Vadodara હરણી લેક દુર્ઘટના અંગે બોલ્યા ન્યૂ સનરાઇઝ શાળાના સંચાલક, જાણો દુર્ઘટના અંગે અને ઓવરલોડેડ બોટ અંગે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-19 15:18:06

ગઈકાલથી દરેક જગ્યા પર વડોદરામાં સર્જાયેલી હોનારતની ચર્ચા થઈ રહી છે. હરણી લેકમાં વિદ્યાર્થીઓ ડુબી જતા 12 વિદ્યાર્થીઓ ઉપરાંત 2 શિક્ષકો મોતને ભેટ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. પરિવારને સંવેદના પાઠવી હતી, સહાયની જાહેરાત કરવામાં આવી વગેરે વગેરે.. તે બધુ આપણે જાણીએ. અહીંયા વાત રાજનેતાઓની નથી કરવી પરંતુ ન્યુ સનરાઈઝ સ્કૂલના સંચાલકોની કરવી છે. શાળાના સંચાલકોએ ઘટના બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે અમારા સ્ટાફે કહ્યું છતાં બોટવાળાઓએ વધારે લોકોને બેસાડ્યા.

જવાબદાર કોણ તે અંગેના ઉઠાવામાં આવે છે પ્રશ્ન  

અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં ક્ષમતા કરતા વધારે લોકોને,વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. બસના, છકડાના એવા વીડિયો સામે આવતો હોય છે જેને લઈ એવા પ્રશ્નો થાય કે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાતી હોય છે તે બાદ આ ઘટના અંગે જવાબદાર કોણ તે અંગેના પ્રશ્નો થાય છે. વડોદરામાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ સ્કૂલના સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે. 


શું આપી શાળાના સંચાલકે પ્રતિક્રિયા? 

પ્રતિક્રિયા આપતા શાળાના સંચાલક ઋષિ વાડિયાએ જણાવ્યું કે “બોટવાળાની બેદરકારીને કારણે આ થયુ છે. બોટમાં વધારે લોકોની વ્યવસ્થા ન હતી. ત્યારે અમારા સ્ટાફે તેમને ત્યારે જ કહ્યુ હતુ કે, આ બોટ ફૂલ થઇ ગઇ છે હવે નથી બેસવું. અમારા માનસીબેન સ્ટાફમાં છે તેમણે કહ્યુ હતુ કે, આ બોટ ફુલ થઇ ગઇ છે હવે ના બેસાડશો. તો પણ તે લોકોએ કહ્યુ કે, આ તો અમારું રોજનું છે, તમે બેસાડો. લાઇફ જેકેટ માટે પણ મેડમ બોલ્યા હતા કે બધા બાળકોને લાઇફ જેકેટ આપો.” વધુમાં તેમણે કહ્યું કે, “આ લોકોએ બોટમાં બેસાડીને ચાલુ કરીને મોકલી આપી. આ દુખદ ઘટનામાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લે સુધી છીએ. આમાં અમારી વાલીઓને પણ રિકવેસ્ટ છે કે, આપણે સાથે રહીને આ લોકો સામે લડવું પડશે. આવી ઘટના ફરી કોઇ અન્ય શાળા સાથે ન થાય તે માટે અમને વાલીઓનો પણ સપોર્ટ જોઇએ છે.” મહત્વનું છે કે ગમે તેટલા નિવેદનો આપવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે પરંતુ તેમના માતા પિતાને તો તેમના સંતાન પાછા નથી મળવાના..!



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે