Vadodara Loksabha Seat : Congress ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઉભા થયા ડખા! Congressના નેતાની પોસ્ટને કારણે હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-03 18:08:43

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર બે-બે વખત જાહેર કરી દીધા, પરંતુ કોંગ્રસને હજી મુરતિયો મળતો નથી. જો કે, કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ સોશિયલ મીડિયા પર ઉમેદવારને લઈને વિવાદ છેડાયો છે. કોંગ્રેસના જ એક નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, લોકસભા ટિકિટ એવાને આપજો જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે. ત્યારે સામે એક કોમેન્ટ થઈ કે, પૈસા લઇને ઘરે બેસી જાય, એવાને ટિકિટ ન આપતા..... 

કોંગ્રેસમાં જોવા મળ્યા આંતરિક ડખા!

ગુજરાત ભાજપના આંતરિક વિવાદો અને અસંતુષ્ટિના ડખાઓ જોઈને ગેલમાં આવેલી કોંગ્રેસ કદાચ એ વાતથી અજાણ હશે કે, તેમની પાર્ટીમાં પણ આવા જ ડખા ચાલી રહ્યા છે. કારણ કે, હવે તો કોંગ્રેસ પોતાના લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરે તેના પહેલા જ અસંતોષની લાગણી જોવા મળી છે. વડોદરામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં કકળાટ શરુ થયો છે... વડોદરા કોંગ્રેસના આગેવાનોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પાર્ટીને ટકોર કરી છે. વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ઘોટીકરે ફેસબુક પર પોસ્ટ મૂકતાં હડકંપ મચી ગયો છે. 


સોશિયલ મીડિયા પર છેડાયો વોર!

આ પોસ્ટમાં અમિત ઘોટીકરે જણાવ્યું કે, "લોકસભા ટીકિટ એવાને આપજો જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે" અમિત ગોટીકરે આ પોસ્ટમાં શક્તિસિંહ ગોહીલ, અમિત ચાવડા, ભરત સોલંકીને પણ ટેગ કર્યા હતા. ત્યારબાદ અમિત ઘોટીકરની આ પોસ્ટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિએ લખ્યું, "મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડૂને હટાવો." આ સાથે જ કોંગ્રેસના અન્ય આગેવાનો પણ સોશિયલ મીડિયા પર ઉમેદવારોને લઈને પોસ્ટ કરવા લાગ્યા.... તો કોંગ્રેસના નેતા અમિત ઘોટીકરે કોમેન્ટમાં એમ પણ લખ્યું છે કે, મને ટિકિટ આપશો તો મને પાર્ટીનો 1 પૈસો પણ જોઇતો નથી... 


શું લખ્યું સોશિયલ મીડિયા પર ?

હેમંત કોલેકરે કોમેન્ટમાં લખ્યું છે કે, જેણે કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાનાં કાવતરાં ભૂતકાળમાં કર્યાં હોય તે તપાસ કર્યાં પછી ઉમેદવાર મૂકશો નહીં, તે પાછા સનમ હમ ડૂબે તો તુમે લે ડૂબે ડાયલોગ..... કેટલાકે તો એવું પણ લખી દીધું કે, પૈસા લઈને ઘરે બેસી જાય...એવાને ટિકિટ ન આપતા.. તો એક યુઝરે ચંદ્રકાંત શ્રીવાસ્તવને લડાવવા જોઇએ તેવી વાત કરી, તેની સામે પણ કેટલાક લોકોએ કોમેન્ટ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તો એક યુઝરે લખ્યું કે, એ લીડર છે જે સંગઠન અને પાર્ટી બંનેને સંયમથી અને સારી રીતે સંભાળી શકે છે. સોશિયલ મીડિયા પ્રેસિડેન્ટ તરીકે મારું આ અનુમાન છે.


સોશિયલ મીડિયા પર ટિકીટ વોર શરૂ થઈ ગયો

તો વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો, તે પહેલાં સોશિયલ મીડિયા પર ટિકિટ વોર શરૂ થઈ ગઇ છે, ત્યારે હવે કોંગ્રેસ વડોદરામાં કોને પોતાનો ચહેરો બનાવે છે, તેના પર સૌ-કોઈની નજર છે. યુવા કે અનુભવી, આયાતી કે કોઈ નવા જ ઉમેદવારને તક મળશે તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે....



ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.