વલસાડ: ટ્રેનની અડફેટે ૨૧ ગાયોમાં મોતથી ખળભળાટ,ગાયોના માથા અને પગ કપાયા; ગૌ પ્રેમીઓમાં રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 08:45:00

વલસાડ વિભાગના ડુંગરી રેલવે સ્ટેશન અને જોરાવાસણા વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો. 21 ગાયોના મોત,

ગયા વર્ષે ટ્રેનની અડફેટે પણ 10 જેટલી ગાયોના મોત થયા હતા


આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઉપરાંત પોલીસની સાથે ગૌપ્રેમીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 21 ગાયોના મોત થતાં રોષ ભભૂકી ઉઠ્યો છે


નોંધનીય છે કે બે દિવસ પહેલા સતત બે દિવસ વંદે ભારત ટ્રેનનો અકસ્માત થયો હતો. પહેલા દિવસે મણિનગર-વટવા રેલ્વે વચ્ચે વંદે ભારત ટ્રેન ભેંસ સાથે અથડાઈ હતી.બીજા દિવસે આણંદ અને બોરીયાવી વચ્ચે વંદે ભારત ટ્રેન ગાય સાથે અથડાઈ હતી



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .