વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ Leadership and Change Managementનો કોર્સ કર્યો પૂર્ણ, જાણો કોર્સની શું છે વિશેષતા?


  • Published By :
  • Published Date : 2024-06-01 15:23:22

વડોદરા લોકસભા બેઠકના યુવા તેમજ શિક્ષિત ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ દેશની સર્વોત્તમ મેનેજમેન્ટ સંસ્થા IIM Ahmedabadમાંથી Leadership and Change Managementનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.. આઈઆઈએમને મેનેજમન્ટ માટેની શ્રેષ્ઠ સંસ્થા માનવામાં આવે છે.. આઈઆઈએ દ્વારા વિવિધ કોર્સ ચલાવવામાં આવતા હોય છે.. ડો. હેમાંગ જોષી દ્વારા  IIM Ahmedabad અંતર્ગત બીજો કોર્સ પુર્ણ કરવામાં આવ્યો છે.. 

IIM દ્વારા લીડરશિપ અને ચેન્જ મેનેજમેન્ટનો કોર્સ કરાયો શરૂ

જે કોર્સનો તેમણે અભ્યાસ કર્યો તે તે અભ્યાસ અંતર્ગત નેતૃત્વની સંરચના, નેતૃત્વ ના પ્રકારો, ઈમોશનલ ઈંટેલિજેન્સ, નેગોશિએશન, ઓર્ગેનાઈઝેશન કલ્ચર, ઓર્ગેનાઈઝેશન બિહેવિયર, મેનેજીંગ ચેંજ, વર્કિંગ વિથ ગ્રુપ તથા અન્ય ઘણા મહત્વપુર્ણ કેસ સ્ટડીઝ વિશે ભણાવવામાં આવતું હોય છે... IIM અમદાવાદ દ્વારા ચલાવવામાં કરવામાં આવતો લીડરશિપ અને ચેન્જ મેનેજમેન્ટ પરનો એગ્ઝિક્યુટિવ એજ્યુકેશન કોર્સને પરિપૂર્ણ નેતાઓ અને મેનેજર્સ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે. 

કોણ કોણ આ કોર્સમાં જોડાઈ શકે છે? 

જો કોર્સના વિગતોની વાત કરીએ તો આ કોર્સને ખાસ કરીને ઉચ્ચ સ્તરીય મેનજર્સ માટે તેમજ નેતાઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેમને પોતાની સંસ્થામાં, સંગઠનમાં ફેરફાર લાવવાની ઈચ્છા હોય. પરિવર્તન લાવવાની તેમજ નેતૃત્વ કૌશલ્યને વધારવાની ઈચ્છા હોય.. જો શિક્ષણ પદ્ધતિની વાત કરીએ તો કોર્સમાં વર્કશોપ્સ, ઇન્ટરેક્ટિવ સેશન્સ, અને પ્રેક્ટિકલ કેઈસ સ્ટડીઝનો સમાવેશ થાય છે.  



શું છે આ કોર્સના પ્રમુખ વિષયો? 

આના પ્રમુખ વિષયો હોય છે લીડરશીપ ડેવલપમેન્ટ.. આ અંતર્ગત નેતૃત્વના વિવિધ પ્રકાર તેમજ તેના અભિગમ પર જોર આપવામાં આવે છે.. તે સિવાય બીજું છે ચેન્જ મેનેજમેન્ટ જેમાં સંસ્થામાં પરિવર્તન લાવવાની વ્યૂહરચના તેમજ તેનું અમલ કેવી રીતે કરવું, તેની પ્રક્રિયા શીખવાડવામાં આવે છે. તે સિવાય સંકટ વ્યવસ્થાપન અંગે પણ ભણાવવામાં આવે છે જેમાં  પડકારો અને સંકટોનો સામનો કેવી રીતે કરવો, તે  માટેની કૌશલ્ય અને વ્યૂહરચના બતાવવામાં આવે છે. તે સિવાય નેટવર્કિંગ જેમાં અન્ય વ્યવસાયિક નેતાઓ અને મેનેજર્સ સાથે કેવી રીતે સંપર્ક વધારવો તેની ભણાવવામાં આવે છે.


આશા રાખીએ ઉમેદવાર લેવામાં આવેલી તાલીમ લોકોને ઉપયોગી સાબિત થાય.. 

પ્રમુખ લાક્ષણિકતાઓની વાત કરીએ તો તેમાં અનુભવી પ્રોફેસરો તેમજ ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તે સિવાય કમ્પ્રેહેન્સિવ લર્નિંગ એટલે કે પ્રેક્ટિકલ એપ્રોચ અને રીઅલ-વર્લ્ડ એપ્લિકેશન પર ભાર મૂકવામાં આવે છે.  કોર્સ પૂરો કર્યા પછી, ભાગ લેનારાઓને IIM Ahmedabadના વિશાળ અલુમ્ની નેટવર્કનો ફાયદો પણ થાય છે. મહત્વનું છે કે આ કોર્સ પૂર્ણ કર્યા બાદ આ કોર્સની તાલીમ લેનારા પોતાના સંગઠનને વધુ સક્ષમ અને સ્પર્ધાત્મક બનાવવા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન મેળવી શકે. આ અભ્યાસ ક્રમની અંદર ડો. હેમાંગ જોષી સાથે અન્ય ૮૮ ચયન કરાયેલા સરકારી સંસ્થાના ઉચ્ચ અધિકારી, પ્રાઈવેટ સંસ્થાઓના MD, CEO, CHRO, VP સ્તરના અધિકારી સહાધ્યાયી તરીકે જોડાયા હતા. મહત્વનું છે કે ડો. હેમાંગ જોશીએ આ કોર્સની તાલીમ એવા સમયે પૂર્ણ કરી છે જ્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે.. આશા રાખીએ કે ભાજપના ઉમેદવાર દ્વારા લેવામાં આવેલી આ તાલીમ લોકોને ઉપયોગી થાય..       




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.