પર્સનલ સેક્રેટરી માટેની ટિકિટની રજૂઆતની વાત પર વજુભાઈએ તોડી ચૂપી, કહ્યું તેજસ ભટ્ટી મારો PA નહીં, ભાજપ કાર્યકર છે


  • Published By :
  • Published Date : 2022-11-08 16:51:45

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કયા ઉમેદવારને ટિકિટ આપવી તે માટે ભાજપ મનોમંથન કરી રહી છે. ત્યારે વજુભાઈના આગમનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એવી વાત વહેંતી થઈ હતી જે વજુભાઈએ પોતાના પર્સનલ સેક્રેટરી માટે ટિકિટની માગણી કરી છે. વહેતી વાતો પર વજુભાઈએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે.


કાર્યકરો ઉમેદવારને જીતાડવા તનતોડ મહેનત કરશે 

એવી અટકળો હતી કે વજુભાઈએ રાજકોટમાં ભાજપનો ગઢ ગણાતી પશ્ચિમ બેઠક માટે પોતાના સેક્રેટરી માટે પાર્ટીને રજૂઆત કરી હતી. ત્યારે આ વાતો પર પૂર્ણ વિરામ મૂકતા તેમણે કહ્યું કે રાજકોટમાં ઓબીસીની કોઈપણ બેઠક નથી. જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે. તેજસ ભટ્ટી મારા અંગત મદદનીશ નહીં, પણ ભાજપનો કાર્યકર છે. તે પણ ભાજપના કાર્યકર છે અને આ કારણે તેમણે પોતાની દાવેદારી નોંધાવી છે. જો વિજય રૂપાણીને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે તો પણ તેમને જીતાડવા તમામ કાર્યકરો તનતોડ મહેનત કરશે.    


મોરબી દુર્ઘટનામાં સરકારનો વાંક નથી 

મોરબીમાં બનેલી ઘટના અંગે તેમણે કહ્યું કે મોરબીની દુર્ઘટનામાં રાજ્ય સરકારનો કોઈ દોષી નથી. નગરાપાલિકાએ પોતાની રીતે કોન્ટ્રેક્ટ આપ્યો હતો. પરંતુ કંપની આ પ્રોજેક્ટ કરવા સક્ષમ છે કે નહીં તે અંગે તપાસ કર્યા વિના આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં સરકારનો કોઈ વાંક નથી. આ દુર્ઘટના બની એમાં રાજ્ય સરકારનો વાંક નથી. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.