Vadodara : સુનાવણી દરમિયાન વકીલને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-23 14:39:24

રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી પ્રતિદિન સરેરાશ બેથી ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે આજે પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. રાજકોટથી પણ હાર્ટ એટેકનો કિસ્સો આવ્યો હતો ઉપરાંત વડોદરામાં પણ એક વકીલનું મોત કોર્ટરૂમમાં હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર જે વકીલનું મોત થયું છે તેમનું નામ જગદીશ જાદવ છે. કોર્ટ રૂમમાં હાર્ટ એટેક આવતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સુનાવણી દરમિયાન તે અચાનક ઢળી પડ્યા, સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું.

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

53 વર્ષીય વકીલનું થયું હાર્ટ એટેકને કારણે મોત

યુવાનોમાં ,વિદ્યાર્થીઓમાં જે પ્રમાણે હાર્ટ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે તે ચિંતાજનક છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો આ આંકડો સતત વધી રહ્યો છે. પ્રતિદિન કોઈનું મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવી માહિતી સામે આવતી હોય છે. ત્યારે આજે પણ હાર્ટ એટેકને કારણે વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું છે તેવી વાત સામે આવી છે. કોર્ટ રૂમમાં કેસની સુનાવણી દરમિયાન સિનિયર વકીલ અચાનક ઢળી પડ્યા. 53 વર્ષના વકીલ જગદીશભાઈ ભિખાજીરાવ જાધવ કોર્ટરૂમમાં પોતાના કેસની દલીલો કરી રહ્યા હતા ત્યારે તેમને બેચેનીનો અનુભવ થયો. 


સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેની પહેલા થઈ ગયું મોત 

બેચેનીનો અનુભવ થયા બાદ તે ઢળી પડ્યા. સારવાર મળી રહે તે માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ લઈ જતા ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે વકીલનું મોત થયું હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વકીલનું મોત થવાને કારણે શોકમાં તેમજ વકીલ મંડળમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. એવું માનવામાં આવતું હતું કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. પરંતુ હવે આ ચર્ચા પર આઈસીએમઆરે પૂર્ણવિરામ મૂકી દીધું છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી