વડોદરાનો નાયબ મામલતદાર ACBના છટકામાં ઝડપાયો, રૂ.25 હજારની માગી હતી લાંચ


  • Published By :
  • Published Date : 2023-06-06 22:01:56

રાજ્યમાં લાંચીયા અધિકારીઓને પકડવા માટે ACB છટકું ગોઠવતી હોય છે. આવી જ એક ટ્રેપમાં વડોદરાના નાયબ મામલતદાર કેતન શાહને ભરૂચ ACBએ ઝડપી લીધો છે. નાયબ મામતલતદાર કેતન શાહે રૂ.25 હજારની લાંચ લીધી હતી. ફરિયાદીની મિલકત સીલ ના કરવા બદલ લાંચ માગવામાં આવી હતી. ફરિયાદીએ પોતાની મિલકત સીલ ન કરવા અને લોનના પૈસા ચૂકવવા બે મહિનાની મુદત માગી હતી. પરંતુ ફરિયાદીની મિલકત સીલ કરી દેવાની ધમકી આપીને તેની પાસે લાંચ માગવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે વડોદરા ACB ઊંઘતી રહી અને ભરૂચ ACBએ  ખેલ પાડ્યો હતો.


ACBએ કેતન શાહને રંગે હાથ ઝડપ્યો


ફરિયાદીએ સમગ્ર મામલે ભરૂચ ACBમાં ફરિયાદ કરી હતી. ભરૂચ ACBએ નાયબ મામલતદાર કેતન શાહને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. સીટી મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ સફળ થઈ છે. ભરૂચ ACBએ ભરૂચ ACBએ કેતન શાહને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આરોપીનું નામ કેતનકુમાર હસમુખલાલ શાહ છે. હોદ્દો- વર્ગ-3- સર્કલ ઓફીસર(નાયબ મામલતદાર) છે. ગુનાનું સ્થળ સર્કલ ઓફીસરની કેબીન, મામલતદારની કચેરી, વડોદરા હતું. 


25000ની લાંચની માંગી હતી


ફરિયાદીએ 2016માં  એસ.બી.આઇ. બેંક માંથી  રૂ.16,50,000 ની હોમ લોન લીધી હતી. જે લોનના હપ્તા લોકડાઉન દરમિયાન તેઓથી ભરી શકાયેલ નહી. જેથી એસ.બી.આઇ. બેંક દ્વારા વડોદરા જિલ્લાના કલેક્ટરની કોર્ટમાં No.EC/secu.order/Case No.164-2021/2022થી કેસ દાખલ કરેલ. જે કેસ ચાલી જતા કલેક્ટર વડોદરાએ મામલતદાર  વડોદરા શહેર(પુર્વ)ને ફરીયાદીના મકાનનો કબજો લેવા/સીલ કરવાનો હુકમ કરેલ. જે અન્વયે મામલતદાર વડોદરા શહેર (પુર્વ)એ ફરીયાદીને તેઓના મકાનનો કબ્જો એસ.બી.આઇ. બેંકના અધિકૃત અધિકારીને સોંપવામાં આવશે તેવી નોટીસ કાઢતા ફરીયાદીએ મામલતદાર વડોદરા શહેર(પુર્વ) તથા આ કામના આરોપીને રૂબરૂ મળી નોટીસમાં જણાવ્યા મુજબની તારીખથી બે માસ માટેની મુદત વધારવા માટે અરજી આપવા ગયેલ જે અરજી સ્વીકારેલ નહી. જેથી ફરીયાદીએ વારંવાર તેઓને આજીજી કરી વિનંતી કરતા તેઓએ ફરીયદીની વાત સ્વીકારેલ. પરંતુ મુદત વધારવા માટે તેઓ પાસે રૂ.25000 ની લાંચની માંગણી કરી હતી. જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.