Vadodara : Congressના નેતાનો Congress સામે જ ઉકળાટ! કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાએ BJPના વખાણ કરતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-12-12 09:32:56

રાજકીય નિષ્ણાત અનેક વખત કહેતા હોય છે કે ભાજપ સ્ટ્રેટર્જિથી આગળ વધે છે. ગમે તે ચૂંટણી કેમ ન હોય તેને જીતવા માટે ભાજપના કાર્યકર્તાઓ એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. પરંતુ કોંગ્રેસ ચૂંટણી આવે છે ત્યારે જાગે છે! ત્યારે થોડા સમય બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ રાજકારણથી જોડાયેલા નવા નવા સમાચાર આવશે અને અવનવા નિવેદનો પણ આવશે. એવું જ એક નિવેદન કોંગ્રેસના નેતાએ આપ્યું છે જેમાં તેમનો ભાજપ પ્રત્યે પ્રેમ છલકાયો છે. 

કોંગ્રેસના નેતાએ કર્યા ભાજપના વખાણ

જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓની વ્યથા, પાર્ટી પ્રત્યેની નારાજગી છલકાઈ જતી હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ભાજપના નેતાઓ એવા નિવેદનો આપતા દેખાય છે. ત્યારે વડોદરાના પાદરામાં આયોજીત એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાએ પાર્ટીને લઈ બળાપો કાઢ્યો .આ કાર્યક્રમમાં અર્જુનસિંહ પઢિયાર સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બન્યું એવું કે, કોંગ્રેસના નેતા ભાજપના વખાણ કરવા લાગ્યા. 

 

સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વ્યક્ત  કરી! 

કોંગ્રેસના સ્નેહમિલનમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં 59 મહિના ખેસ બાજુ જોતા નથી અને કોંગ્રેસ ચૂંટણીના એક મહિના પહેલા ઘરમાંથી ખેસ ધોઈને પહેરે છે. હાલ તો કોંગ્રેસના જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાનો જ ભાજપની વાહવાહી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના સ્નેહમિલન સંમેલનમાં અર્જુનસિંહ પઢિયારનો ભાજપ પ્રેમ છલકાતા કેટલીય ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસના આ નેતાએ ભાજપની ચૂંટણી રણનીતિના પણ વખાણ કર્યા હતા. કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયાર જિલ્લા પંચાયતની વડુ સીટ પરથી સદસ્ય છે. આ સાથે અર્જુનસિંહ અગાઉ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. 

ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી! 

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા કોંગ્રેસે નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી અને ચૂંટણીને લઈ કવાયત શરૂ કરી દીધી છે. આ તરફ ભાજપે પણ લોકસભા ચૂંટણી પહેલા ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની એક બેઠક બોલાવી છે. આ બધાની વચ્ચે વડોદરાના રાજકારણમાં આ વીડિયોએ ચર્ચા જગાવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.