વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ Leadership and Change Managementનો કોર્સ કર્યો પૂર્ણ, જાણો કોર્સની શું છે વિશેષતા?


  • Published By :
  • Published Date : 2024-06-01 15:23:22

વડોદરા લોકસભા બેઠકના યુવા તેમજ શિક્ષિત ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ દેશની સર્વોત્તમ મેનેજમેન્ટ સંસ્થા IIM Ahmedabadમાંથી Leadership and Change Managementનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.. આઈઆઈએમને મેનેજમન્ટ માટેની શ્રેષ્ઠ સંસ્થા માનવામાં આવે છે.. આઈઆઈએ દ્વારા વિવિધ કોર્સ ચલાવવામાં આવતા હોય છે.. ડો. હેમાંગ જોષી દ્વારા  IIM Ahmedabad અંતર્ગત બીજો કોર્સ પુર્ણ કરવામાં આવ્યો છે.. 

IIM દ્વારા લીડરશિપ અને ચેન્જ મેનેજમેન્ટનો કોર્સ કરાયો શરૂ

જે કોર્સનો તેમણે અભ્યાસ કર્યો તે તે અભ્યાસ અંતર્ગત નેતૃત્વની સંરચના, નેતૃત્વ ના પ્રકારો, ઈમોશનલ ઈંટેલિજેન્સ, નેગોશિએશન, ઓર્ગેનાઈઝેશન કલ્ચર, ઓર્ગેનાઈઝેશન બિહેવિયર, મેનેજીંગ ચેંજ, વર્કિંગ વિથ ગ્રુપ તથા અન્ય ઘણા મહત્વપુર્ણ કેસ સ્ટડીઝ વિશે ભણાવવામાં આવતું હોય છે... IIM અમદાવાદ દ્વારા ચલાવવામાં કરવામાં આવતો લીડરશિપ અને ચેન્જ મેનેજમેન્ટ પરનો એગ્ઝિક્યુટિવ એજ્યુકેશન કોર્સને પરિપૂર્ણ નેતાઓ અને મેનેજર્સ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે. 

કોણ કોણ આ કોર્સમાં જોડાઈ શકે છે? 

જો કોર્સના વિગતોની વાત કરીએ તો આ કોર્સને ખાસ કરીને ઉચ્ચ સ્તરીય મેનજર્સ માટે તેમજ નેતાઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેમને પોતાની સંસ્થામાં, સંગઠનમાં ફેરફાર લાવવાની ઈચ્છા હોય. પરિવર્તન લાવવાની તેમજ નેતૃત્વ કૌશલ્યને વધારવાની ઈચ્છા હોય.. જો શિક્ષણ પદ્ધતિની વાત કરીએ તો કોર્સમાં વર્કશોપ્સ, ઇન્ટરેક્ટિવ સેશન્સ, અને પ્રેક્ટિકલ કેઈસ સ્ટડીઝનો સમાવેશ થાય છે.  



શું છે આ કોર્સના પ્રમુખ વિષયો? 

આના પ્રમુખ વિષયો હોય છે લીડરશીપ ડેવલપમેન્ટ.. આ અંતર્ગત નેતૃત્વના વિવિધ પ્રકાર તેમજ તેના અભિગમ પર જોર આપવામાં આવે છે.. તે સિવાય બીજું છે ચેન્જ મેનેજમેન્ટ જેમાં સંસ્થામાં પરિવર્તન લાવવાની વ્યૂહરચના તેમજ તેનું અમલ કેવી રીતે કરવું, તેની પ્રક્રિયા શીખવાડવામાં આવે છે. તે સિવાય સંકટ વ્યવસ્થાપન અંગે પણ ભણાવવામાં આવે છે જેમાં  પડકારો અને સંકટોનો સામનો કેવી રીતે કરવો, તે  માટેની કૌશલ્ય અને વ્યૂહરચના બતાવવામાં આવે છે. તે સિવાય નેટવર્કિંગ જેમાં અન્ય વ્યવસાયિક નેતાઓ અને મેનેજર્સ સાથે કેવી રીતે સંપર્ક વધારવો તેની ભણાવવામાં આવે છે.


આશા રાખીએ ઉમેદવાર લેવામાં આવેલી તાલીમ લોકોને ઉપયોગી સાબિત થાય.. 

પ્રમુખ લાક્ષણિકતાઓની વાત કરીએ તો તેમાં અનુભવી પ્રોફેસરો તેમજ ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તે સિવાય કમ્પ્રેહેન્સિવ લર્નિંગ એટલે કે પ્રેક્ટિકલ એપ્રોચ અને રીઅલ-વર્લ્ડ એપ્લિકેશન પર ભાર મૂકવામાં આવે છે.  કોર્સ પૂરો કર્યા પછી, ભાગ લેનારાઓને IIM Ahmedabadના વિશાળ અલુમ્ની નેટવર્કનો ફાયદો પણ થાય છે. મહત્વનું છે કે આ કોર્સ પૂર્ણ કર્યા બાદ આ કોર્સની તાલીમ લેનારા પોતાના સંગઠનને વધુ સક્ષમ અને સ્પર્ધાત્મક બનાવવા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન મેળવી શકે. આ અભ્યાસ ક્રમની અંદર ડો. હેમાંગ જોષી સાથે અન્ય ૮૮ ચયન કરાયેલા સરકારી સંસ્થાના ઉચ્ચ અધિકારી, પ્રાઈવેટ સંસ્થાઓના MD, CEO, CHRO, VP સ્તરના અધિકારી સહાધ્યાયી તરીકે જોડાયા હતા. મહત્વનું છે કે ડો. હેમાંગ જોશીએ આ કોર્સની તાલીમ એવા સમયે પૂર્ણ કરી છે જ્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે.. આશા રાખીએ કે ભાજપના ઉમેદવાર દ્વારા લેવામાં આવેલી આ તાલીમ લોકોને ઉપયોગી થાય..       




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.