયો છકડો

ટ્રક સુરતથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે દરજીપુરા વિસ્તાર નજીક રોંગ સાઈડથી આવતા રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં 11 લોકોના મોત થયા છે. 


ઘટનામાં સામે આવ્યું છે કે મૃતકો, ઇજાગ્રસ્તોમાં મોટાભાગનાં મજુર વર્ગનાં લોકો હતા. અને હાલ વડોદરા જિલ્લા કલેક્ટર એ.બી.ગોર હોસ્પિટલ પહોંચ્યાં અને સંયુક્ત પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા પણ હોસ્પિટલ પહોંચ્યાં હતા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ પણ હોસ્પિટલ આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે માટે સુચના અપાઇ હતી

 

 

કલેક્ટરે શું કહ્યું ?  

અકસ્માત મુદ્દે જિલ્લા કલેક્ટર એ.બી.ગોરનું નિવેદન આપ્યું તેમણે કહ્યું અન્ય વાહનને બચાવવા જતાં ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને મૃતકોનાં પરિજનો અને ઇજાગ્રસ્તોને સહાય મામલે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહએ કહ્યું છે મૃતકો વડોદરા શહેરનાં સોમાતલાવ વિસ્તારનાં રહીશો હતા 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .