પર્સનલ સેક્રેટરી માટેની ટિકિટની રજૂઆતની વાત પર વજુભાઈએ તોડી ચૂપી, કહ્યું તેજસ ભટ્ટી મારો PA નહીં, ભાજપ કાર્યકર છે


  • Published By :
  • Published Date : 2022-11-08 16:51:45

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કયા ઉમેદવારને ટિકિટ આપવી તે માટે ભાજપ મનોમંથન કરી રહી છે. ત્યારે વજુભાઈના આગમનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એવી વાત વહેંતી થઈ હતી જે વજુભાઈએ પોતાના પર્સનલ સેક્રેટરી માટે ટિકિટની માગણી કરી છે. વહેતી વાતો પર વજુભાઈએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે.


કાર્યકરો ઉમેદવારને જીતાડવા તનતોડ મહેનત કરશે 

એવી અટકળો હતી કે વજુભાઈએ રાજકોટમાં ભાજપનો ગઢ ગણાતી પશ્ચિમ બેઠક માટે પોતાના સેક્રેટરી માટે પાર્ટીને રજૂઆત કરી હતી. ત્યારે આ વાતો પર પૂર્ણ વિરામ મૂકતા તેમણે કહ્યું કે રાજકોટમાં ઓબીસીની કોઈપણ બેઠક નથી. જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે. તેજસ ભટ્ટી મારા અંગત મદદનીશ નહીં, પણ ભાજપનો કાર્યકર છે. તે પણ ભાજપના કાર્યકર છે અને આ કારણે તેમણે પોતાની દાવેદારી નોંધાવી છે. જો વિજય રૂપાણીને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે તો પણ તેમને જીતાડવા તમામ કાર્યકરો તનતોડ મહેનત કરશે.    


મોરબી દુર્ઘટનામાં સરકારનો વાંક નથી 

મોરબીમાં બનેલી ઘટના અંગે તેમણે કહ્યું કે મોરબીની દુર્ઘટનામાં રાજ્ય સરકારનો કોઈ દોષી નથી. નગરાપાલિકાએ પોતાની રીતે કોન્ટ્રેક્ટ આપ્યો હતો. પરંતુ કંપની આ પ્રોજેક્ટ કરવા સક્ષમ છે કે નહીં તે અંગે તપાસ કર્યા વિના આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં સરકારનો કોઈ વાંક નથી. આ દુર્ઘટના બની એમાં રાજ્ય સરકારનો વાંક નથી. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.