વડોદરાનો નાયબ મામલતદાર ACBના છટકામાં ઝડપાયો, રૂ.25 હજારની માગી હતી લાંચ


  • Published By :
  • Published Date : 2023-06-06 22:01:56

રાજ્યમાં લાંચીયા અધિકારીઓને પકડવા માટે ACB છટકું ગોઠવતી હોય છે. આવી જ એક ટ્રેપમાં વડોદરાના નાયબ મામલતદાર કેતન શાહને ભરૂચ ACBએ ઝડપી લીધો છે. નાયબ મામતલતદાર કેતન શાહે રૂ.25 હજારની લાંચ લીધી હતી. ફરિયાદીની મિલકત સીલ ના કરવા બદલ લાંચ માગવામાં આવી હતી. ફરિયાદીએ પોતાની મિલકત સીલ ન કરવા અને લોનના પૈસા ચૂકવવા બે મહિનાની મુદત માગી હતી. પરંતુ ફરિયાદીની મિલકત સીલ કરી દેવાની ધમકી આપીને તેની પાસે લાંચ માગવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે વડોદરા ACB ઊંઘતી રહી અને ભરૂચ ACBએ  ખેલ પાડ્યો હતો.


ACBએ કેતન શાહને રંગે હાથ ઝડપ્યો


ફરિયાદીએ સમગ્ર મામલે ભરૂચ ACBમાં ફરિયાદ કરી હતી. ભરૂચ ACBએ નાયબ મામલતદાર કેતન શાહને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. સીટી મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ સફળ થઈ છે. ભરૂચ ACBએ ભરૂચ ACBએ કેતન શાહને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આરોપીનું નામ કેતનકુમાર હસમુખલાલ શાહ છે. હોદ્દો- વર્ગ-3- સર્કલ ઓફીસર(નાયબ મામલતદાર) છે. ગુનાનું સ્થળ સર્કલ ઓફીસરની કેબીન, મામલતદારની કચેરી, વડોદરા હતું. 


25000ની લાંચની માંગી હતી


ફરિયાદીએ 2016માં  એસ.બી.આઇ. બેંક માંથી  રૂ.16,50,000 ની હોમ લોન લીધી હતી. જે લોનના હપ્તા લોકડાઉન દરમિયાન તેઓથી ભરી શકાયેલ નહી. જેથી એસ.બી.આઇ. બેંક દ્વારા વડોદરા જિલ્લાના કલેક્ટરની કોર્ટમાં No.EC/secu.order/Case No.164-2021/2022થી કેસ દાખલ કરેલ. જે કેસ ચાલી જતા કલેક્ટર વડોદરાએ મામલતદાર  વડોદરા શહેર(પુર્વ)ને ફરીયાદીના મકાનનો કબજો લેવા/સીલ કરવાનો હુકમ કરેલ. જે અન્વયે મામલતદાર વડોદરા શહેર (પુર્વ)એ ફરીયાદીને તેઓના મકાનનો કબ્જો એસ.બી.આઇ. બેંકના અધિકૃત અધિકારીને સોંપવામાં આવશે તેવી નોટીસ કાઢતા ફરીયાદીએ મામલતદાર વડોદરા શહેર(પુર્વ) તથા આ કામના આરોપીને રૂબરૂ મળી નોટીસમાં જણાવ્યા મુજબની તારીખથી બે માસ માટેની મુદત વધારવા માટે અરજી આપવા ગયેલ જે અરજી સ્વીકારેલ નહી. જેથી ફરીયાદીએ વારંવાર તેઓને આજીજી કરી વિનંતી કરતા તેઓએ ફરીયદીની વાત સ્વીકારેલ. પરંતુ મુદત વધારવા માટે તેઓ પાસે રૂ.25000 ની લાંચની માંગણી કરી હતી. જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.