વડોદરાઃ ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 16:10:55

વડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 11 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. ટ્રક અને છકડાનો અકસ્માત થતાં મૃતદેહોને છકડાના પતરા કાપીને કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોનો જમાવડો થઈ ગયો હતો. વડોદરા ફાયર વિભાગની ટીમ અને એરફોર્સના જવાનોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. 


ટ્રકના કન્ટેઈનરમાં ઘૂસી ગયો છકડો

ટ્રક સુરતથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે દરજીપુરા વિસ્તાર નજીક રોંગ સાઈડથી આવતા રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં 11 લોકોના મોત થયા છે. 


ઘટનામાં સામે આવ્યું છે કે મૃતકો, ઇજાગ્રસ્તોમાં મોટાભાગનાં મજુર વર્ગનાં લોકો હતા. અને હાલ વડોદરા જિલ્લા કલેક્ટર એ.બી.ગોર હોસ્પિટલ પહોંચ્યાં અને સંયુક્ત પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા પણ હોસ્પિટલ પહોંચ્યાં હતા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ પણ હોસ્પિટલ આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે માટે સુચના અપાઇ હતી

 

 

કલેક્ટરે શું કહ્યું ?  

અકસ્માત મુદ્દે જિલ્લા કલેક્ટર એ.બી.ગોરનું નિવેદન આપ્યું તેમણે કહ્યું અન્ય વાહનને બચાવવા જતાં ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને મૃતકોનાં પરિજનો અને ઇજાગ્રસ્તોને સહાય મામલે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહએ કહ્યું છે મૃતકો વડોદરા શહેરનાં સોમાતલાવ વિસ્તારનાં રહીશો હતા 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.