પર્સનલ સેક્રેટરી માટેની ટિકિટની રજૂઆતની વાત પર વજુભાઈએ તોડી ચૂપી, કહ્યું તેજસ ભટ્ટી મારો PA નહીં, ભાજપ કાર્યકર છે


  • Published By :
  • Published Date : 2022-11-08 16:51:45

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કયા ઉમેદવારને ટિકિટ આપવી તે માટે ભાજપ મનોમંથન કરી રહી છે. ત્યારે વજુભાઈના આગમનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એવી વાત વહેંતી થઈ હતી જે વજુભાઈએ પોતાના પર્સનલ સેક્રેટરી માટે ટિકિટની માગણી કરી છે. વહેતી વાતો પર વજુભાઈએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે.


કાર્યકરો ઉમેદવારને જીતાડવા તનતોડ મહેનત કરશે 

એવી અટકળો હતી કે વજુભાઈએ રાજકોટમાં ભાજપનો ગઢ ગણાતી પશ્ચિમ બેઠક માટે પોતાના સેક્રેટરી માટે પાર્ટીને રજૂઆત કરી હતી. ત્યારે આ વાતો પર પૂર્ણ વિરામ મૂકતા તેમણે કહ્યું કે રાજકોટમાં ઓબીસીની કોઈપણ બેઠક નથી. જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે. તેજસ ભટ્ટી મારા અંગત મદદનીશ નહીં, પણ ભાજપનો કાર્યકર છે. તે પણ ભાજપના કાર્યકર છે અને આ કારણે તેમણે પોતાની દાવેદારી નોંધાવી છે. જો વિજય રૂપાણીને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે તો પણ તેમને જીતાડવા તમામ કાર્યકરો તનતોડ મહેનત કરશે.    


મોરબી દુર્ઘટનામાં સરકારનો વાંક નથી 

મોરબીમાં બનેલી ઘટના અંગે તેમણે કહ્યું કે મોરબીની દુર્ઘટનામાં રાજ્ય સરકારનો કોઈ દોષી નથી. નગરાપાલિકાએ પોતાની રીતે કોન્ટ્રેક્ટ આપ્યો હતો. પરંતુ કંપની આ પ્રોજેક્ટ કરવા સક્ષમ છે કે નહીં તે અંગે તપાસ કર્યા વિના આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં સરકારનો કોઈ વાંક નથી. આ દુર્ઘટના બની એમાં રાજ્ય સરકારનો વાંક નથી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે