Vadodara : સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને મોકલતા માતા પિતા જોઈ લો આ વીડિયો! ચાલુ સ્કૂલવાનમાંથી બે બાળકીઓ નીચે પટકાઈ, જુઓ વિચલીત કરી દે તેવો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-21 19:20:28

વડોદરાથી એક વીડિયો સામે આવ્યો જે વાલીઓ માટે ચોંકાવનારો તેમજ લાલબત્તી સમાન છે.. અનેક વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ વાનથી શાળાએ મોકલે છે.. અનેક એવા વીડિયો આપણે જોયા હશે જેમાં બાળકોના જીવ જોખમમાં મૂકાતા હોય છે.. ક્ષમતા કરતા વધારે બાળકોને વાનમાં બેસાડવામાં આવે છે, તો કોઈ વખત વાન વાળા બેફામ ગાડી ચલાવતા હોય છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પૂરપાટે ગાડી સોસાયટીની અંદરથી પસાર થઈ રહી છે અને તેમાંથી બે વિદ્યાર્થીનીઓ નીચે પડી ગઈ..  

વડોદરાથી સામે આવ્યો વીડિયો જે.. 

બાળકોના જીવ અનેક વખત જોખમમાં મૂકાઈ જતા હોય છે. ઘેંટા બકરાની જેમ છોકરાઓને વાનમાં ભરી દેવામાં આવે છે, બેફામ રીતે અનેક ડ્રાઈવરો ગાડી ચલાવે છે.  બાળકોની સુરક્ષાને લઈ પણ અનેક સવાલો ઉભા થાય છે ત્યારે એક વીડિયો વડોદરાથી સામે આવ્યો છે જેમાં એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે પસાર થતી સ્કૂલ વાનમાંથી વિદ્યાર્થિનીઓ ટપોટપ નીચે પટકાઈ... ભગવાનનો આભાર માનીએ કે સામાન્ય ઈજા સિવાય કશું થયું નથી.... આ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ એટલે ખબર પડી કે વાનમાં બાળકો કેટલા સુરક્ષિત છે... 



વિદ્યાર્થીનીઓ જમીન પર પટકાઈ ગઈ.. 

જે વીડિયો સામે આવ્યો છે, જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે વાન સોસાયટીની એક ગલીમાંથી નિકળે છે, માત્ર થોડા મીટર વાન આગળ આવે છે અને તેમાંથી બે વિદ્યાર્થીનીઓ  જમીન પર પટકાઈ જાય છે. ડિકીનો દરવાજો ખુલી જાય છે. વિદ્યાર્થીની સાથે સાથે તેમનું સ્કૂલ બેગ પણ પડે છે. આ દ્રશ્ય જોતા નજીકમાં ઘરની બહાર બેઠેલા લોકો ત્યાં આવી જાય છે અને વિદ્યાર્થીનીઓને ઉભા કરે છે. 




વીડિયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા શું લેવાશે પગલા? 

આ મામલે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સ્કૂલ વાન ચાલક સ્પીડમાં ચલાવતો હતો... તો ક્યા પગલા લેવાય શકે એવું જ્યારે પોલીસને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, લાયસન્સ રદ્દ થઈ શકે, આરસી બુક રદ થઈ શકે...  આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના 19 તારીખની છે. વીડિયો વાયરલ થતાં જ હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરશે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.... આ મામલે પ્રફૂલ પાનસેરિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. 


દરેક વાલીઓને વિનંતી કે...  

વિદ્યાર્થિનીઓ પડી ગઈ છે પણ બહુ વાગ્યું નથી... પણ છતાંય આ બેદરકારી ન ચલાવી લેવી જોઈએ.... દરેક વાલીને પણ વિનંતી કરું છું. માત્ર વાન નહીં પણ ડ્રાઈવરને પણ ચેકિંગ કરવું જોઈએ... બધુ જ કાયદો કરી દેશે એવું હું ના માનતા. દરેકે જાગૃત થવું જોઈએ... આ પ્રસંગમાં વાલીઓને પણ વિનંતી કે જાગૃત થાવ.... અને વાન ચાલકોને પણ વિનંતી કે ધ્યાન રાખો.. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.