Vadodara શહેર ભાજપ પ્રમુખ બોલવામાં ભૂલ્યા ભાન, જાહેર મંચ પરથી કહ્યું કે... સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2024-06-17 18:27:09

આ નેતાઓ જે ચૂંટણી ટાણે તમારા મત લેવા માટે તમને કાલા વાલા કરશે ઓફરો આપશે અને ચૂંટણી પૂર્ણ થશે મત મળી જશે તો તમને એટલે કે જનતાને ભૂલી જશે... આવી ચર્ચા દરેક વખતે થાય છે.... પણ આ વાત આજે સાબિત કરી બતાવી છે ભાજપના નેતાએ..... લોકશાહી માટે શરમજનક નિવેદન આપતા ભાજપના નેતા બોલ્યા કે મત આપશો તો તમારા કામ થશે અને નહી આપો તો નહીં થાય.... 

સાંસદના સન્માન સમારોહમાં નેતાએ આપ્યું ચોંકાવનારૂં નિવેદન

વડોદરા શહેરની રાવપુરા વિધાનસભામાં નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનું એક ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું હતું. નિવેદન આપતા તે જણાવે છે કે, છેલ્લી ત્રણ ચૂંટણીમાં જે બુથમાં થી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહિ ફાળવવી. જેણે મત નથી આપ્યા તેના કામો નહિં કરવા. જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવા. આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો એકબીજાના મોંઢા જોતા રહી ગયા હતા. વડોદરાવાસીઓએ ભાજપના ઉમેદવારને કોર્પોરેશનથી લઇને સાંસદ સુધી તમામ ઉમેદવારોને જવલંત મતોથી વિજયી બનાવ્યા છે. ત્યારે આ નિવેદન અત્યંત ચોંકાવનારૂ છે... 



જનતાના કામ ન કરવા માટે પ્રમુખે સૂચના આપી...!

આ સાથે... લોકસભા સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં વિજય શાહે આ નિવેદન આપ્યું છે. વડોદરાના રાવપુરામાં વર્ષોથી અમુક બૂથ માંથી મતો મળતા નથી તે માટે પાર્ટીએ વિચાર કરવો જોઈએ.... જે જનતાએ ખોબલે ખોબલે મત આપીને ભાજપના ઉમેદવારને વિજેતા બનાવ્યા... એ જ જનતાના કામ ન કરવા માટે પ્રમુખ સૂચના આપી રહ્યાં છે... ભાજપ દ્વારા તો સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સુત્રનો પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેનાથી વિપરીત ભાજપ શહેર પ્રમુખનું નિવેદન સામે આવ્યું.... વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી જંગી 5.82 લાખ મતોથી વિજયી થઇને સાંસદ બન્યા છે. જે ગુજરાતમાં ત્રીજા ક્રમાંકે વધુ મત મેળવનાર સાંસદ બન્યા છે....



જનતાને અધિકાર છે પોતાના ગમચો ઉમેદવાર પસંદ કરવાનો. 

અરે સાહેબ તમે જનપ્રતિનિધિ છો કામ કરવું એ તમારી ફરજ છે... અને જો ન કરવું હોય તો રાજનીતિમાં ન જોડાવું જોઈએ.... જનતાને અધિકાર છે પોતાને ગમતો ઉમેદવાર પસંદ કરવાનો કોને મત આપવો કોને નહીં એ પણ જનતાનો અધિકાર છે... મત નહીં આપો તો કામ નહીં થાય આવું કહીને લોકોને ડરાવવાની રાજનીતિ માટે તમે અહીંયા આવ્યા... લોકશાહીમાં આ પ્રકારના નિવેદન ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે.... રાજ્યની સરકારમાં 13 મંત્રીઓ એવા છે કે જેમને લીડ ઓછી મળી છે તો ત્યાં પણ જનતાએ મત નથી આપ્યાં તો શું એમના માટે વિકાસના કાર્યો નહીં કરો.... તમે જનપ્રતિનિધી થઈને વ્હાલા દવલાની નીતિ કેવી રીતે અપનાવી શકો..... 


જનતાએ જનસેવકોની માનસિકતા ઓળખી પાડી છે..!

સત્તાના નશામાં આવો તો કેવો અહંકાર કે ભાન ભૂલીને બેફામ નિવદેનબાજી કરવાની.... ડૉ. હેમાંગ જોશી નવો ચહેરો વડોદરાની અંદર અને છતાંય લોકોએ તમને ખોબલે ખોબલે મત આપીને જીતાડ્યા.... અને તમે કહો છો કે મત ન આપે તો કામ ન કરવાના.. એટલે જ મુખ્યમંત્રી જ્યારે વડોદરા ગયા ત્યારે તેમને કહેવું પડ્યું હતું કે, વડોદરા વિકાસની દ્રષ્ટિએ પાછળ રહી ગયું.... હવે જનતાએ પણ આવા નેતાઓની માનસિકતાને ઓળખી લેવી પડશે... અરે શહેર પ્રમુખજી તમે તો જનપ્રતિનિધિ છો જનતાના અને શહેરના સમગ્ર વિકાસની જવાબદારી તમારી છે....



ગ્રાન્ટ ક્યાં વાપરવી અને ક્યાં ના વાપરવી તે 

વિકાસને પ્રાથમિકતા આપવાનો માપદંડ મત કેવી રીતે હોય શકે... જે જનતા તમને ખોબલે ખોબલે મત આપે છે તે જ જનતાની આવી રીતે ઉપેક્ષા કેવી રીતે કરી શકો.... પ્રતિનિધી તરીકે ચૂંટાયા છો... પિતાજીની પેઢી નથી કે ગ્રાન્ટ ક્યાં વાપરવી અને ક્યાં ન વાપરવી એ તમે નક્કી કરી શકો.... જો લોકોએ મત નથી આપ્યા તો સમીક્ષા કરો કે કેમ નથી આપ્યા... પણ કામ જ નહીં કરો તો મુશ્કેલી તમારા માટે જ ઉભી થશે.... લોકોથી તમે અળગા થઈ જશો.... 



કેવી રીતે કોઈ પણ જનસેવક આવું નિવેદન આપી શકે? 

મતના ધ્રુવીકરણનું કામ કરશો તો તમારો એ વિસ્તાર, શહેર અને રાજ્યનો વિકાસ પણ રુંધાશે... હેમાંગ જોશીના ભવ્ય વિજયનો આભાર માનતા માનતા વિજય શાહ ભાન ભૂલી ગયા... માનસિક વિકાસ પણ થાય એ જરુરી છે... લોકશાહીમાં આવુ શરમજનક નિવેદન કેમ આપી શકો... અપેક્ષા એ રહેશે કે આવા નિવેદનો આપતા પહેલા નેતાઓ વિચાર કરે.....



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.