Vadodara : Cool Mums of Baroda કરી રહ્યું છે Exhibition & Kids carnivalનું આયોજન, જાણો ક્યાં અને ક્યારે થવાનું છે Exhibition?


  • Published By :
  • Published Date : 2024-05-25 18:56:51

સ્ત્રીઓ આત્મનિર્ભર બની રહી છે.. મહિલાઓ પોતાની આવડતને, પોતાની કળાને લોકો સમક્ષ રજૂ કરી શકે તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. અનેક વર્ક શોપ યોજાતા હોય છે, exhibition થતા હોય છે. ત્યારે વડોદરામાં Cool Mums of Baroda દ્વારા  exhibition અને  Kids carnivalનું આયોજન કરવામાં આવી રહ્યું છે બીજી જૂન 2024એ.. જેમાં શોપિંગ, ખાવા સહિત વિવિધ પ્રકારના 40 સ્ટોલ હશે ઉપરાંત બાળકો માટે અનેકો એક્ટિવી હશે.. 


Cool Mums of Baroda બિઝનેસ પ્લેટફોર્મ છે જ્યાં.. 

એક સમય હતો જ્યારે મહિલાઓ માત્ર ઘરને સાચવતી હતી.. પરિવારના સભ્યોની દેખરેખ પાછળ પોતાનો સમય ફાળવતી પરંતુ હવે સમય બદલાયો છે... પરંતુ ધીરે ધીરે સમય બદલાયો છે સ્ત્રીઓ ઘરની બહાર નીકળી રહી છે.. સોશિયલ મીડિયાના માધ્યમ પર અનેક ગ્રુપ ચાલતા હોય છે જેમાં મહિલાઓ પોતાની આવડતને રજૂ કરતી હોય છે. અનેક મહિલાઓ બિઝનેસ પણ કરતી હોય છે અને આવા પ્લેટફોર્મ તેમના બિઝનેસને આગળ વધારવામાં પણ મદદ કરતા હોય છે. ત્યારે આવું જ એક ગ્રુપ છે  Cool Mums of Baroda જેના ફાઉન્ડર છે કૃતિ પંડ્યા. 


2 જૂને આ ગ્રુપ દ્વારા કરાયું છે exhibitionનું આયોજન  

Cool Mums of Baroda એક ફેસબુક ઓરિએન્ટેડ ગ્રુપ છે જેમાં 7.5 હજાર જેટલી મહિલાઓ જોડાઈ છે અને પોતાના બિઝનેસને આગળ વધારી રહી છે. ત્યારે આ ગ્રુપે 2 જૂને અલ્કાપુરી ક્લબમાં ચાર વાગે Exhibition & Kids carnivalનું આયોજન કર્યું છે જેમાં 40 જેટલા shopping અને Food Stall હશે ઉપરાંત બાળકો માટે પણ  અનેક એક્ટિવિટી રાખવામાં આવી છે.. આ exhibitionનો ભાગ બનવા માટે  9601440553 પર સંપર્ક કરી શકો છો.. તેમજ આ ગ્રુપમાં મહિલાઓ જોડાઈ શકે છે આ https://www.facebook.com/groups/800121003680642/?ref=share_group_linkથી..   



મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.

નાયબ કલેકટર એચ ટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટેલોમાં જ્યાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તેમની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે , આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી છે. આ પછી આ હોટેલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે અને હવે આ હોટેલોને સીલ કરી દેવામાં આવી છે.