Vadodara Tragedy : માસૂમોના મોતના જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે તંત્રનું નાટક, આરોપીઓનું એડ્રેસ જ નથી મળતું!


  • Published By :
  • Published Date : 2024-01-19 17:18:07

સાહેબ તમે આ રીતે તપાસ કરશો, બેદરકારીના બાદશાહોનું વધુ એક મોટું કાંડ બહાર આવ્યું છે. બોટ દુર્ઘટનામાં માસૂમોના મોતના જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે તંત્રનું નાટક જોવા મળી રહ્યું છે. જે આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે, તેમાં એક મૃતકનું નામ પણ સામેલ છે. જે વ્યક્તિ દુનિયામાં હયાત નથી એને આ લોકો આરોપી બનાવે છે અને પછી એને શોધવા જાય છે.


દુર્ઘટનાના જવાબદાર તરીકે 18 લોકો વિરૂદ્ધ દાખલ કરાઈ FIR 

વડોદરાના હરણી દુર્ઘટનામાં જવાબદાર લોકો સામે FIR નોંધવામાં આવી છે, જેમાં 18 લોકોના નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે. હરણી બોટ દુર્ઘટનામાં થયેલી FIRમાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. આ દુર્ઘટનાની ફરિયાદમાં બીનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું એડ્રેસ જ પોલીસ પાસે નથી. આ FIRમાં નોંધાયેલા સરનામાવાળો નીલકંઠ બંગલો 2021માં જ વેચી દીધો હતો. આ બંગલામાં અત્યારે કોઈ બીજું જ રહે છે. બે વર્ષ પહેલાં જે બંગલો વેચાઈ ગયો તેનું એડ્રેસ FIRમાં લખવામાં આવ્યું છે. 2 નંબરના આરોપી હિતેશ કોટિયાનું તો કોરોનામાં મોત થઇ ગયું છે. જે એડ્રેસ પર આરોપી રહેતો જ નથી તે એડ્રેસનો પોલીસે FIRમાં ઉલ્લેખ કરતા ખોટા એડ્રેસ પર પોલીસ કેવી રીતે આરોપીને પકડશે? તે મોટો સવાલ છે.


મરેલા આરોપી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી દાખલ! 

સરકાર અને સિસ્ટમએ ભેગા મળી આ દુર્ઘટના બાદ સાંત્વના આપી હતી કે તપાસ કરીશું અને આરોપીઓને જેલ હવાલે કરીશું એવું રટણ તો ગાયે રાખ્યું પણ આ તપાસ તમે ક્યાં દિશામાં કરવાના છો તમને જ ખબર નથી કારણ કે તમે તો મરેલા આરોપી પર ફરિયાદ દાખલ કરી તેને શોધવા નીકળ્યા છો. અમે તમારી પાસે શું આશા રાખીએ સોશિયલ મીડિયામાં તમે શેર કરેલા એ ફોટો અમે જોઈએ કે જ્યાં તમે ૐ શાંતિ લખીને દુઃખ પાઠવ્યું છે. એ પરિવારોને તમારી સાંત્વનાની જરૂર નથી. એમને તો ન્યાય જોઈએ છે. સંવેદના તો અમે પણ પ્રકટ કરી શકીએ છીએ, દુખ તો અમે પણ વ્યક્ત કરી શકીએ છીએ, પણ અમારા અને તમારામાં એક મુખ્ય ફરક છે કે તમે શાસનમાં છો, તમારા હાથમાં સત્તા છે અને તમે ધારો તો આ બધું જ રોકી શકો એમ છો.


લેકઝોનને સીલ કરવાની કરાઈ કામગીરી 

મોતનું તળાવ બનેલ લેકઝોનમાં બનેલ ગોઝારી ઘટનાની તટસ્થ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે આશા રાખીયે છીએ કે તપાસ થશે અને એ પણ તટસ્થ...કોર્પોરેશન દ્વારા અત્યારે તો આ લેકઝોનને સીલ કરવામાં આવ્યું છે. મોતનું તળાવ બનેલ લેકઝોનની કોર્પોરેશ દ્ધારા તમામ એન્ટ્રી-એક્ઝિટ સહીત ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને જો કોઇ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરવામાં આવશે એવું બોર્ડ બહાર લગાવી દીધું છે..




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.