Vadodara : Cool Mums of Baroda કરી રહ્યું છે Exhibition & Kids carnivalનું આયોજન, જાણો ક્યાં અને ક્યારે થવાનું છે Exhibition?


  • Published By :
  • Published Date : 2024-05-25 18:56:51

સ્ત્રીઓ આત્મનિર્ભર બની રહી છે.. મહિલાઓ પોતાની આવડતને, પોતાની કળાને લોકો સમક્ષ રજૂ કરી શકે તે માટે અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. અનેક વર્ક શોપ યોજાતા હોય છે, exhibition થતા હોય છે. ત્યારે વડોદરામાં Cool Mums of Baroda દ્વારા  exhibition અને  Kids carnivalનું આયોજન કરવામાં આવી રહ્યું છે બીજી જૂન 2024એ.. જેમાં શોપિંગ, ખાવા સહિત વિવિધ પ્રકારના 40 સ્ટોલ હશે ઉપરાંત બાળકો માટે અનેકો એક્ટિવી હશે.. 


Cool Mums of Baroda બિઝનેસ પ્લેટફોર્મ છે જ્યાં.. 

એક સમય હતો જ્યારે મહિલાઓ માત્ર ઘરને સાચવતી હતી.. પરિવારના સભ્યોની દેખરેખ પાછળ પોતાનો સમય ફાળવતી પરંતુ હવે સમય બદલાયો છે... પરંતુ ધીરે ધીરે સમય બદલાયો છે સ્ત્રીઓ ઘરની બહાર નીકળી રહી છે.. સોશિયલ મીડિયાના માધ્યમ પર અનેક ગ્રુપ ચાલતા હોય છે જેમાં મહિલાઓ પોતાની આવડતને રજૂ કરતી હોય છે. અનેક મહિલાઓ બિઝનેસ પણ કરતી હોય છે અને આવા પ્લેટફોર્મ તેમના બિઝનેસને આગળ વધારવામાં પણ મદદ કરતા હોય છે. ત્યારે આવું જ એક ગ્રુપ છે  Cool Mums of Baroda જેના ફાઉન્ડર છે કૃતિ પંડ્યા. 


2 જૂને આ ગ્રુપ દ્વારા કરાયું છે exhibitionનું આયોજન  

Cool Mums of Baroda એક ફેસબુક ઓરિએન્ટેડ ગ્રુપ છે જેમાં 7.5 હજાર જેટલી મહિલાઓ જોડાઈ છે અને પોતાના બિઝનેસને આગળ વધારી રહી છે. ત્યારે આ ગ્રુપે 2 જૂને અલ્કાપુરી ક્લબમાં ચાર વાગે Exhibition & Kids carnivalનું આયોજન કર્યું છે જેમાં 40 જેટલા shopping અને Food Stall હશે ઉપરાંત બાળકો માટે પણ  અનેક એક્ટિવિટી રાખવામાં આવી છે.. આ exhibitionનો ભાગ બનવા માટે  9601440553 પર સંપર્ક કરી શકો છો.. તેમજ આ ગ્રુપમાં મહિલાઓ જોડાઈ શકે છે આ https://www.facebook.com/groups/800121003680642/?ref=share_group_linkથી..   



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.