Vadodara Loksabha Seat : પોસ્ટર વોર તો પૂર્ણ થયું પરંતુ રંજનભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લગાવનારે કહ્યું - મારો અંતર આત્મા જાગ્યો તો મેં બેનર લગાવ્યા...


  • Published By :
  • Published Date : 2024-03-21 13:50:26

ચૂંટણી પહેલા વડોદરામાં પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે. વડોદરાના અનેક વિસ્તારોમાં રંજનબેન વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે મોદી તુજસે બેર નહિ પર રંજન તેરી ખેર નહિ..! આ પોસ્ટર લાગતા જ તંત્ર એક્ટિવ થઈ ગયું. ચૂંટણી પંચ સુધી આ વાત પહોંચી ગઈ હતી, તાત્કાલિક પગલા પણ લેવાયા. હવે આ પોસ્ટર વોરનો અંત આવ્યો છે. જે લોકોએ લોકસભાના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા હતા તે કોંગ્રેસના કાર્યકર્તા નીકળ્યા. અટકાયત કરી પોલીસે પૂછપરછ કરી અને તેમને છોડી પણ દેવામાં આવ્યા છે.  


રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ લગાવવામાં આવ્યા પોસ્ટર

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. અનેક બેઠકો પર ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે તો અનેક બેઠકો પર નવા ઉમેદવારને તક આપવામાં આવી છે. વડોદરા બેઠક પરથી સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા હતા. આ જાહેરાત બાદ ભાજપમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લીને સામે આવ્યો. શહેરના પૂર્વ મેયરે આને લઈ વિરોધ દર્શાવ્યો અને તે રાજીનામું આપે તે પહેલા જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ મામલો શાંત પડ્યો ત્યારે સાંસદ વિરૂદ્ધ અનેક જગ્યાઓ પર પોસ્ટરો લાગ્યા. થોડા સમયની અંદર પોસ્ટરો હટાવાઈ દેવાયા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી પણ સામે આવ્યા હતા. 


જેમણે સાંસદ વિરૂદ્ધ પોસ્ટર લગાવ્યા તે કોંગ્રેસના કાર્યકર નિકળ્યા! 

આ મામલે પોલીસે બે લોકોની અટકાયત કરી છે. પોલીસે પોસ્ટર લગાવનાર હરીશ ઉર્ફ હેરી ઓડ સહીત કાર્યકર્તાની અટકાયત કરી. કોંગ્રેસના કાર્યકર હેરી ઓડની પોલીસે પૂછપરછ કરી અને તે બાદ બહાર આવેલા કોંગ્રેસના કાર્યકર્તાએ પ્રેસ સમક્ષ કહ્યું કે 'બે ટર્મથી ચૂઇંગ-ગમની જેમ ચોટેલા રંજનબેન ભટ્ટને પરસેવો પાડવા માટે પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડવા તૈયાર છું' આ સમયે કોંગ્રેસના કાર્યકરોએ ઈન્કલાબના નારા લગાવ્યા હતા. તેમણે કબુલતા કહ્યું કે  હું જાતે જ કહું છું કે, મેં બેનર લગાવ્યા હતા. મારા અંતર આત્માએ કહ્યું. પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે, એમનો અંતર આત્મા બોલે છે. તો મારો અંતર આત્મા જાગ્યો તો મેં બેનર લગાવ્યા છે. 


પોસ્ટરોને લઈ રંજનબેને આપી હતી પ્રતિક્રિયા 

જોકે બબાલ અહીંયા પુરી નથી થતી આ પોસ્ટર વોર પર સાંસદ રંજનબેન ભટ્ટનું કેહવું છે કે  વડોદરાને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે. વડોદરા શહેરના ભાજપના કાર્યકરો ખૂબ શાંત બેઠા હતા અને સહનશક્તિની એક મર્યાદા હોય, પરંતુ મોડી રાત્રે જે રીતે આ પોસ્ટર લગાવવામાં આવ્યા અને સવારે જ્યારે ખબર પડી અને પોલીસ કમિશનરને જ્યારે ફરિયાદ કરવામાં આવી, ત્યારે હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનુ છું મારી તાકાત મારા કાર્યકર્તાઓ છે 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.