Vadodara : સુનાવણી દરમિયાન વકીલને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-23 14:39:24

રાજ્યમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી પ્રતિદિન સરેરાશ બેથી ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે આજે પણ હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા છે. રાજકોટથી પણ હાર્ટ એટેકનો કિસ્સો આવ્યો હતો ઉપરાંત વડોદરામાં પણ એક વકીલનું મોત કોર્ટરૂમમાં હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર જે વકીલનું મોત થયું છે તેમનું નામ જગદીશ જાદવ છે. કોર્ટ રૂમમાં હાર્ટ એટેક આવતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સુનાવણી દરમિયાન તે અચાનક ઢળી પડ્યા, સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું.

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs

53 વર્ષીય વકીલનું થયું હાર્ટ એટેકને કારણે મોત

યુવાનોમાં ,વિદ્યાર્થીઓમાં જે પ્રમાણે હાર્ટ એટેકના કિસ્સાઓ બની રહ્યા છે તે ચિંતાજનક છે. અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો આ આંકડો સતત વધી રહ્યો છે. પ્રતિદિન કોઈનું મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે તેવી માહિતી સામે આવતી હોય છે. ત્યારે આજે પણ હાર્ટ એટેકને કારણે વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું છે તેવી વાત સામે આવી છે. કોર્ટ રૂમમાં કેસની સુનાવણી દરમિયાન સિનિયર વકીલ અચાનક ઢળી પડ્યા. 53 વર્ષના વકીલ જગદીશભાઈ ભિખાજીરાવ જાધવ કોર્ટરૂમમાં પોતાના કેસની દલીલો કરી રહ્યા હતા ત્યારે તેમને બેચેનીનો અનુભવ થયો. 


સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા પરંતુ તેની પહેલા થઈ ગયું મોત 

બેચેનીનો અનુભવ થયા બાદ તે ઢળી પડ્યા. સારવાર મળી રહે તે માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હોસ્પિટલ લઈ જતા ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે વકીલનું મોત થયું હોઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વકીલનું મોત થવાને કારણે શોકમાં તેમજ વકીલ મંડળમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. એવું માનવામાં આવતું હતું કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. પરંતુ હવે આ ચર્ચા પર આઈસીએમઆરે પૂર્ણવિરામ મૂકી દીધું છે.   



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.