Mehsanaમાં વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, PM Modi અને અયોધ્યાથી મહેમાનો આવશે ગુજરાત!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-06 12:09:57

22 જાન્યુઆરીના દિવસે રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હતી.  પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી કરોડો લોકો બન્યા હતા. ત્યારે ગુજરાતના મહેમાન પીએમ મોદી અને અયોધ્યાના લોકો બનાવાના છે. વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં પીએમ પણ ભાગ લેશે



16થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે કાર્યક્રમ 

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશના લોકોમાં અનેરો ઉત્સાહ હતો. અનેક દાયકાઓ બાદ આવી ક્ષણ આવી હતી જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 ફેબ્રુઆરી સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશના અનેક સાધુ-સંતો અને મહંતો ભાગ લેશે. અયોધ્યાથી પણ વિશેષ મહેમાનો ગુજરાતના મહેસાણામાં આવવાના છે. 


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદી આપશે હાજરી 

મળતી માહિતી અનુસાર ત્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, મહેસાણાના વાળીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારી પણ તેજ કરી દેવાઈ છે. મહેસાણાના વિસનગર ખાતે આકાર લઈ રહેલું ભવ્ય વાળીનાથ મંદિર સોમનાથ મંદિર પછીનું સૌથી મોટું શિવાલય હશે. મહંત જયરામગીરીએ જણાવ્યું હતું કે, વાળીનાથ મંદિર આખા ગુજરાતનું આસ્થા અને અધ્યાત્મનું કેન્દ્ર છે. બળદેવગીરી મહારાજનું આ મંદિર બનાવવા માટેનું સ્વપ્ન હતું. 


અમિત શાહ તેમજ આનંદીબેન પટેલ પણ રહેશે કાર્યક્રમમાં હાજર  

વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને મહંત જયરામગીરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ દેશના PM નરેન્દ્ર મોદી મહેસાણાના વાળીનાથ મહાદેવ મંદિર પર ઉપસ્થિત રહેવાના છે. PM મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાના છે. દેશના અનેક સંતોને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.



એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.