Vadodara : સુનાવણી દરમિયાન વકીલને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-23 14:39:24

રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી પ્રતિદિન સરેરાશ બેથી ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે આજે પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. રાજકોટથી પણ હાર્ટ એટેકનો કિસ્સો આવ્યો હતો ઉપરાંત વડોદરામાં પણ એક વકીલનું મોત કોર્ટરૂમમાં હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર જે વકીલનું મોત થયું છે તેમનું નામ જગદીશ જાદવ છે. કોર્ટ રૂમમાં હાર્ટ એટેક આવતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સુનાવણી દરમિયાન તે અચાનક ઢળી પડ્યા, સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું.

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

53 વર્ષીય વકીલનું થયું હાર્ટ એટેકને કારણે મોત

યુવાનોમાં ,વિદ્યાર્થીઓમાં જે પ્રમાણે હાર્ટ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે તે ચિંતાજનક છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો આ આંકડો સતત વધી રહ્યો છે. પ્રતિદિન કોઈનું મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવી માહિતી સામે આવતી હોય છે. ત્યારે આજે પણ હાર્ટ એટેકને કારણે વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું છે તેવી વાત સામે આવી છે. કોર્ટ રૂમમાં કેસની સુનાવણી દરમિયાન સિનિયર વકીલ અચાનક ઢળી પડ્યા. 53 વર્ષના વકીલ જગદીશભાઈ ભિખાજીરાવ જાધવ કોર્ટરૂમમાં પોતાના કેસની દલીલો કરી રહ્યા હતા ત્યારે તેમને બેચેનીનો અનુભવ થયો. 


સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેની પહેલા થઈ ગયું મોત 

બેચેનીનો અનુભવ થયા બાદ તે ઢળી પડ્યા. સારવાર મળી રહે તે માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ લઈ જતા ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે વકીલનું મોત થયું હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વકીલનું મોત થવાને કારણે શોકમાં તેમજ વકીલ મંડળમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. એવું માનવામાં આવતું હતું કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. પરંતુ હવે આ ચર્ચા પર આઈસીએમઆરે પૂર્ણવિરામ મૂકી દીધું છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.