Valsad : ગંભીર બેદરકારી બદલ પતિએ પત્ની વિરૂદ્ધ કરી પોલીસ ફરિયાદ! ગાડી ચલાવતો વીડિયો જોઈ ભડક્યો પતિ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-08 09:31:09

અનેક વખત આપણે યુવાનોને વાહનો પર સ્ટંટ કરતા જોયા હશે. છુટા હાથે વાહન ચલાવતા કે સ્પીડમાં વાહનો ચલાવતા યુવાનોને કારણે લોકોના જીવ પર સંકટ રહેતું હોય છે. યુવાનોને ગાડી ચલાવતા આપણે જોયા હશે પરંતુ જો નાના બાળકને ગાડી ચલાવવા આપી દેવાય તો? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે વલસાડમાં એક બાળક ગાડી ચલાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોની વાત કરવામાં આવી રહી છે તેમાં બાળક માસાના ખોળામાં બેસી ગાડીનું સ્ટિયરિંગ પકડી સ્ટંટ કરતો હોય તેવું દેખાઈ રહ્યું છે. માતાએ આ વીડિયોને સ્ટેટસમાં મૂક્યું અને તેના પતિએ પત્ની તેમજ સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે તેવી માહિતી સામે આવી છે.     


 

સ્ટંટ કરવાના ચક્કરમાં અનેક વખત સર્જાય છે દુર્ઘટના 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર લોકોના મોત થઈ જતા હોય છે. સ્ટંટ કરવાના ચક્કરમાં, સોશિયલ મીડિયા પર મૂકવાના ચક્કરમાં અનેક વખત લોકો પોતાના જીવને તેમજ બીજાના જીવને જોખમમાં મૂકે છે. ઓવર સ્પીડિંગમાં વાહન પરથી કાબુ ગુમાવી દીધો તો, ગંભીર અકસ્માત થાય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. અનેક વખત સોશિયલ મીડિયા પર આવા સ્ટંટ કરતા વીડિયો પણ મૂકવામાં આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા સ્ટેટસમાં મૂકવામાં આવેલા વીડિયોને કારણે પતિએ પોતાની પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જે વીડિયોને લઈ પતિએ કેસ દાખલ કર્યો તેમાં તેમનો 10 વર્ષનો બાળક માસાના ખોળામાં બેસી ગાડી ચલાવતો હતો.  


માસાના ખોળામાં બેસી 10 વર્ષના બાળકે ચલાવી ગાડી!

આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા જેનીશ રાઠોડે તેમની પત્ની અને તેમના સાઢુભાઈ વિરૂદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં તેમની પત્ની ખુશ્બુ અને તેમના સાઢુભાઈ ગાડી લઈને દમણ ફરવા ગયા હતા. મમ્મી પોતાના 10 વર્ષના બાળકને પણ સાથે લઈ ગયા.વલસાડ જિલ્લાની હદમાંથી પસાર થતી વખતે પત્નીએ તેના દસ વર્ષના બાળકને સાઢુભાઈના ખોળામાં બેસાડ્યો અને ત્યારબાદ કાર ચલાવતા હોવાનો વીડિયો રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. 


સ્ટેટસમાં મૂકેલો વીડિયો પિતાએ જોયો અને પછી...  

સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે તેબાળકનો વીડિયો તેના પિતાએ જોયો. આ વીડિયોને લઈ તેમણે પોતાના પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી. બાળક મસ્તીમાં કાર ચલાવી રહ્યો હતો પરંતુ તેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાય તેવી બેદરકારી રાખવા બદલ પતિએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે પતિ પત્નીને એક બીજા સાથે નથી બનતું જેને કારણે બંને એકબીજાથી જૂદા રહે છે. 


જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? 

મહત્વનું છે કે બાળકને તો નથી ખબર કે તેની આ મસ્તી અનેક લોકો માટે ગંભીર સાબિત થઈ શકે છે. બાળકને તો મજા જ આવે જો એને ગાડી ચલાવવા આપવામાં આવે! બાળક ભલે નાદાન છે પરંતુ તેની માતા અને તેના માસાને તો ખબર હોવી જોઈએ કે આ કેટલી મોટી ભૂલ છે. બાળકની મસ્તીને કારણે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદની ચર્ચાઓ થઈ રહી છે. લોકો એવું માની રહ્યા છે કે માતા અને માસાને સબક તો મળવો જોઈએ. મહત્વનું છે કે આપણે પણ વાહન ચલાવતી વખતે સતર્કતા રાખવી જોઈએ.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.