Vadodara : સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને મોકલતા માતા પિતા જોઈ લો આ વીડિયો! ચાલુ સ્કૂલવાનમાંથી બે બાળકીઓ નીચે પટકાઈ, જુઓ વિચલીત કરી દે તેવો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-21 19:20:28

વડોદરાથી એક વીડિયો સામે આવ્યો જે વાલીઓ માટે ચોંકાવનારો તેમજ લાલબત્તી સમાન છે.. અનેક વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ વાનથી શાળાએ મોકલે છે.. અનેક એવા વીડિયો આપણે જોયા હશે જેમાં બાળકોના જીવ જોખમમાં મૂકાતા હોય છે.. ક્ષમતા કરતા વધારે બાળકોને વાનમાં બેસાડવામાં આવે છે, તો કોઈ વખત વાન વાળા બેફામ ગાડી ચલાવતા હોય છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પૂરપાટે ગાડી સોસાયટીની અંદરથી પસાર થઈ રહી છે અને તેમાંથી બે વિદ્યાર્થીનીઓ નીચે પડી ગઈ..  

વડોદરાથી સામે આવ્યો વીડિયો જે.. 

બાળકોના જીવ અનેક વખત જોખમમાં મૂકાઈ જતા હોય છે. ઘેંટા બકરાની જેમ છોકરાઓને વાનમાં ભરી દેવામાં આવે છે, બેફામ રીતે અનેક ડ્રાઈવરો ગાડી ચલાવે છે.  બાળકોની સુરક્ષાને લઈ પણ અનેક સવાલો ઉભા થાય છે ત્યારે એક વીડિયો વડોદરાથી સામે આવ્યો છે જેમાં એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે પસાર થતી સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થિનીઓ ટપોટપ નીચે પટકાઈ... ભગવાનનો આભાર માનીએ કે સામાન્ય ઈજા સિવાય કશું થયું નથી.... આ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ એટલે ખબર પડી કે વાનમાં બાળકો કેટલા સુરક્ષિત છે... 



વિદ્યાર્થીનીઓ જમીન પર પટકાઈ ગઈ.. 

જે વીડિયો સામે આવ્યો છે, જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે વાન સોસાયટીની એક ગલીમાંથી નિકળે છે, માત્ર થોડા મીટર વાન આગળ આવે છે અને તેમાંથી બે વિદ્યાર્થીનીઓ  જમીન પર પટકાઈ જાય છે. ડિકીનો દરવાજો ખુલી જાય છે. વિદ્યાર્થીની સાથે સાથે તેમનું સ્કૂલ બેગ પણ પડે છે. આ દ્રશ્ય જોતા નજીકમાં ઘરની બહાર બેઠેલા લોકો ત્યાં આવી જાય છે અને વિદ્યાર્થીનીઓને ઉભા કરે છે. 




વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા શું લેવાશે પગલા? 

આ મામલે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સ્કૂલ વાન ચાલક સ્પીડમાં ચલાવતો હતો... તો ક્યા પગલા લેવાય શકે એવું જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, લાયસન્સ રદ્દ થઈ શકે, આરસી બુક રદ થઈ શકે...  આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના 19 તારીખની છે. વીડિયો વાયરલ થતાં જ હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરશે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.... આ મામલે પ્રફૂલ પાનસેરિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. 


દરેક વાલીઓને વિનંતી કે...  

વિદ્યાર્થિનીઓ પડી ગઈ છે પણ બહુ વાગ્યું નથી... પણ છતાંય આ બેદરકારી ન ચલાવી લેવી જોઈએ.... દરેક વાલીને પણ વિનંતી કરું છું. માત્ર વાન નહીં પણ ડ્રાઈવરને પણ ચેકિંગ કરવું જોઈએ... બધુ જ કાયદો કરી દેશે એવું હું ના માનતા. દરેકે જાગૃત થવું જોઈએ... આ પ્રસંગમાં વાલીઓને પણ વિનંતી કે જાગૃત થાવ.... અને વાન ચાલકોને પણ વિનંતી કે ધ્યાન રાખો.. 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.