Vadodara Loksabha Seat : Congress ઉમેદવાર જાહેર કરે તે પહેલા ઉભા થયા ડખા! Congressના નેતાની પોસ્ટને કારણે હડકંપ, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-03 18:08:43

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર બે-બે વખત જાહેર કરી દીધા, પરંતુ કોંગ્રસને હજી મુરતિયો મળતો નથી. જો કે, કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ સોશિયલ મીડિયા પર ઉમેદવારને લઈને વિવાદ છેડાયો છે. કોંગ્રેસના જ એક નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, લોકસભા ટિકિટ એવાને આપજો જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે. ત્યારે સામે એક કોમેન્ટ થઈ કે, પૈસા લઇને ઘરે બેસી જાય, એવાને ટિકિટ ન આપતા..... 

કોંગ્રેસમાં જોવા મળ્યા આંતરિક ડખા!

ગુજરાત ભાજપના આંતરિક વિવાદો અને અસંતુષ્ટિના ડખાઓ જોઈને ગેલમાં આવેલી કોંગ્રેસ કદાચ એ વાતથી અજાણ હશે કે, તેમની પાર્ટીમાં પણ આવા જ ડખા ચાલી રહ્યા છે. કારણ કે, હવે તો કોંગ્રેસ પોતાના લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરે તેના પહેલા જ અસંતોષની લાગણી જોવા મળી છે. વડોદરામાં ભાજપ બાદ હવે કોંગ્રેસમાં કકળાટ શરુ થયો છે... વડોદરા કોંગ્રેસના આગેવાનોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પાર્ટીને ટકોર કરી છે. વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ઘોટીકરે ફેસબુક પર પોસ્ટ મૂકતાં હડકંપ મચી ગયો છે. 


સોશિયલ મીડિયા પર છેડાયો વોર!

આ પોસ્ટમાં અમિત ઘોટીકરે જણાવ્યું કે, "લોકસભા ટીકિટ એવાને આપજો જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે" અમિત ગોટીકરે આ પોસ્ટમાં શક્તિસિંહ ગોહીલ, અમિત ચાવડા, ભરત સોલંકીને પણ ટેગ કર્યા હતા. ત્યારબાદ અમિત ઘોટીકરની આ પોસ્ટમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિએ લખ્યું, "મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડૂને હટાવો." આ સાથે જ કોંગ્રેસના અન્ય આગેવાનો પણ સોશિયલ મીડિયા પર ઉમેદવારોને લઈને પોસ્ટ કરવા લાગ્યા.... તો કોંગ્રેસના નેતા અમિત ઘોટીકરે કોમેન્ટમાં એમ પણ લખ્યું છે કે, મને ટિકિટ આપશો તો મને પાર્ટીનો 1 પૈસો પણ જોઇતો નથી... 


શું લખ્યું સોશિયલ મીડિયા પર ?

હેમંત કોલેકરે કોમેન્ટમાં લખ્યું છે કે, જેણે કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાનાં કાવતરાં ભૂતકાળમાં કર્યાં હોય તે તપાસ કર્યાં પછી ઉમેદવાર મૂકશો નહીં, તે પાછા સનમ હમ ડૂબે તો તુમે લે ડૂબે ડાયલોગ..... કેટલાકે તો એવું પણ લખી દીધું કે, પૈસા લઈને ઘરે બેસી જાય...એવાને ટિકિટ ન આપતા.. તો એક યુઝરે ચંદ્રકાંત શ્રીવાસ્તવને લડાવવા જોઇએ તેવી વાત કરી, તેની સામે પણ કેટલાક લોકોએ કોમેન્ટ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તો એક યુઝરે લખ્યું કે, એ લીડર છે જે સંગઠન અને પાર્ટી બંનેને સંયમથી અને સારી રીતે સંભાળી શકે છે. સોશિયલ મીડિયા પ્રેસિડેન્ટ તરીકે મારું આ અનુમાન છે.


સોશિયલ મીડિયા પર ટિકીટ વોર શરૂ થઈ ગયો

તો વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો, તે પહેલાં સોશિયલ મીડિયા પર ટિકિટ વોર શરૂ થઈ ગઇ છે, ત્યારે હવે કોંગ્રેસ વડોદરામાં કોને પોતાનો ચહેરો બનાવે છે, તેના પર સૌ-કોઈની નજર છે. યુવા કે અનુભવી, આયાતી કે કોઈ નવા જ ઉમેદવારને તક મળશે તેવી ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું છે....



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.