વડોદરા SOGએ 20 લાખના ડ્રગ્સ સાથે એક શખ્સની કરી ધરપકડ, મુંબઈથી લાવવામાં આવ્યું હતું એમડી ડ્રગ્સ


  • Published By :
  • Published Date : 2023-06-18 17:38:03

મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી વડોદરામાં સપ્લાય કરવાનું મોટું નેટવર્ક વડોદરા SOGએ ઝડપી પાડ્યું છે. સુરતથી વડોદરા જતા વાહનોના ચેકિંગ દરમિયાન 20 લાખનું ડ્રગ્સ ઝડપાયું છે. SOGએ સુરતના એક શખ્સની ધરપકડ પણ કરી છે, જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં રહેતા બે શખ્સો સહિત ત્રણને ફરાર જાહેર કરાયા છે.


કઈ રીતે ઝડપાયું ડ્રગ્સ?


જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસો ગઈ રાત્રે કરજણ નેશનલ હાઇવે પર સુરતથી વડોદરા તરફના ટ્રેક પર વાહનોનું ચેકિંગ કરતા હતા દરમ્યાન મળેલી બાતમીના આધારે એક અર્ટિકા કાર આવતા તેને રોકી કારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને કારમાંથી રૂપિયા 20 લાખ કિંમતનું 200 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું કારમાં સવાર દિલશાદ સિરાજુલ હક શેખ (રહે. એસએમસી ક્વાર્ટર્સ ડોક્ટર પાર્ક રોડ જહાંગીરપુરા સુરત)ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મુંબઈના વસઈ ખાતે નાલા સોપારામાં રહેતા સલીમ શેખ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવી વડોદરા શહેર અને જિલ્લામાં સપ્લાય કરવાનો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં એમડી ડ્રગ્સ ખરીદનારમાં વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે લખન અને સિનોર તાલુકાના સેગવા ગામમાં રહેતા સુનિલ બાબુ પાવાનું નામ ખુલ્યું હતું. પોલીસે એમડી ડ્રગ્સ કાર બે મોબાઈલ અને રોકડ મળી કુલ 25.14 લાખનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય એસઓજીએ 20 લાખની કિંમતના ડ્રગ્સ સાથે 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.