Mehsanaમાં વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, PM Modi અને અયોધ્યાથી મહેમાનો આવશે ગુજરાત!


  • Published By :
  • Published Date : 2024-02-06 12:09:57

22 જાન્યુઆરીના દિવસે રામ લલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હતી.  પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી કરોડો લોકો બન્યા હતા. ત્યારે ગુજરાતના મહેમાન પીએમ મોદી અને અયોધ્યાના લોકો બનાવાના છે. વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં પીએમ પણ ભાગ લેશે



16થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો છે કાર્યક્રમ 

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશના લોકોમાં અનેરો ઉત્સાહ હતો. અનેક દાયકાઓ બાદ આવી ક્ષણ આવી હતી જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા હોય છે. ત્યારે મહેસાણાના વિસનગર ખાતે નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 ફેબ્રુઆરી સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દેશના અનેક સાધુ-સંતો અને મહંતો ભાગ લેશે. અયોધ્યાથી પણ વિશેષ મહેમાનો ગુજરાતના મહેસાણામાં આવવાના છે. 


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદી આપશે હાજરી 

મળતી માહિતી અનુસાર ત્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, મહેસાણાના વાળીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં PM નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારી પણ તેજ કરી દેવાઈ છે. મહેસાણાના વિસનગર ખાતે આકાર લઈ રહેલું ભવ્ય વાળીનાથ મંદિર સોમનાથ મંદિર પછીનું સૌથી મોટું શિવાલય હશે. મહંત જયરામગીરીએ જણાવ્યું હતું કે, વાળીનાથ મંદિર આખા ગુજરાતનું આસ્થા અને અધ્યાત્મનું કેન્દ્ર છે. બળદેવગીરી મહારાજનું આ મંદિર બનાવવા માટેનું સ્વપ્ન હતું. 


અમિત શાહ તેમજ આનંદીબેન પટેલ પણ રહેશે કાર્યક્રમમાં હાજર  

વાળીનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને મહંત જયરામગીરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. 22 ફેબ્રુઆરીએ દેશના PM નરેન્દ્ર મોદી મહેસાણાના વાળીનાથ મહાદેવ મંદિર પર ઉપસ્થિત રહેવાના છે. PM મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાના છે. દેશના અનેક સંતોને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.



દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.