વજુભાઈ વાળાએ કોંગ્રેસના વિસર્જનની વાત કહીં, ગાંધીજી ખરેખર શું બોલ્યા હતા?


  • Published By :
  • Published Date : 2022-12-09 18:33:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના અગ્રણી નેતા અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વજુભાઈ વાળા કોંગ્રેસનું વિસર્જન કરવાનું કહીં રહ્યા છે અને તેમના આ વીડિયોમાં ગાંધીજીનો પણ ઉલ્લેખ કર્યો. જો કે આ વીડિયો બાદ એ ચર્ચા ચાલી છે કે ખરેખર ગાંધીજીએ કોંગ્રેસના વિસર્જનની વાત કહીં હતી ખરી?


કોંગ્રેસનું વિસર્જન કરવાનું શા માટે કહ્યું હતું?


આઝાદીની લડતમાં કોંગ્રેસનો એક સંસ્થા તરીકે સિંહફાળો રહ્યો છે. જો કે દેશ સ્વતંત્ર થયા બાદ કોંગ્રેસની શું ભૂમિકા રહેશે તે અંગે અંગે પૂછવામાં આવતા ગાંધીજીએ કૉંગ્રેસને દેશની 'જૂનામાં જૂની રાજકીય સંસ્થા' ગણાવીને ગાંધીજીએ કહ્યું હતું, કે સ્વતંત્રતાનાં પહેલાં પાંચ વરસ દરમિયાન આખા દેશની તાકાત દેશના ઘડતરમાં નહીં જોતરાય, તો ત્રીસ વરસની આઝાદીની લડત પર પાણી ફરી જશે. તેથી તેમણે કોંગ્રેસને રાજકીય રીતે વિખેરી એક સામાજીક સંસ્થામાં પરિવર્તીત કરવાની વાત કહીં હતી. ગાંધીજીએ કહ્યું હતું કે રાજકીય આઝાદી મળી ગયા પછી આર્થિક, સામાજિક, નૈતિક સ્વતંત્રતા માટે કૉંગ્રેસે કામ કરવાનું છે અને એ રાજકીય નહીં, પણ રચનાત્મક માર્ગે, અને તે કામ ગામડાંમાં રહીને જ થઈ શકશે. આઝાદી બાદ કોંગ્રેસના યોગદાનની પ્રસંશા કરતા ગાંધીજીએ કહ્યું હતું કે 'અનેક લડતો લડીને કોંગ્રેસે અહિંસાના માર્ગે આઝાદી મેળવી. એવી સંસ્થાને મરવા ન દેવાય. એ તો રાષ્ટ્ર મરે તો જ મરી શકે. જીવંત સંસ્થા ચેતનવાળા પ્રાણીની જેમ વધતી અને વિકાસ પામતી રહે. તેમ ન થાય તો તે મરી જાય.' ગાંધીજીએ કૉંગ્રેસનો રાજકીય આંદોલન માટે ઉપયોગ કર્યો ખરો પણ તેને માત્ર રાજકીય સંસ્થા ગણવાને બદલે રાષ્ટ્રીય સંસ્થા તરીકે જોઈ હતી. આઝાદી મળી ગયા પછી લોકોના ઘડતરની જવાબદારી કૉંગ્રેસની છે, એવું ગાંધીજીને લાગતું હતું.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.