Vadodara ભાજપમાં ખરેખર શું છે..? મતદાતાઓએ કર્યો રંજન ભટ્ટનો વિરોધ! અનેક જગ્યાઓ પર લાગ્યા પોસ્ટર, ભભૂકી ઉઠી રોષની લાગણી!


  • Published By :
  • Published Date : 2024-03-20 14:22:20

ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ મતદાતાઓનો રોષ પણ જોવા મળશે. કોઈ વખત ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગશે અથવા તો ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટરો લાગશે. વડોદરાના ઉમેદવારના નામની જાહેરાત થઈ છે ત્યારથી એવું લાગે છે કે ભાજપમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ મતદાતાઓનો રોષ જોવા મળ્યો છે. વડોદરામાં અનેક જગ્યાઓ પર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. શહેરમાં મંગળવારની મોડી રાતે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. 

રંજન ભટ્ટને રીપિટ કરાતા ભાજપમાં શરૂ થયો હતો આંતરિક ડખો! 

ભાજપ માટે કહેવામાં આવે છે કે અનેક વખત એવા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવતી હોય છે જેને લઈ લોકો તો ઠીક પરંતુ કાર્યકર્તાઓ પણ અચંબીત થઈ જતા હોય છે! આ વખત એવું લાગતું હતું કે અનેક નવા ચહેરાને ઉમેદવાર તરીકે ભાજપ ઘોષિત કરી શકે છે. પરંતુ આ વખતે અનેક સાંસદોને રીપિટ કરવામાં આવ્યા છે. તેમાનાં એક છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ. રંજનબેનને ત્રીજી વખત રીપિટ કરવામાં આવતા પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ બહાર આવી ગયો હતો. ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર  ડો.જ્યોતિબહેન પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ પણ આ વિરોધ પ્રદર્શન ઘટયું ન હતું. 


આ વિસ્તારમાં લગાવાયા સાંસદ રંજનબેન વિરૂદ્ધ પોસ્ટર

તે બાદ ગઈકાલે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું, બેઠક બાદ તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતું પરંતુ જ્યારે આ રાજીનામું આપ્યું ત્યારે એવું લાગતું હતું કે રંજનબેન ભટ્ટને રીપિટ કરવામાં આવતા આ નિર્ણય લીધો છે. તે બાદ વડોદરના અનેક વિસ્તારોમાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા હતા જેમાં મતદાતાઓમાં રોષ હોય તેવું દેખાઈ રહ્યું છે. મંગળવારની મોડી રાત્રે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે સાંસદ રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. તે ઉપરાંત ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયની આસપાસ પણ આવા બોર્ડ લાગ્યા હતા. 

Our Vadodara - BJP Candidate Ranjanben Bhatt leading with... | Facebook

પોસ્ટરમાં શું લખવામાં આવ્યું છે? 

વિરોધમાં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે  ‘મોદી તુજસે વેર નહીં રંજન તેરી ખેર નહીં’, ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો, કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે.’મળતી માહિતી અનુસાર વડોદરામાંથી હાલ તો આવા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે. અને આ મામલે પોલીસ તપાસ પણ કરી રહી છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.