Vadodara શહેર ભાજપ પ્રમુખ બોલવામાં ભૂલ્યા ભાન, જાહેર મંચ પરથી કહ્યું કે... સાંભળો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2024-06-17 18:27:09

આ નેતાઓ જે ચૂંટણી ટાણે તમારા મત લેવા માટે તમને કાલા વાલા કરશે ઓફરો આપશે અને ચૂંટણી પૂર્ણ થશે મત મળી જશે તો તમને એટલે કે જનતાને ભૂલી જશે... આવી ચર્ચા દરેક વખતે થાય છે.... પણ આ વાત આજે સાબિત કરી બતાવી છે ભાજપના નેતાએ..... લોકશાહી માટે શરમજનક નિવેદન આપતા ભાજપના નેતા બોલ્યા કે મત આપશો તો તમારા કામ થશે અને નહી આપો તો નહીં થાય.... 

સાંસદના સન્માન સમારોહમાં નેતાએ આપ્યું ચોંકાવનારૂં નિવેદન

વડોદરા શહેરની રાવપુરા વિધાનસભામાં નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશીનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનું એક ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું હતું. નિવેદન આપતા તે જણાવે છે કે, છેલ્લી ત્રણ ચૂંટણીમાં જે બુથમાં થી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ નહિ ફાળવવી. જેણે મત નથી આપ્યા તેના કામો નહિં કરવા. જ્યાંથી વધુ મતો મળ્યા છે ત્યાં જ કામો કરવા. આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો એકબીજાના મોંઢા જોતા રહી ગયા હતા. વડોદરાવાસીઓએ ભાજપના ઉમેદવારને કોર્પોરેશનથી લઇને સાંસદ સુધી તમામ ઉમેદવારોને જવલંત મતોથી વિજયી બનાવ્યા છે. ત્યારે આ નિવેદન અત્યંત ચોંકાવનારૂ છે... 



જનતાના કામ ન કરવા માટે પ્રમુખે સૂચના આપી...!

આ સાથે... લોકસભા સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં વિજય શાહે આ નિવેદન આપ્યું છે. વડોદરાના રાવપુરામાં વર્ષોથી અમુક બૂથ માંથી મતો મળતા નથી તે માટે પાર્ટીએ વિચાર કરવો જોઈએ.... જે જનતાએ ખોબલે ખોબલે મત આપીને ભાજપના ઉમેદવારને વિજેતા બનાવ્યા... એ જ જનતાના કામ ન કરવા માટે પ્રમુખ સૂચના આપી રહ્યાં છે... ભાજપ દ્વારા તો સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસના સુત્રનો પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે તેનાથી વિપરીત ભાજપ શહેર પ્રમુખનું નિવેદન સામે આવ્યું.... વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશી જંગી 5.82 લાખ મતોથી વિજયી થઇને સાંસદ બન્યા છે. જે ગુજરાતમાં ત્રીજા ક્રમાંકે વધુ મત મેળવનાર સાંસદ બન્યા છે....



જનતાને અધિકાર છે પોતાના ગમચો ઉમેદવાર પસંદ કરવાનો. 

અરે સાહેબ તમે જનપ્રતિનિધિ છો કામ કરવું એ તમારી ફરજ છે... અને જો ન કરવું હોય તો રાજનીતિમાં ન જોડાવું જોઈએ.... જનતાને અધિકાર છે પોતાને ગમતો ઉમેદવાર પસંદ કરવાનો કોને મત આપવો કોને નહીં એ પણ જનતાનો અધિકાર છે... મત નહીં આપો તો કામ નહીં થાય આવું કહીને લોકોને ડરાવવાની રાજનીતિ માટે તમે અહીંયા આવ્યા... લોકશાહીમાં આ પ્રકારના નિવેદન ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે.... રાજ્યની સરકારમાં 13 મંત્રીઓ એવા છે કે જેમને લીડ ઓછી મળી છે તો ત્યાં પણ જનતાએ મત નથી આપ્યાં તો શું એમના માટે વિકાસના કાર્યો નહીં કરો.... તમે જનપ્રતિનિધી થઈને વ્હાલા દવલાની નીતિ કેવી રીતે અપનાવી શકો..... 


જનતાએ જનસેવકોની માનસિકતા ઓળખી પાડી છે..!

સત્તાના નશામાં આવો તો કેવો અહંકાર કે ભાન ભૂલીને બેફામ નિવદેનબાજી કરવાની.... ડૉ. હેમાંગ જોશી નવો ચહેરો વડોદરાની અંદર અને છતાંય લોકોએ તમને ખોબલે ખોબલે મત આપીને જીતાડ્યા.... અને તમે કહો છો કે મત ન આપે તો કામ ન કરવાના.. એટલે જ મુખ્યમંત્રી જ્યારે વડોદરા ગયા ત્યારે તેમને કહેવું પડ્યું હતું કે, વડોદરા વિકાસની દ્રષ્ટિએ પાછળ રહી ગયું.... હવે જનતાએ પણ આવા નેતાઓની માનસિકતાને ઓળખી લેવી પડશે... અરે શહેર પ્રમુખજી તમે તો જનપ્રતિનિધિ છો જનતાના અને શહેરના સમગ્ર વિકાસની જવાબદારી તમારી છે....



ગ્રાન્ટ ક્યાં વાપરવી અને ક્યાં ના વાપરવી તે 

વિકાસને પ્રાથમિકતા આપવાનો માપદંડ મત કેવી રીતે હોય શકે... જે જનતા તમને ખોબલે ખોબલે મત આપે છે તે જ જનતાની આવી રીતે ઉપેક્ષા કેવી રીતે કરી શકો.... પ્રતિનિધી તરીકે ચૂંટાયા છો... પિતાજીની પેઢી નથી કે ગ્રાન્ટ ક્યાં વાપરવી અને ક્યાં ન વાપરવી એ તમે નક્કી કરી શકો.... જો લોકોએ મત નથી આપ્યા તો સમીક્ષા કરો કે કેમ નથી આપ્યા... પણ કામ જ નહીં કરો તો મુશ્કેલી તમારા માટે જ ઉભી થશે.... લોકોથી તમે અળગા થઈ જશો.... 



કેવી રીતે કોઈ પણ જનસેવક આવું નિવેદન આપી શકે? 

મતના ધ્રુવીકરણનું કામ કરશો તો તમારો એ વિસ્તાર, શહેર અને રાજ્યનો વિકાસ પણ રુંધાશે... હેમાંગ જોશીના ભવ્ય વિજયનો આભાર માનતા માનતા વિજય શાહ ભાન ભૂલી ગયા... માનસિક વિકાસ પણ થાય એ જરુરી છે... લોકશાહીમાં આવુ શરમજનક નિવેદન કેમ આપી શકો... અપેક્ષા એ રહેશે કે આવા નિવેદનો આપતા પહેલા નેતાઓ વિચાર કરે.....



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.