Vadodara હરણી લેક દુર્ઘટના: મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, જાણો આ મામલે શું આવી નવી અપડેટ?


  • Published By :
  • Published Date : 2024-01-25 13:58:24

વડોદરા હરણી તળાવમાં બનેલી દુર્ઘટના ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે.. જેમાં 14 માસૂમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આ કેસમાં પોલીસ તો પોતાની કામગીરી કરી રહી છે.વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાનો આરોપી બિનીત કોટિયા બે દિવસ પહેલા ઝડપાયો હતો. SITએ આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરી હતી. બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 9 આરોપી ઝડપાયા છે.

કોંગ્રેસના કાર્યકરે બિનીત કોટિયા પર ફેંકી સ્યાહી!

અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટનાનાં મુખ્ય આરોપી પરેશ શાહ પણ તાજેતરમાં જ પોલીસના હાથે ઝડપાયો છે. કોર્ટમાંથી પોલીસે આ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. જો બિનિત કોટિયાની વાત કરીયે તો આ બોટ પ્રોજેક્ટમાં 5% હિસ્સેદારી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બિનિત કોટિયા કોર્ટમાંથી બહાર જઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસનાં કાર્યકરે તેના પર શાહી ફેંકીને રોષ ઠાલવ્યો હતો. જો કે શાહી ફેંકનારાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


મિકેનિકલ બોટ ચલાવવાની આપવામાં આવી ન હતી મંજૂરી!

વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસમાં ગંભીર બેદરકારીનો ખુલાસો થયો છે. કોટિયા પ્રોજેક્ટ મંજૂરી વગર જ મિકેનિકલ બોટ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. VMCએ પેડલ બોટ ચલાવવા મંજૂરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પેડલ બોટની મંજૂરી હોવા છતા કોટિયા પ્રોજેક્ટ દ્વારા મિકેનિકલ બોટ ચલાવવામાં આવતી હતી. પોલીસે વધુ તપાસ માટે VMC અને કંપની વચ્ચે થયેલા મૂળ કરારની કોપીની માગ કરી છે. કરારમાં લાઈફ સેવિંગ જેકેટ, સર્વેલન્સ અને સિક્યોરિટીની સુવિધાનો નિયમ હોવા છતા સુરક્ષાની કોઈ સુવિધા કરવામાં આવી ન હતી. આ બોટકાંડનો મુખ્ય આરોપી પરેશ શાહ ઝડપાયો છે, વકીલને મળવા વડોદરા આવ્યો ને પકડી લીધાનો પોલીસનો દાવો કરાઈ રહ્યો છે. 


પરેશ શાહ આવ્યો પોલીસના સકંજામાં!

આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ મુખ્ય આરોપી પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો.. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જોકે, વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો તેવો પોલીસે દાવો કર્યો છે. આરોપી બિનીત કોટિયાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેના પર કોંગ્રેસ કાર્યકર દ્વારા શાહી ફેંકવામાં આવી છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.