Vadodara Tragedy : માસૂમોના મોતના જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે તંત્રનું નાટક, આરોપીઓનું એડ્રેસ જ નથી મળતું!


  • Published By :
  • Published Date : 2024-01-19 17:18:07

સાહેબ તમે આ રીતે તપાસ કરશો, બેદરકારીના બાદશાહોનું વધુ એક મોટું કાંડ બહાર આવ્યું છે. બોટ દુર્ઘટનામાં માસૂમોના મોતના જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે તંત્રનું નાટક જોવા મળી રહ્યું છે. જે આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે, તેમાં એક મૃતકનું નામ પણ સામેલ છે. જે વ્યક્તિ દુનિયામાં હયાત નથી એને આ લોકો આરોપી બનાવે છે અને પછી એને શોધવા જાય છે.


દુર્ઘટનાના જવાબદાર તરીકે 18 લોકો વિરૂદ્ધ દાખલ કરાઈ FIR 

વડોદરાના હરણી દુર્ઘટનામાં જવાબદાર લોકો સામે FIR નોંધવામાં આવી છે, જેમાં 18 લોકોના નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે. હરણી બોટ દુર્ઘટનામાં થયેલી FIRમાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. આ દુર્ઘટનાની ફરિયાદમાં બીનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું એડ્રેસ જ પોલીસ પાસે નથી. આ FIRમાં નોંધાયેલા સરનામાવાળો નીલકંઠ બંગલો 2021માં જ વેચી દીધો હતો. આ બંગલામાં અત્યારે કોઈ બીજું જ રહે છે. બે વર્ષ પહેલાં જે બંગલો વેચાઈ ગયો તેનું એડ્રેસ FIRમાં લખવામાં આવ્યું છે. 2 નંબરના આરોપી હિતેશ કોટિયાનું તો કોરોનામાં મોત થઇ ગયું છે. જે એડ્રેસ પર આરોપી રહેતો જ નથી તે એડ્રેસનો પોલીસે FIRમાં ઉલ્લેખ કરતા ખોટા એડ્રેસ પર પોલીસ કેવી રીતે આરોપીને પકડશે? તે મોટો સવાલ છે.


મરેલા આરોપી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી દાખલ! 

સરકાર અને સિસ્ટમએ ભેગા મળી આ દુર્ઘટના બાદ સાંત્વના આપી હતી કે તપાસ કરીશું અને આરોપીઓને જેલ હવાલે કરીશું એવું રટણ તો ગાયે રાખ્યું પણ આ તપાસ તમે ક્યાં દિશામાં કરવાના છો તમને જ ખબર નથી કારણ કે તમે તો મરેલા આરોપી પર ફરિયાદ દાખલ કરી તેને શોધવા નીકળ્યા છો. અમે તમારી પાસે શું આશા રાખીએ સોશિયલ મીડિયામાં તમે શેર કરેલા એ ફોટો અમે જોઈએ કે જ્યાં તમે ૐ શાંતિ લખીને દુઃખ પાઠવ્યું છે. એ પરિવારોને તમારી સાંત્વનાની જરૂર નથી. એમને તો ન્યાય જોઈએ છે. સંવેદના તો અમે પણ પ્રકટ કરી શકીએ છીએ, દુખ તો અમે પણ વ્યક્ત કરી શકીએ છીએ, પણ અમારા અને તમારામાં એક મુખ્ય ફરક છે કે તમે શાસનમાં છો, તમારા હાથમાં સત્તા છે અને તમે ધારો તો આ બધું જ રોકી શકો એમ છો.


લેકઝોનને સીલ કરવાની કરાઈ કામગીરી 

મોતનું તળાવ બનેલ લેકઝોનમાં બનેલ ગોઝારી ઘટનાની તટસ્થ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે આશા રાખીયે છીએ કે તપાસ થશે અને એ પણ તટસ્થ...કોર્પોરેશન દ્વારા અત્યારે તો આ લેકઝોનને સીલ કરવામાં આવ્યું છે. મોતનું તળાવ બનેલ લેકઝોનની કોર્પોરેશ દ્ધારા તમામ એન્ટ્રી-એક્ઝિટ સહીત ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને જો કોઇ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરવામાં આવશે એવું બોર્ડ બહાર લગાવી દીધું છે..




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.