Vadodara- ભાજપનો ખેસ પહેરીને ધારાસભ્ય રાશન કીટનું વિતરણ કરવા પહોંચ્યા અને પછી સ્થાનિકોએ ઉઘડો લીધો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-09-02 16:44:49

વડોદરાના લોકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે.. વડોદરાથી અનેક વખત એવા સમાચાર સામે આવ્યા છે જેમાં ધારાસભ્યને, નેતાને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હોય.. અનેક ધારાસભ્યોના સમાચાર સામે આવ્યા હતા ત્યારે વિરોધનો સામનો વધુ એક ધારાસભ્યને કરવો પડ્યો છે. જે ધારાસભ્યને વિરોધનો સામનો કરવો પડ્યો છે અને તે છે કેયુર રોકડિયા.. રાશન કીટનું વિતરણ કરવા પાર્ટીનો ખેસ પહેરીને તે પહોંચ્યા હતા અને સ્થાનિકોએ તેમને જતા રહેવા કહ્યું.. 

હરિપુરા વિસ્તારમાં પહોંચ્યા ધારાસભ્ય અને... 

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીએ કહેર મચાવ્યો હતો.. જેનો આક્રોશ લોકોમાં આજે પણ યથાવત છે... નેતાઓ લોકો વચ્ચે જઈ રહ્યાં છે તેમની મદદ કરવા તો તેમને પણ ખખડાવી રહ્યાં છે.. તેમનો ઉધડો લઈ રહ્યાં છે.... પૂરના કારણે જાનમાલને ભારે નુકસાન થયું છે.... કોઈએ ત્રણ દિવસ તો કોઈએ પાંચ પાંચ દિવસ એવા કાઢ્યા છે જ્યારે પાણી પણ ન મળ્યું હોય... હવે જ્યારે નેતાઓ જઈ રહ્યાં છે તો લોકો હાથ જોડીને તેમને ના પાડી રહ્યાં છે હવે જરુર નથી... ભાજપના ધારાસભ્ય કેયુર રોકડીયા પહોંચ્યા હતા વડોદરાના હરિપુરા વિસ્તારમાં અને લોકોનો આક્રોશ તેમના પર ઠલવાયો તો રાશનકીટનું વિતરણ કર્યા વિના જ નેતાઓએ ચાલતી પકડી.... 



લોકોનો પ્રશ્ન હતો કે જ્યારે જરૂર હતી ત્યારે ક્યાં હતા?  

વિશ્વામિત્રી નદીના વિનાશક પૂરના કારણે લોકોમાં ભારે રોષ છે... બીજી બાજુ ભાજપના નેતાઓ હવે લોકો વચ્ચે જતા ફફડી રહ્યાં છે.... પૂરની સ્થિતિ સમયે ગૂમ થયેલા નેતાઓ હવે પાણી ઓસરતા જ રાશન કીટ લઈને અલગ-અલગ વિસ્તારના લોકોની મદદ માટે જઈ રહ્યાં છે.... પૂરને કારણે જાનમાલનું નુકસાન થયું છે. પૂરનાં પાણી અનેક નવા વિસ્તારમાં ઘૂસી જતા લોકોને ઘરવખરી હટાવવાનો સમય મળ્યો નહોતો. બીજી તરફ પૂરની ત્રાસદી સમયે ગુમ રહેલા નેતાઓ હવે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે, જ્યાં તેમના ઘેરાવ સાથે વિરોધ થઈ રહ્યો છે. જેને કારણે નેતાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.રવિવારે ભાજપ દ્વારા દરેક ઝોનમાં અનાજ કિટનું વિતરણ કરાયું હતું. 



સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી.. 

ભાજપ દ્વારા 4 ઝોનમાં અનાજની કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંજે 4 કલાકે ધારાસભ્ય, કાઉન્સિલરો, વોર્ડના પ્રમુખ અને મહામંત્રી સહિત કાર્યકરો અનાજની કિટ લઈ પૂરગ્રસ્ત વિસ્તારમાં નીકળ્યા હતા. ગોરવાના હરિપુરામાં કિટ વિતરણ માટે ભાજપનો ખેસ પહેરીને ગયેલા ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત કાઉન્સિલરો, કાર્યકરોનો રહીશોએ વિરોધ કર્યો હતો. લોકોનું કહેવું હતું કે, 5 દિવસ પૂરનાં પાણી ભરાયાં હતાં ત્યારે કોઈ જોવા આવ્યું ન હતું. અમારે કોઈ સહાય જોઇતી નથી. 



નાગરિકોનો આક્રોશ છલકાય તે સ્વાભાવિક હતું!

સ્થાનિક લોકોની નારાજગી જોઈને કેયુર રોકડિયાએ કહ્યું કે, અગાઉ આવ્યા હતા, પરંતુ અમને કોઈએ જાણ કરી ન હતી.....લોકોએ ઉધડો લેતા ભાજપનો ખેસ પહેરીને આવેલા નેતાઓ, ધારાસભ્યોને ચાલતી પકડવાની ફરજ પડી હતી... આ આક્રોશ પણ વ્યાજબી છે... જ્યારે બધુ જ ગુમાવી દીધું હોય અને પાંચ દિવસ સુધી પીવાનું પાણી પણ ન મળે તો આક્રોશ ઠલવાય સ્વાભાવિક જ છે...



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.