Vadodara હરણી લેક દુર્ઘટના: મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, જાણો આ મામલે શું આવી નવી અપડેટ?


  • Published By :
  • Published Date : 2024-01-25 13:58:24

વડોદરા હરણી તળાવમાં બનેલી દુર્ઘટના ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે.. જેમાં 14 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ કેસમાં પોલીસ તો પોતાની કામગીરી કરી રહી છે.વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો આરોપી બિનીત કોટિયા બે દિવસ પહેલા ઝડપાયો હતો. SITએ આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરી હતી. બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 9 આરોપી ઝડપાયા છે.

કોંગ્રેસના કાર્યકરે બિનીત કોટિયા પર ફેંકી સ્યાહી!

અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાનાં મુખ્ય આરોપી પરેશ શાહ પણ તાજેતરમાં જ પોલીસના હાથે ઝડપાયો છે. કોર્ટમાંથી પોલીસે આ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જો બિનિત કોટિયાની વાત કરીયે તો આ બોટ પ્રોજેક્ટમાં 5% હિસ્સેદારી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બિનિત કોટિયા કોર્ટમાંથી બહાર જઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસનાં કાર્યકરે તેના પર શાહી ફેંકીને રોષ ઠાલવ્યો હતો. જો કે શાહી ફેંકનારાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


મિકેનિકલ બોટ ચલાવવાની આપવામાં આવી ન હતી મંજૂરી!

વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસમાં ગંભીર બેદરકારીનો ખુલાસો થયો છે. કોટિયા પ્રોજેક્ટ મંજૂરી વગર જ મિકેનિકલ બોટ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. VMCએ પેડલ બોટ ચલાવવા મંજૂરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પેડલ બોટની મંજૂરી હોવા છતા કોટિયા પ્રોજેક્ટ દ્વારા મિકેનિકલ બોટ ચલાવવામાં આવતી હતી. પોલીસે વધુ તપાસ માટે VMC અને કંપની વચ્ચે થયેલા મૂળ કરારની કોપીની માગ કરી છે. કરારમાં લાઈફ સેવિંગ જેકેટ, સર્વેલન્સ અને સિક્યોરિટીની સુવિધાનો નિયમ હોવા છતા સુરક્ષાની કોઈ સુવિધા કરવામાં આવી ન હતી. આ બોટકાંડનો મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો છે, વકીલને મળવા વડોદરા આવ્યો ને પકડી લીધાનો પોલીસનો દાવો કરાઈ રહ્યો છે. 


પરેશ શાહ આવ્યો પોલીસના સકંજામાં!

આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ મુખ્ય આરોપી પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો.. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જોકે, વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો તેવો પોલીસે દાવો કર્યો છે. આરોપી બિનીત કોટિયાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેના પર કોંગ્રેસ કાર્યકર દ્વારા શાહી ફેંકવામાં આવી છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે