વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ Leadership and Change Managementનો કોર્સ કર્યો પૂર્ણ, જાણો કોર્સની શું છે વિશેષતા?


  • Published By :
  • Published Date : 2024-06-01 15:23:22

વડોદરા લોકસભા બેઠકના યુવા તેમજ શિક્ષિત ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ દેશની સર્વોત્તમ મેનેજમેન્ટ સંસ્થા IIM Ahmedabadમાંથી Leadership and Change Managementનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.. આઈઆઈએમને મેનેજમન્ટ માટેની શ્રેષ્ઠ સંસ્થા માનવામાં આવે છે.. આઈઆઈએ દ્વારા વિવિધ કોર્સ ચલાવવામાં આવતા હોય છે.. ડો. હેમાંગ જોષી દ્વારા  IIM Ahmedabad અંતર્ગત બીજો કોર્સ પુર્ણ કરવામાં આવ્યો છે.. 

IIM દ્વારા લીડરશિપ અને ચેન્જ મેનેજમેન્ટનો કોર્સ કરાયો શરૂ

જે કોર્સનો તેમણે અભ્યાસ કર્યો તે તે અભ્યાસ અંતર્ગત નેતૃત્વની સંરચના, નેતૃત્વ ના પ્રકારો, ઈમોશનલ ઈંટેલિજેન્સ, નેગોશિએશન, ઓર્ગેનાઈઝેશન કલ્ચર, ઓર્ગેનાઈઝેશન બિહેવિયર, મેનેજીંગ ચેંજ, વર્કિંગ વિથ ગ્રુપ તથા અન્ય ઘણા મહત્વપુર્ણ કેસ સ્ટડીઝ વિશે ભણાવવામાં આવતું હોય છે... IIM અમદાવાદ દ્વારા ચલાવવામાં કરવામાં આવતો લીડરશિપ અને ચેન્જ મેનેજમેન્ટ પરનો એગ્ઝિક્યુટિવ એજ્યુકેશન કોર્સને પરિપૂર્ણ નેતાઓ અને મેનેજર્સ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે. 

કોણ કોણ આ કોર્સમાં જોડાઈ શકે છે? 

જો કોર્સના વિગતોની વાત કરીએ તો આ કોર્સને ખાસ કરીને ઉચ્ચ સ્તરીય મેનજર્સ માટે તેમજ નેતાઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેમને પોતાની સંસ્થામાં, સંગઠનમાં ફેરફાર લાવવાની ઈચ્છા હોય. પરિવર્તન લાવવાની તેમજ નેતૃત્વ કૌશલ્યને વધારવાની ઈચ્છા હોય.. જો શિક્ષણ પદ્ધતિની વાત કરીએ તો કોર્સમાં વર્કશોપ્સ, ઇન્ટરેક્ટિવ સેશન્સ, અને પ્રેક્ટિકલ કેઈસ સ્ટડીઝનો સમાવેશ થાય છે.  



શું છે આ કોર્સના પ્રમુખ વિષયો? 

આના પ્રમુખ વિષયો હોય છે લીડરશીપ ડેવલપમેન્ટ.. આ અંતર્ગત નેતૃત્વના વિવિધ પ્રકાર તેમજ તેના અભિગમ પર જોર આપવામાં આવે છે.. તે સિવાય બીજું છે ચેન્જ મેનેજમેન્ટ જેમાં સંસ્થામાં પરિવર્તન લાવવાની વ્યૂહરચના તેમજ તેનું અમલ કેવી રીતે કરવું, તેની પ્રક્રિયા શીખવાડવામાં આવે છે. તે સિવાય સંકટ વ્યવસ્થાપન અંગે પણ ભણાવવામાં આવે છે જેમાં  પડકારો અને સંકટોનો સામનો કેવી રીતે કરવો, તે  માટેની કૌશલ્ય અને વ્યૂહરચના બતાવવામાં આવે છે. તે સિવાય નેટવર્કિંગ જેમાં અન્ય વ્યવસાયિક નેતાઓ અને મેનેજર્સ સાથે કેવી રીતે સંપર્ક વધારવો તેની ભણાવવામાં આવે છે.


આશા રાખીએ ઉમેદવાર લેવામાં આવેલી તાલીમ લોકોને ઉપયોગી સાબિત થાય.. 

પ્રમુખ લાક્ષણિકતાઓની વાત કરીએ તો તેમાં અનુભવી પ્રોફેસરો તેમજ ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તે સિવાય કમ્પ્રેહેન્સિવ લર્નિંગ એટલે કે પ્રેક્ટિકલ એપ્રોચ અને રીઅલ-વર્લ્ડ એપ્લિકેશન પર ભાર મૂકવામાં આવે છે.  કોર્સ પૂરો કર્યા પછી, ભાગ લેનારાઓને IIM Ahmedabadના વિશાળ અલુમ્ની નેટવર્કનો ફાયદો પણ થાય છે. મહત્વનું છે કે આ કોર્સ પૂર્ણ કર્યા બાદ આ કોર્સની તાલીમ લેનારા પોતાના સંગઠનને વધુ સક્ષમ અને સ્પર્ધાત્મક બનાવવા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન મેળવી શકે. આ અભ્યાસ ક્રમની અંદર ડો. હેમાંગ જોષી સાથે અન્ય ૮૮ ચયન કરાયેલા સરકારી સંસ્થાના ઉચ્ચ અધિકારી, પ્રાઈવેટ સંસ્થાઓના MD, CEO, CHRO, VP સ્તરના અધિકારી સહાધ્યાયી તરીકે જોડાયા હતા. મહત્વનું છે કે ડો. હેમાંગ જોશીએ આ કોર્સની તાલીમ એવા સમયે પૂર્ણ કરી છે જ્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે.. આશા રાખીએ કે ભાજપના ઉમેદવાર દ્વારા લેવામાં આવેલી આ તાલીમ લોકોને ઉપયોગી થાય..       




ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત સરકારમાં મંત્રી પરષોત્તમ સોલંકી અને જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત થઇ છે. જેમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. મુલાકાતના આ ફોટોસ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થઇ રહ્યાં છે. આપને જણાવી દયિકે , બગદાણાની બબાલના કારણે , કોળી સમાજમાં ખુબ ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનોએ ડેમેજ કંટ્રોલ કરવું પડ્યું હતું.