Vadodara : પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા MP Mansukh Vasavaને કરવો પડ્યો વિરોધનો સામનો, ખેડૂતોએ ઠાલવી પોતાની વેદના, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 15:39:42

જનતાને આપણે ત્યાં સૌથી ઉપર માનવામાં આવે છે. જનતા વોટ કરીને ઉમેદવારને સાંસદ અથવા તો ધારાસભ્ય બનાવતા હોય છે. સાંસદ અને ધારાસભ્યને લોક પ્રતિનિધિ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પોતાને પડતી મુશ્કેલીની રજૂઆત ધારાસભ્યોને અથવા તો સાંસદને લોકો કરતા હોય છે પરંતુ જ્યારે તેમનો અવાજ નથી સાંભળવામાં આવતો ત્યારે લોકોના રોષનો સામનો પણ તેમને કરવો પડતો હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાં થયેલી પૂર જેવી પરિસ્થિતિને કારણે લોકો ઘણા પ્રભાવિત થયા છે. જ્યારે જનપ્રતિનિધિ લોકો વચ્ચે પહોંચે છે ત્યારે તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે. પહેલા ધારાસભ્યને વિરોધનો સામનો કરતો પડતો હતો ત્યારે હવે સાંસદને વિરોધનો સામનો કરવો પડ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લોકોએ ઘેર્યા છે.     


લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે નેતાઓને 

નર્મદા ડેમમાંથી પાણી છોડયા બાદ ત્યાં આસપાસના કાંઠાના વિસ્તારોની હાલત શું હતી તેનાથી આપણે બધા વાકેફ છીએ. પૂરના કારણે લોકોના ઘરને, ઘરવકરીને ભારે નુકસાન પહોંચ્યું છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે અધિકારીને આ પૂરને લઈ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે  આ તો આભ ફાટવાને કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ જ્યારે સ્થાનિકો સાથે નેતાઓ વાત કરવા પહોંચે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડે છે.  


લોકોએ સાંસદ મનસુખ વસાવાને ઘેરી ઠાલવ્યો રોષ 

ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ડેમમાં પાણીની આવક થઈ છે. અનેક ડેમોમાં જળસપાટી સતત વધારો થયો હતો.  નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના ગામોમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ. ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. પૂરનું પાણી ઉતરતા સ્થાનિકોની મુલાકાત નેતાઓ, ધારાસભ્યો તેમજ સાંસદને કરવો પડી રહ્યો છે. ત્યારે પહેલા કુંવરજી હળપતિ પછી દર્શનાબેન અને હવે લોકોએ સાંસદ મનસુખ વસાવાનો વારો લીધો હતો. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જ્યારે સાંસદ ગયા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. 


પૂરને કારણે પાકને પણ થયું છે નુકસાન 

આખી વાત એવી હતી કે વડોદરા જિલ્લાના શિનોરના સૂરાશામળ ગામે પૂર પીડિત લોકોને મળવા માટે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા ત્યાંના લોકોએ સાંસદને જોઈને પોતાનો ગુસ્સો ઠાલવ્યો નદી કાંઠા વિસ્તારમાં ખેતીના તૈયાર પાક પૂરના પાણીમાં નિષ્ફળ થયો છે.જેના કારણે ખેડૂતો રોષે ભરાયા છે સાંસદ વિસ્તારની મુલાકાત લઈને આશ્વાસન આપે એ પહેલા જ ખેડૂતોએ તેમને ઘેરીને પોતાને થયેલા નુ્કસાનને લઈ રોષ ઠાલવ્યો હતો. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી