Vadodara : Cool Mums of Baroda કરી રહ્યું છે Exhibition & Kids carnivalનું આયોજન, જાણો ક્યાં અને ક્યારે થવાનું છે Exhibition?


  • Published By :
  • Published Date : 2024-05-25 18:56:51

સ્ત્રીઓ આત્મનિર્ભર બની રહી છે.. મહિલાઓ પોતાની આવડતને, પોતાની કળાને લોકો સમક્ષ રજૂ કરી શકે તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. અનેક વર્ક શોપ યોજાતા હોય છે, exhibition થતા હોય છે. ત્યારે વડોદરામાં Cool Mums of Baroda દ્વારા  exhibition અને  Kids carnivalનું આયોજન કરવામાં આવી રહ્યું છે બીજી જૂન 2024એ.. જેમાં શોપિંગ, ખાવા સહિત વિવિધ પ્રકારના 40 સ્ટોલ હશે ઉપરાંત બાળકો માટે અનેકો એક્ટિવી હશે.. 


Cool Mums of Baroda બિઝનેસ પ્લેટફોર્મ છે જ્યાં.. 

એક સમય હતો જ્યારે મહિલાઓ માત્ર ઘરને સાચવતી હતી.. પરિવારના સભ્યોની દેખરેખ પાછળ પોતાનો સમય ફાળવતી પરંતુ હવે સમય બદલાયો છે... પરંતુ ધીરે ધીરે સમય બદલાયો છે સ્ત્રીઓ ઘરની બહાર નીકળી રહી છે.. સોશિયલ મીડિયાના માધ્યમ પર અનેક ગ્રુપ ચાલતા હોય છે જેમાં મહિલાઓ પોતાની આવડતને રજૂ કરતી હોય છે. અનેક મહિલાઓ બિઝનેસ પણ કરતી હોય છે અને આવા પ્લેટફોર્મ તેમના બિઝનેસને આગળ વધારવામાં પણ મદદ કરતા હોય છે. ત્યારે આવું જ એક ગ્રુપ છે  Cool Mums of Baroda જેના ફાઉન્ડર છે કૃતિ પંડ્યા. 


2 જૂને આ ગ્રુપ દ્વારા કરાયું છે exhibitionનું આયોજન  

Cool Mums of Baroda એક ફેસબુક ઓરિએન્ટેડ ગ્રુપ છે જેમાં 7.5 હજાર જેટલી મહિલાઓ જોડાઈ છે અને પોતાના બિઝનેસને આગળ વધારી રહી છે. ત્યારે આ ગ્રુપે 2 જૂને અલ્કાપુરી ક્લબમાં ચાર વાગે Exhibition & Kids carnivalનું આયોજન કર્યું છે જેમાં 40 જેટલા shopping અને Food Stall હશે ઉપરાંત બાળકો માટે પણ  અનેક એક્ટિવિટી રાખવામાં આવી છે.. આ exhibitionનો ભાગ બનવા માટે  9601440553 પર સંપર્ક કરી શકો છો.. તેમજ આ ગ્રુપમાં મહિલાઓ જોડાઈ શકે છે આ https://www.facebook.com/groups/800121003680642/?ref=share_group_linkથી..   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.