Vadodara Tragedy : માસૂમોના મોતના જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે તંત્રનું નાટક, આરોપીઓનું એડ્રેસ જ નથી મળતું!


  • Published By :
  • Published Date : 2024-01-19 17:18:07

સાહેબ તમે આ રીતે તપાસ કરશો, બેદરકારીના બાદશાહોનું વધુ એક મોટું કાંડ બહાર આવ્યું છે. બોટ દુર્ઘટનામાં માસૂમોના મોતના જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે તંત્રનું નાટક જોવા મળી રહ્યું છે. જે આરોપીઓ સામે FIR નોંધવામાં આવી છે, તેમાં એક મૃતકનું નામ પણ સામેલ છે. જે વ્યક્તિ દુનિયામાં હયાત નથી એને આ લોકો આરોપી બનાવે છે અને પછી એને શોધવા જાય છે.


દુર્ઘટનાના જવાબદાર તરીકે 18 લોકો વિરૂદ્ધ દાખલ કરાઈ FIR 

વડોદરાના હરણી દુર્ઘટનામાં જવાબદાર લોકો સામે FIR નોંધવામાં આવી છે, જેમાં 18 લોકોના નામ આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે. હરણી બોટ દુર્ઘટનામાં થયેલી FIRમાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. આ દુર્ઘટનાની ફરિયાદમાં બીનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું એડ્રેસ જ પોલીસ પાસે નથી. આ FIRમાં નોંધાયેલા સરનામાવાળો નીલકંઠ બંગલો 2021માં જ વેચી દીધો હતો. આ બંગલામાં અત્યારે કોઈ બીજું જ રહે છે. બે વર્ષ પહેલાં જે બંગલો વેચાઈ ગયો તેનું એડ્રેસ FIRમાં લખવામાં આવ્યું છે. 2 નંબરના આરોપી હિતેશ કોટિયાનું તો કોરોનામાં મોત થઇ ગયું છે. જે એડ્રેસ પર આરોપી રહેતો જ નથી તે એડ્રેસનો પોલીસે FIRમાં ઉલ્લેખ કરતા ખોટા એડ્રેસ પર પોલીસ કેવી રીતે આરોપીને પકડશે? તે મોટો સવાલ છે.


મરેલા આરોપી વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી દાખલ! 

સરકાર અને સિસ્ટમએ ભેગા મળી આ દુર્ઘટના બાદ સાંત્વના આપી હતી કે તપાસ કરીશું અને આરોપીઓને જેલ હવાલે કરીશું એવું રટણ તો ગાયે રાખ્યું પણ આ તપાસ તમે ક્યાં દિશામાં કરવાના છો તમને જ ખબર નથી કારણ કે તમે તો મરેલા આરોપી પર ફરિયાદ દાખલ કરી તેને શોધવા નીકળ્યા છો. અમે તમારી પાસે શું આશા રાખીએ સોશિયલ મીડિયામાં તમે શેર કરેલા એ ફોટો અમે જોઈએ કે જ્યાં તમે ૐ શાંતિ લખીને દુઃખ પાઠવ્યું છે. એ પરિવારોને તમારી સાંત્વનાની જરૂર નથી. એમને તો ન્યાય જોઈએ છે. સંવેદના તો અમે પણ પ્રકટ કરી શકીએ છીએ, દુખ તો અમે પણ વ્યક્ત કરી શકીએ છીએ, પણ અમારા અને તમારામાં એક મુખ્ય ફરક છે કે તમે શાસનમાં છો, તમારા હાથમાં સત્તા છે અને તમે ધારો તો આ બધું જ રોકી શકો એમ છો.


લેકઝોનને સીલ કરવાની કરાઈ કામગીરી 

મોતનું તળાવ બનેલ લેકઝોનમાં બનેલ ગોઝારી ઘટનાની તટસ્થ તપાસ માટે SITની રચના કરવામાં આવી છે આશા રાખીયે છીએ કે તપાસ થશે અને એ પણ તટસ્થ...કોર્પોરેશન દ્વારા અત્યારે તો આ લેકઝોનને સીલ કરવામાં આવ્યું છે. મોતનું તળાવ બનેલ લેકઝોનની કોર્પોરેશ દ્ધારા તમામ એન્ટ્રી-એક્ઝિટ સહીત ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને જો કોઇ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરવામાં આવશે એવું બોર્ડ બહાર લગાવી દીધું છે..




જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે