વ્હાલી દીકરી યોજના


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-18 14:45:07

વ્હાલી દીકરી યોજના અંતર્ગત રાજયની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી. આ યોજના હેઠળ દીકરીઓને ત્રણ તબક્કે મળીને ૧ લાખ ૧૦ હજારની સહાય આપવામાં આવે છે જેમાં દીકરી ધોરણ-૧ માં પ્રવેશ મેળવે ત્યારે  ૪,૦૦૦, ધોરણ-૯ માં પ્રવેશ મેળવે ત્યારે ૬,૦૦૦ અને દીકરી ૧૮ વર્ષની થાય ત્યારે ૧,૦૦,૦૦૦ મળી કુલ ૧,૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

મહિલા અને બાળ વિકાસ દ્વારા સમાજમાં દીકરીઓના જન્મ દરને સુધારવા તેમજ તેના શિક્ષણ દરને વધારવા રાજ્યમાં વ્યાપક અભિયાન રૂપે વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે. દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ધટાડી, દીકરીઓના શિક્ષણને ઉત્તેજન આપવું. દીકરી અને મહિલાઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું. તથા બાળ લગ્ન અટકાવવા. દીકરીઓના કલ્યાણ, તેમજ સમુદ્ધિ માટે  માટે જુદી-જુદી યોજનાઓ કાર્યરત છે.તેવી જ વ્હાલી દીકરી યોજના” જેમાં દીકરીઓને ભણતર અને લગ્ન સહાયના ઉદ્દેશને સાર્થક કરે છે

આ યોજનાનો લાભ એવી દીકરીઓને મળશે જેનો જન્મ વર્ષ 2જી ઑગસ્ટ 2019 ના રોજ અને ત્યાર બાદ જન્મેલ દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.દંપતિના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ લાભ મળવાપાત્ર છે. દંપતિના બાળ લગ્ન ન થયેલ હોવા જોઈએ.ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં દીકરીના માતા- પિતાની સંયુક્ત આવક 2,00,000/- (રૂપિયા બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ. દીકરીને એકલ માતા કે પિતા હોય તો માતા કે પિતાની આવક ધ્યાને લેવાશે.અનાથ દીકરીના કિસ્સામાં સંબંધિત વાલી (ગાર્ડીયન)ના આવકના પ્રમાણપત્રને ધ્યાને લેવાશે.દત્તક લીધેલ દીકરીના કિસ્સામાં દત્તક લીધેલ દંપત્તિની આવક મર્યાદા ધ્યાને લેવાશે. 

વ્હાલી દીકરી યોજના હેઠળ વર્ષ ૨૦૨૪માં સુરેન્દ્રનગર જિલ્લાની ૧,૫૯૮ દીકરીઓને કુલ રૂ. ૧૭.૫૭ કરોડથી વધુની સહાય મંજૂર કરાઈ હોવાનું રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ  વિધાનસભામાં પૂછાયેલ એક પ્રશ્નના જવાબમાં આમ જણાવ્યું હતું.  






ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .