વજુભાઈ વાળાએ કોંગ્રેસના વિસર્જનની વાત કહીં, ગાંધીજી ખરેખર શું બોલ્યા હતા?


  • Published By :
  • Published Date : 2022-12-09 18:33:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના અગ્રણી નેતા અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વજુભાઈ વાળા કોંગ્રેસનું વિસર્જન કરવાનું કહીં રહ્યા છે અને તેમના આ વીડિયોમાં ગાંધીજીનો પણ ઉલ્લેખ કર્યો. જો કે આ વીડિયો બાદ એ ચર્ચા ચાલી છે કે ખરેખર ગાંધીજીએ કોંગ્રેસના વિસર્જનની વાત કહીં હતી ખરી?


કોંગ્રેસનું વિસર્જન કરવાનું શા માટે કહ્યું હતું?


આઝાદીની લડતમાં કોંગ્રેસનો એક સંસ્થા તરીકે સિંહફાળો રહ્યો છે. જો કે દેશ સ્વતંત્ર થયા બાદ કોંગ્રેસની શું ભૂમિકા રહેશે તે અંગે અંગે પૂછવામાં આવતા ગાંધીજીએ કૉંગ્રેસને દેશની 'જૂનામાં જૂની રાજકીય સંસ્થા' ગણાવીને ગાંધીજીએ કહ્યું હતું, કે સ્વતંત્રતાનાં પહેલાં પાંચ વરસ દરમિયાન આખા દેશની તાકાત દેશના ઘડતરમાં નહીં જોતરાય, તો ત્રીસ વરસની આઝાદીની લડત પર પાણી ફરી જશે. તેથી તેમણે કોંગ્રેસને રાજકીય રીતે વિખેરી એક સામાજીક સંસ્થામાં પરિવર્તીત કરવાની વાત કહીં હતી. ગાંધીજીએ કહ્યું હતું કે રાજકીય આઝાદી મળી ગયા પછી આર્થિક, સામાજિક, નૈતિક સ્વતંત્રતા માટે કૉંગ્રેસે કામ કરવાનું છે અને એ રાજકીય નહીં, પણ રચનાત્મક માર્ગે, અને તે કામ ગામડાંમાં રહીને જ થઈ શકશે. આઝાદી બાદ કોંગ્રેસના યોગદાનની પ્રસંશા કરતા ગાંધીજીએ કહ્યું હતું કે 'અનેક લડતો લડીને કોંગ્રેસે અહિંસાના માર્ગે આઝાદી મેળવી. એવી સંસ્થાને મરવા ન દેવાય. એ તો રાષ્ટ્ર મરે તો જ મરી શકે. જીવંત સંસ્થા ચેતનવાળા પ્રાણીની જેમ વધતી અને વિકાસ પામતી રહે. તેમ ન થાય તો તે મરી જાય.' ગાંધીજીએ કૉંગ્રેસનો રાજકીય આંદોલન માટે ઉપયોગ કર્યો ખરો પણ તેને માત્ર રાજકીય સંસ્થા ગણવાને બદલે રાષ્ટ્રીય સંસ્થા તરીકે જોઈ હતી. આઝાદી મળી ગયા પછી લોકોના ઘડતરની જવાબદારી કૉંગ્રેસની છે, એવું ગાંધીજીને લાગતું હતું.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .