પર્સનલ સેક્રેટરી માટેની ટિકિટની રજૂઆતની વાત પર વજુભાઈએ તોડી ચૂપી, કહ્યું તેજસ ભટ્ટી મારો PA નહીં, ભાજપ કાર્યકર છે


  • Published By :
  • Published Date : 2022-11-08 16:51:45

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કયા ઉમેદવારને ટિકિટ આપવી તે માટે ભાજપ મનોમંથન કરી રહી છે. ત્યારે વજુભાઈના આગમનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એવી વાત વહેંતી થઈ હતી જે વજુભાઈએ પોતાના પર્સનલ સેક્રેટરી માટે ટિકિટની માગણી કરી છે. વહેતી વાતો પર વજુભાઈએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે.


કાર્યકરો ઉમેદવારને જીતાડવા તનતોડ મહેનત કરશે 

એવી અટકળો હતી કે વજુભાઈએ રાજકોટમાં ભાજપનો ગઢ ગણાતી પશ્ચિમ બેઠક માટે પોતાના સેક્રેટરી માટે પાર્ટીને રજૂઆત કરી હતી. ત્યારે આ વાતો પર પૂર્ણ વિરામ મૂકતા તેમણે કહ્યું કે રાજકોટમાં ઓબીસીની કોઈપણ બેઠક નથી. જીતી શકતા હોય તેને જ પાર્ટી ટિકિટ આપશે. તેજસ ભટ્ટી મારા અંગત મદદનીશ નહીં, પણ ભાજપનો કાર્યકર છે. તે પણ ભાજપના કાર્યકર છે અને આ કારણે તેમણે પોતાની દાવેદારી નોંધાવી છે. જો વિજય રૂપાણીને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે તો પણ તેમને જીતાડવા તમામ કાર્યકરો તનતોડ મહેનત કરશે.    


મોરબી દુર્ઘટનામાં સરકારનો વાંક નથી 

મોરબીમાં બનેલી ઘટના અંગે તેમણે કહ્યું કે મોરબીની દુર્ઘટનામાં રાજ્ય સરકારનો કોઈ દોષી નથી. નગરાપાલિકાએ પોતાની રીતે કોન્ટ્રેક્ટ આપ્યો હતો. પરંતુ કંપની આ પ્રોજેક્ટ કરવા સક્ષમ છે કે નહીં તે અંગે તપાસ કર્યા વિના આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં સરકારનો કોઈ વાંક નથી. આ દુર્ઘટના બની એમાં રાજ્ય સરકારનો વાંક નથી. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.