Vadodara : Congressના નેતાનો Congress સામે જ ઉકળાટ! કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાએ BJPના વખાણ કરતા કહ્યું કે....


  • Published By :
  • Published Date : 2023-12-12 09:32:56

રાજકીય નિષ્ણાત અનેક વખત કહેતા હોય છે કે ભાજપ સ્ટ્રેટર્જિથી આગળ વધે છે. ગમે તે ચૂંટણી કેમ ન હોય તેને જીતવા માટે ભાજપના કાર્યકર્તાઓ એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. પરંતુ કોંગ્રેસ ચૂંટણી આવે છે ત્યારે જાગે છે! ત્યારે થોડા સમય બાદ લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ રાજકારણથી જોડાયેલા નવા નવા સમાચાર આવશે અને અવનવા નિવેદનો પણ આવશે. એવું જ એક નિવેદન કોંગ્રેસના નેતાએ આપ્યું છે જેમાં તેમનો ભાજપ પ્રત્યે પ્રેમ છલકાયો છે. 

કોંગ્રેસના નેતાએ કર્યા ભાજપના વખાણ

જાહેર મંચ પરથી અનેક વખત નેતાઓની વ્યથા, પાર્ટી પ્રત્યેની નારાજગી છલકાઈ જતી હોય છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ભાજપના નેતાઓ એવા નિવેદનો આપતા દેખાય છે. ત્યારે વડોદરાના પાદરામાં આયોજીત એક કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાએ પાર્ટીને લઈ બળાપો કાઢ્યો .આ કાર્યક્રમમાં અર્જુનસિંહ પઢિયાર સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન બન્યું એવું કે, કોંગ્રેસના નેતા ભાજપના વખાણ કરવા લાગ્યા. 

 

સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વ્યક્ત  કરી! 

કોંગ્રેસના સ્નેહમિલનમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં 59 મહિના ખેસ બાજુ જોતા નથી અને કોંગ્રેસ ચૂંટણીના એક મહિના પહેલા ઘરમાંથી ખેસ ધોઈને પહેરે છે. હાલ તો કોંગ્રેસના જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાનો જ ભાજપની વાહવાહી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસના સ્નેહમિલન સંમેલનમાં અર્જુનસિંહ પઢિયારનો ભાજપ પ્રેમ છલકાતા કેટલીય ચર્ચાઓ થઇ રહી છે. કોંગ્રેસના આ નેતાએ ભાજપની ચૂંટણી રણનીતિના પણ વખાણ કર્યા હતા. કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયાર જિલ્લા પંચાયતની વડુ સીટ પરથી સદસ્ય છે. આ સાથે અર્જુનસિંહ અગાઉ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. 

ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી! 

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા કોંગ્રેસે નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી અને ચૂંટણીને લઈ કવાયત શરૂ કરી દીધી છે. આ તરફ ભાજપે પણ લોકસભા ચૂંટણી પહેલા ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની એક બેઠક બોલાવી છે. આ બધાની વચ્ચે વડોદરાના રાજકારણમાં આ વીડિયોએ ચર્ચા જગાવી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.