વજુભાઈ વાળાએ કોંગ્રેસના વિસર્જનની વાત કહીં, ગાંધીજી ખરેખર શું બોલ્યા હતા?


  • Published By :
  • Published Date : 2022-12-09 18:33:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના અગ્રણી નેતા અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વજુભાઈ વાળા કોંગ્રેસનું વિસર્જન કરવાનું કહીં રહ્યા છે અને તેમના આ વીડિયોમાં ગાંધીજીનો પણ ઉલ્લેખ કર્યો. જો કે આ વીડિયો બાદ એ ચર્ચા ચાલી છે કે ખરેખર ગાંધીજીએ કોંગ્રેસના વિસર્જનની વાત કહીં હતી ખરી?


કોંગ્રેસનું વિસર્જન કરવાનું શા માટે કહ્યું હતું?


આઝાદીની લડતમાં કોંગ્રેસનો એક સંસ્થા તરીકે સિંહફાળો રહ્યો છે. જો કે દેશ સ્વતંત્ર થયા બાદ કોંગ્રેસની શું ભૂમિકા રહેશે તે અંગે અંગે પૂછવામાં આવતા ગાંધીજીએ કૉંગ્રેસને દેશની 'જૂનામાં જૂની રાજકીય સંસ્થા' ગણાવીને ગાંધીજીએ કહ્યું હતું, કે સ્વતંત્રતાનાં પહેલાં પાંચ વરસ દરમિયાન આખા દેશની તાકાત દેશના ઘડતરમાં નહીં જોતરાય, તો ત્રીસ વરસની આઝાદીની લડત પર પાણી ફરી જશે. તેથી તેમણે કોંગ્રેસને રાજકીય રીતે વિખેરી એક સામાજીક સંસ્થામાં પરિવર્તીત કરવાની વાત કહીં હતી. ગાંધીજીએ કહ્યું હતું કે રાજકીય આઝાદી મળી ગયા પછી આર્થિક, સામાજિક, નૈતિક સ્વતંત્રતા માટે કૉંગ્રેસે કામ કરવાનું છે અને એ રાજકીય નહીં, પણ રચનાત્મક માર્ગે, અને તે કામ ગામડાંમાં રહીને જ થઈ શકશે. આઝાદી બાદ કોંગ્રેસના યોગદાનની પ્રસંશા કરતા ગાંધીજીએ કહ્યું હતું કે 'અનેક લડતો લડીને કોંગ્રેસે અહિંસાના માર્ગે આઝાદી મેળવી. એવી સંસ્થાને મરવા ન દેવાય. એ તો રાષ્ટ્ર મરે તો જ મરી શકે. જીવંત સંસ્થા ચેતનવાળા પ્રાણીની જેમ વધતી અને વિકાસ પામતી રહે. તેમ ન થાય તો તે મરી જાય.' ગાંધીજીએ કૉંગ્રેસનો રાજકીય આંદોલન માટે ઉપયોગ કર્યો ખરો પણ તેને માત્ર રાજકીય સંસ્થા ગણવાને બદલે રાષ્ટ્રીય સંસ્થા તરીકે જોઈ હતી. આઝાદી મળી ગયા પછી લોકોના ઘડતરની જવાબદારી કૉંગ્રેસની છે, એવું ગાંધીજીને લાગતું હતું.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.