Vadodara Loksabha Seat : Congress ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઉભા થયા ડખા! Congressના નેતાની પોસ્ટને કારણે હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-03 18:08:43

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર બે-બે વખત જાહેર કરી દીધા, પરંતુ કોંગ્રસને હજી મુરતિયો મળતો નથી. જો કે, કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ સોશિયલ મીડિયા પર ઉમેદવારને લઈને વિવાદ છેડાયો છે. કોંગ્રેસના જ એક નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, લોકસભા ટિકિટ એવાને આપજો જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે. ત્યારે સામે એક કોમેન્ટ થઈ કે, પૈસા લઇને ઘરે બેસી જાય, એવાને ટિકિટ ન આપતા..... 

કોંગ્રેસમાં જોવા મળ્યા આંતરિક ડખા!

ગુજરાત ભાજપના આંતરિક વિવાદો અને અસંતુષ્ટિના ડખાઓ જોઈને ગેલમાં આવેલી કોંગ્રેસ કદાચ એ વાતથી અજાણ હશે કે, તેમની પાર્ટીમાં પણ આવા જ ડખા ચાલી રહ્યા છે. કારણ કે, હવે તો કોંગ્રેસ પોતાના લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરે તેના પહેલા જ અસંતોષની લાગણી જોવા મળી છે. વડોદરામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં કકળાટ શરુ થયો છે... વડોદરા કોંગ્રેસના આગેવાનોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પાર્ટીને ટકોર કરી છે. વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ઘોટીકરે ફેસબુક પર પોસ્ટ મૂકતાં હડકંપ મચી ગયો છે. 


સોશિયલ મીડિયા પર છેડાયો વોર!

આ પોસ્ટમાં અમિત ઘોટીકરે જણાવ્યું કે, "લોકસભા ટીકિટ એવાને આપજો જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે" અમિત ગોટીકરે આ પોસ્ટમાં શક્તિસિંહ ગોહીલ, અમિત ચાવડા, ભરત સોલંકીને પણ ટેગ કર્યા હતા. ત્યારબાદ અમિત ઘોટીકરની આ પોસ્ટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિએ લખ્યું, "મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડૂને હટાવો." આ સાથે જ કોંગ્રેસના અન્ય આગેવાનો પણ સોશિયલ મીડિયા પર ઉમેદવારોને લઈને પોસ્ટ કરવા લાગ્યા.... તો કોંગ્રેસના નેતા અમિત ઘોટીકરે કોમેન્ટમાં એમ પણ લખ્યું છે કે, મને ટિકિટ આપશો તો મને પાર્ટીનો 1 પૈસો પણ જોઇતો નથી... 


શું લખ્યું સોશિયલ મીડિયા પર ?

હેમંત કોલેકરે કોમેન્ટમાં લખ્યું છે કે, જેણે કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાનાં કાવતરાં ભૂતકાળમાં કર્યાં હોય તે તપાસ કર્યાં પછી ઉમેદવાર મૂકશો નહીં, તે પાછા સનમ હમ ડૂબે તો તુમે લે ડૂબે ડાયલોગ..... કેટલાકે તો એવું પણ લખી દીધું કે, પૈસા લઈને ઘરે બેસી જાય...એવાને ટિકિટ ન આપતા.. તો એક યુઝરે ચંદ્રકાંત શ્રીવાસ્તવને લડાવવા જોઇએ તેવી વાત કરી, તેની સામે પણ કેટલાક લોકોએ કોમેન્ટ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તો એક યુઝરે લખ્યું કે, એ લીડર છે જે સંગઠન અને પાર્ટી બંનેને સંયમથી અને સારી રીતે સંભાળી શકે છે. સોશિયલ મીડિયા પ્રેસિડેન્ટ તરીકે મારું આ અનુમાન છે.


સોશિયલ મીડિયા પર ટિકીટ વોર શરૂ થઈ ગયો

તો વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો, તે પહેલાં સોશિયલ મીડિયા પર ટિકિટ વોર શરૂ થઈ ગઇ છે, ત્યારે હવે કોંગ્રેસ વડોદરામાં કોને પોતાનો ચહેરો બનાવે છે, તેના પર સૌ-કોઈની નજર છે. યુવા કે અનુભવી, આયાતી કે કોઈ નવા જ ઉમેદવારને તક મળશે તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે....



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."