Vadodara ભાજપમાં ખરેખર શું છે..? મતદાતાઓએ કર્યો રંજન ભટ્ટનો વિરોધ! અનેક જગ્યાઓ પર લાગ્યા પોસ્ટર, ભભૂકી ઉઠી રોષની લાગણી!


  • Published By :
  • Published Date : 2024-03-20 14:22:20

ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ મતદાતાઓનો રોષ પણ જોવા મળશે. કોઈ વખત ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગશે અથવા તો ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટરો લાગશે. વડોદરાના ઉમેદવારના નામની જાહેરાત થઈ છે ત્યારથી એવું લાગે છે કે ભાજપમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ મતદાતાઓનો રોષ જોવા મળ્યો છે. વડોદરામાં અનેક જગ્યાઓ પર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. શહેરમાં મંગળવારની મોડી રાતે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. 

રંજન ભટ્ટને રીપિટ કરાતા ભાજપમાં શરૂ થયો હતો આંતરિક ડખો! 

ભાજપ માટે કહેવામાં આવે છે કે અનેક વખત એવા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવતી હોય છે જેને લઈ લોકો તો ઠીક પરંતુ કાર્યકર્તાઓ પણ અચંબીત થઈ જતા હોય છે! આ વખત એવું લાગતું હતું કે અનેક નવા ચહેરાને ઉમેદવાર તરીકે ભાજપ ઘોષિત કરી શકે છે. પરંતુ આ વખતે અનેક સાંસદોને રીપિટ કરવામાં આવ્યા છે. તેમાનાં એક છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ. રંજનબેનને ત્રીજી વખત રીપિટ કરવામાં આવતા પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ બહાર આવી ગયો હતો. ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર  ડો.જ્યોતિબહેન પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ પણ આ વિરોધ પ્રદર્શન ઘટયું ન હતું. 


આ વિસ્તારમાં લગાવાયા સાંસદ રંજનબેન વિરૂદ્ધ પોસ્ટર

તે બાદ ગઈકાલે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું, બેઠક બાદ તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતું પરંતુ જ્યારે આ રાજીનામું આપ્યું ત્યારે એવું લાગતું હતું કે રંજનબેન ભટ્ટને રીપિટ કરવામાં આવતા આ નિર્ણય લીધો છે. તે બાદ વડોદરના અનેક વિસ્તારોમાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા હતા જેમાં મતદાતાઓમાં રોષ હોય તેવું દેખાઈ રહ્યું છે. મંગળવારની મોડી રાત્રે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે સાંસદ રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. તે ઉપરાંત ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયની આસપાસ પણ આવા બોર્ડ લાગ્યા હતા. 

Our Vadodara - BJP Candidate Ranjanben Bhatt leading with... | Facebook

પોસ્ટરમાં શું લખવામાં આવ્યું છે? 

વિરોધમાં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે  ‘મોદી તુજસે વેર નહીં રંજન તેરી ખેર નહીં’, ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો, કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે.’મળતી માહિતી અનુસાર વડોદરામાંથી હાલ તો આવા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે. અને આ મામલે પોલીસ તપાસ પણ કરી રહી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.