Vadodara : ગરમીથી ટ્રાફિક પોલીસકર્મીઓને રક્ષણ મળે માટે અપાયા એસી હેલ્મેટ, હેલ્મેટથી મળશે કાળઝાળ ગરમીથી રાહત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-18 14:55:25

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે.. ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેને કારણે લોકો બિમાર પડી રહ્યા છે.. ગરમીથી રક્ષણ મેળવવા માટે આપણે એસીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ પોલીસનું કામ એવું છે કે રસ્તા પર જ તેમને રહેવું પડતું હોય છે.. ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરતા પોલીસ જવાનોની હાલત કફોડી બની જાય છે, ગમે તેટલી ગરમી કેમ ના હોય તેમને પોતાની ફરજ પર હાજર રહેવું પડતું હોય છે.. ત્યારે પોલીસકર્મીને ગરમીથી રક્ષણ મળે તે માટે એક અનોખું હેલ્મેટ વિકસાવામાં આવ્યું છે.. વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 

પોલીસ કર્મીઓને કરવો પડે છે ગરમીનો સામનો 

પોલીસકર્મીની ચર્ચા અનેક વખત થતી હોય છે. તેમની કામગીરી પર અનેક વખત સવાલ પણ થતા હોય છે.. સવાલ ઉઠવા પણ જોઈએ પરંતુ આ બધા વચ્ચે એક વાત એવી પણ છે કે જો રસ્તામાં ટ્રાફિક પોલીસ ના ઉભી હોય તો ટ્રાફિક વ્યવસ્થા નથી સચવાતી..!  જો ટ્રાફિક પોલીસ ના હાજર હોય તો અનેક લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા.. ભલેને ગરમીનો હોય, ઠંડી હોય કે વરસાદ હોય પોલીસને ત્યાં હાજર રહેવું પડે છે જ્યાં તેમની ડ્યુટી હોય છે.. 


એસી હેલ્મેટથી સુસજ્જ કરાયા પોલીસકર્મીઓને 

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે... કાળઝાળ ગરમીનો અનુભવ હાલ લોકોને થઈ રહ્યો છે. અસહ્મ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી ગરમીમાં સૌથી વધારે ખરાબ હાલત ટ્રાફિક પોલીસની થતી હોય છે.. ત્યારે ટ્રાફિક પોલીસને ગરમીથી રક્ષણ મળે તે માટે વડોદરા પોલીસ વિભાગ દ્વારા તેમના કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યું છે. આ એસી હેલ્મેટને કારણે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ મળશે... મળતી માહિતી અનુસાર 450 ટ્રાફિક પોલીસ જવાનોને આ હેલ્મેટ આપવામાં આવ્યા છે.. 


પોલીસકર્મીઓને મળશે ગરમીથી રાહત 

મહત્વનું છે કે ગરમીના પારામાં સતત વધારો થઈ રહ્યો છે. ગરમીને કારણે અનેક લોકો ગંભીર રીતે બિમાર પડતા હોય છે...  હિટ સ્ટ્રોકની અસર અનેક લોકો પર જોવા મળતી હોય છે... ત્યારે પોલીસકર્મીઓને ગરમીથી રક્ષણ મળે તે માટે એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"