Vadodara : ગરમીથી ટ્રાફિક પોલીસકર્મીઓને રક્ષણ મળે માટે અપાયા એસી હેલ્મેટ, હેલ્મેટથી મળશે કાળઝાળ ગરમીથી રાહત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-18 14:55:25

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે.. ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. ગરમીથી રક્ષણ મેળવવા માટે આપણે એસીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ પોલીસનું કામ એવું છે કે રસ્તા પર જ તેમને રહેવું પડતું હોય છે.. ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરતા પોલીસ જવાનોની હાલત કફોડી બની જાય છે, ગમે તેટલી ગરમી કેમ ના હોય તેમને પોતાની ફરજ પર હાજર રહેવું પડતું હોય છે.. ત્યારે પોલીસકર્મીને ગરમીથી રક્ષણ મળે તે માટે એક અનોખું હેલ્મેટ વિકસાવામાં આવ્યું છે.. વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 

પોલીસ કર્મીઓને કરવો પડે છે ગરમીનો સામનો 

પોલીસકર્મીની ચર્ચા અનેક વખત થતી હોય છે. તેમની કામગીરી પર અનેક વખત સવાલ પણ થતા હોય છે.. સવાલ ઉઠવા પણ જોઈએ પરંતુ આ બધા વચ્ચે એક વાત એવી પણ છે કે જો રસ્તામાં ટ્રાફિક પોલીસ ના ઉભી હોય તો ટ્રાફિક વ્યવસ્થા નથી સચવાતી..!  જો ટ્રાફિક પોલીસ ના હાજર હોય તો અનેક લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.. ભલેને ગરમીનો હોય, ઠંડી હોય કે વરસાદ હોય પોલીસને ત્યાં હાજર રહેવું પડે છે જ્યાં તેમની ડ્યુટી હોય છે.. 


એસી હેલ્મેટથી સુસજ્જ કરાયા પોલીસકર્મીઓને 

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે... કાળઝાળ ગરમીનો અનુભવ હાલ લોકોને થઈ રહ્યો છે. અસહ્મ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી ગરમીમાં સૌથી વધારે ખરાબ હાલત ટ્રાફિક પોલીસની થતી હોય છે.. ત્યારે ટ્રાફિક પોલીસને ગરમીથી રક્ષણ મળે તે માટે વડોદરા પોલીસ વિભાગ દ્વારા તેમના કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યું છે. આ એસી હેલ્મેટને કારણે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ મળશે... મળતી માહિતી અનુસાર 450 ટ્રાફિક પોલીસ જવાનોને આ હેલ્મેટ આપવામાં આવ્યા છે.. 


પોલીસકર્મીઓને મળશે ગરમીથી રાહત 

મહત્વનું છે કે ગરમીના પારામાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીને કારણે અનેક લોકો ગંભીર રીતે બિમાર પડતા હોય છે...  હિટ સ્ટ્રોકની અસર અનેક લોકો પર જોવા મળતી હોય છે... ત્યારે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.