વડોદરાઃ ગમખ્વાર અકસ્માતમાં 11 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 16:10:55

વડોદરા જિલ્લાના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 11 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. ટ્રક અને છકડાનો અકસ્માત થતાં મૃતદેહોને છકડાના પતરા કાપીને કાઢવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોનો જમાવડો થઈ ગયો હતો. વડોદરા ફાયર વિભાગની ટીમ અને એરફોર્સના જવાનોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. 


ટ્રકના કન્ટેઈનરમાં ઘૂસી ગયો છકડો

ટ્રક સુરતથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે દરજીપુરા વિસ્તાર નજીક રોંગ સાઈડથી આવતા રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં 11 લોકોના મોત થયા છે. 


ઘટનામાં સામે આવ્યું છે કે મૃતકો, ઇજાગ્રસ્તોમાં મોટાભાગનાં મજુર વર્ગનાં લોકો હતા. અને હાલ વડોદરા જિલ્લા કલેક્ટર એ.બી.ગોર હોસ્પિટલ પહોંચ્યાં અને સંયુક્ત પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા પણ હોસ્પિટલ પહોંચ્યાં હતા ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ પણ હોસ્પિટલ આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તે માટે સુચના અપાઇ હતી

 

 

કલેક્ટરે શું કહ્યું ?  

અકસ્માત મુદ્દે જિલ્લા કલેક્ટર એ.બી.ગોરનું નિવેદન આપ્યું તેમણે કહ્યું અન્ય વાહનને બચાવવા જતાં ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને મૃતકોનાં પરિજનો અને ઇજાગ્રસ્તોને સહાય મામલે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહએ કહ્યું છે મૃતકો વડોદરા શહેરનાં સોમાતલાવ વિસ્તારનાં રહીશો હતા 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે