Vadodara : ગરમીથી ટ્રાફિક પોલીસકર્મીઓને રક્ષણ મળે માટે અપાયા એસી હેલ્મેટ, હેલ્મેટથી મળશે કાળઝાળ ગરમીથી રાહત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-18 14:55:25

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે.. ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. ગરમીથી રક્ષણ મેળવવા માટે આપણે એસીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ પોલીસનું કામ એવું છે કે રસ્તા પર જ તેમને રહેવું પડતું હોય છે.. ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરતા પોલીસ જવાનોની હાલત કફોડી બની જાય છે, ગમે તેટલી ગરમી કેમ ના હોય તેમને પોતાની ફરજ પર હાજર રહેવું પડતું હોય છે.. ત્યારે પોલીસકર્મીને ગરમીથી રક્ષણ મળે તે માટે એક અનોખું હેલ્મેટ વિકસાવામાં આવ્યું છે.. વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 

પોલીસ કર્મીઓને કરવો પડે છે ગરમીનો સામનો 

પોલીસકર્મીની ચર્ચા અનેક વખત થતી હોય છે. તેમની કામગીરી પર અનેક વખત સવાલ પણ થતા હોય છે.. સવાલ ઉઠવા પણ જોઈએ પરંતુ આ બધા વચ્ચે એક વાત એવી પણ છે કે જો રસ્તામાં ટ્રાફિક પોલીસ ના ઉભી હોય તો ટ્રાફિક વ્યવસ્થા નથી સચવાતી..!  જો ટ્રાફિક પોલીસ ના હાજર હોય તો અનેક લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.. ભલેને ગરમીનો હોય, ઠંડી હોય કે વરસાદ હોય પોલીસને ત્યાં હાજર રહેવું પડે છે જ્યાં તેમની ડ્યુટી હોય છે.. 


એસી હેલ્મેટથી સુસજ્જ કરાયા પોલીસકર્મીઓને 

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે... કાળઝાળ ગરમીનો અનુભવ હાલ લોકોને થઈ રહ્યો છે. અસહ્મ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી ગરમીમાં સૌથી વધારે ખરાબ હાલત ટ્રાફિક પોલીસની થતી હોય છે.. ત્યારે ટ્રાફિક પોલીસને ગરમીથી રક્ષણ મળે તે માટે વડોદરા પોલીસ વિભાગ દ્વારા તેમના કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યું છે. આ એસી હેલ્મેટને કારણે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ મળશે... મળતી માહિતી અનુસાર 450 ટ્રાફિક પોલીસ જવાનોને આ હેલ્મેટ આપવામાં આવ્યા છે.. 


પોલીસકર્મીઓને મળશે ગરમીથી રાહત 

મહત્વનું છે કે ગરમીના પારામાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીને કારણે અનેક લોકો ગંભીર રીતે બિમાર પડતા હોય છે...  હિટ સ્ટ્રોકની અસર અનેક લોકો પર જોવા મળતી હોય છે... ત્યારે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે