Vadodara હરણી લેક દુર્ઘટના અંગે બોલ્યા ન્યૂ સનરાઇઝ શાળાના સંચાલક, જાણો દુર્ઘટના અંગે અને ઓવરલોડેડ બોટ અંગે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-19 15:18:06

ગઈકાલથી દરેક જગ્યા પર વડોદરામાં સર્જાયેલી હોનારતની ચર્ચા થઈ રહી છે. હરણી લેકમાં વિદ્યાર્થીઓ ડુબી જતા 12 વિદ્યાર્થીઓ ઉપરાંત 2 શિક્ષકો મોતને ભેટ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. પરિવારને સંવેદના પાઠવી હતી, સહાયની જાહેરાત કરવામાં આવી વગેરે વગેરે.. તે બધુ આપણે જાણીએ. અહીંયા વાત રાજનેતાઓની નથી કરવી પરંતુ ન્યુ સનરાઈઝ સ્કૂલના સંચાલકોની કરવી છે. શાળાના સંચાલકોએ ઘટના બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે કહ્યું કે અમારા સ્ટાફે કહ્યું છતાં બોટવાળાઓએ વધારે લોકોને બેસાડ્યા.

જવાબદાર કોણ તે અંગેના ઉઠાવામાં આવે છે પ્રશ્ન  

અનેક વખત એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં ક્ષમતા કરતા વધારે લોકોને,વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. બસના, છકડાના એવા વીડિયો સામે આવતો હોય છે જેને લઈ એવા પ્રશ્નો થાય કે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? જ્યારે જ્યારે કોઈ દુર્ઘટના સર્જાતી હોય છે તે બાદ આ ઘટના અંગે જવાબદાર કોણ તે અંગેના પ્રશ્નો થાય છે. વડોદરામાં જે દુર્ઘટના સર્જાઈ તે બાદ સ્કૂલના સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે. 


શું આપી શાળાના સંચાલકે પ્રતિક્રિયા? 

પ્રતિક્રિયા આપતા શાળાના સંચાલક ઋષિ વાડિયાએ જણાવ્યું કે “બોટવાળાની બેદરકારીને કારણે આ થયુ છે. બોટમાં વધારે લોકોની વ્યવસ્થા ન હતી. ત્યારે અમારા સ્ટાફે તેમને ત્યારે જ કહ્યુ હતુ કે, આ બોટ ફૂલ થઇ ગઇ છે હવે નથી બેસવું. અમારા માનસીબેન સ્ટાફમાં છે તેમણે કહ્યુ હતુ કે, આ બોટ ફુલ થઇ ગઇ છે હવે ના બેસાડશો. તો પણ તે લોકોએ કહ્યુ કે, આ તો અમારું રોજનું છે, તમે બેસાડો. લાઇફ જેકેટ માટે પણ મેડમ બોલ્યા હતા કે બધા બાળકોને લાઇફ જેકેટ આપો.” વધુમાં તેમણે કહ્યું કે, “આ લોકોએ બોટમાં બેસાડીને ચાલુ કરીને મોકલી આપી. આ દુખદ ઘટનામાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લે સુધી છીએ. આમાં અમારી વાલીઓને પણ રિકવેસ્ટ છે કે, આપણે સાથે રહીને આ લોકો સામે લડવું પડશે. આવી ઘટના ફરી કોઇ અન્ય શાળા સાથે ન થાય તે માટે અમને વાલીઓનો પણ સપોર્ટ જોઇએ છે.” મહત્વનું છે કે ગમે તેટલા નિવેદનો આપવામાં આવે, કાર્યવાહી કરવામાં આવે પરંતુ તેમના માતા પિતાને તો તેમના સંતાન પાછા નથી મળવાના..!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.