Valsad : ગંભીર બેદરકારી બદલ પતિએ પત્ની વિરૂદ્ધ કરી પોલીસ ફરિયાદ! ગાડી ચલાવતો વીડિયો જોઈ ભડક્યો પતિ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-08 09:31:09

અનેક વખત આપણે યુવાનોને વાહનો પર સ્ટંટ કરતા જોયા હશે. છુટા હાથે વાહન ચલાવતા કે સ્પીડમાં વાહનો ચલાવતા યુવાનોને કારણે લોકોના જીવ પર સંકટ રહેતું હોય છે. યુવાનોને ગાડી ચલાવતા આપણે જોયા હશે પરંતુ જો નાના બાળકને ગાડી ચલાવવા આપી દેવાય તો? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે વલસાડમાં એક બાળક ગાડી ચલાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોની વાત કરવામાં આવી રહી છે તેમાં બાળક માસાના ખોળામાં બેસી ગાડીનું સ્ટિયરિંગ પકડી સ્ટંટ કરતો હોય તેવું દેખાઈ રહ્યું છે. માતાએ આ વીડિયોને સ્ટેટસમાં મૂક્યું અને તેના પતિએ પત્ની તેમજ સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે તેવી માહિતી સામે આવી છે.     


 

સ્ટંટ કરવાના ચક્કરમાં અનેક વખત સર્જાય છે દુર્ઘટના 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર લોકોના મોત થઈ જતા હોય છે. સ્ટંટ કરવાના ચક્કરમાં, સોશિયલ મીડિયા પર મૂકવાના ચક્કરમાં અનેક વખત લોકો પોતાના જીવને તેમજ બીજાના જીવને જોખમમાં મૂકે છે. ઓવર સ્પીડિંગમાં વાહન પરથી કાબુ ગુમાવી દીધો તો, ગંભીર અકસ્માત થાય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. અનેક વખત સોશિયલ મીડિયા પર આવા સ્ટંટ કરતા વીડિયો પણ મૂકવામાં આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા સ્ટેટસમાં મૂકવામાં આવેલા વીડિયોને કારણે પતિએ પોતાની પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જે વીડિયોને લઈ પતિએ કેસ દાખલ કર્યો તેમાં તેમનો 10 વર્ષનો બાળક માસાના ખોળામાં બેસી ગાડી ચલાવતો હતો.  


માસાના ખોળામાં બેસી 10 વર્ષના બાળકે ચલાવી ગાડી!

આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા જેનીશ રાઠોડે તેમની પત્ની અને તેમના સાઢુભાઈ વિરૂદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં તેમની પત્ની ખુશ્બુ અને તેમના સાઢુભાઈ ગાડી લઈને દમણ ફરવા ગયા હતા. મમ્મી પોતાના 10 વર્ષના બાળકને પણ સાથે લઈ ગયા.વલસાડ જિલ્લાની હદમાંથી પસાર થતી વખતે પત્નીએ તેના દસ વર્ષના બાળકને સાઢુભાઈના ખોળામાં બેસાડ્યો અને ત્યારબાદ કાર ચલાવતા હોવાનો વીડિયો રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. 


સ્ટેટસમાં મૂકેલો વીડિયો પિતાએ જોયો અને પછી...  

સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે તેબાળકનો વીડિયો તેના પિતાએ જોયો. આ વીડિયોને લઈ તેમણે પોતાના પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી. બાળક મસ્તીમાં કાર ચલાવી રહ્યો હતો પરંતુ તેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાય તેવી બેદરકારી રાખવા બદલ પતિએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે પતિ પત્નીને એક બીજા સાથે નથી બનતું જેને કારણે બંને એકબીજાથી જૂદા રહે છે. 


જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? 

મહત્વનું છે કે બાળકને તો નથી ખબર કે તેની આ મસ્તી અનેક લોકો માટે ગંભીર સાબિત થઈ શકે છે. બાળકને તો મજા જ આવે જો એને ગાડી ચલાવવા આપવામાં આવે! બાળક ભલે નાદાન છે પરંતુ તેની માતા અને તેના માસાને તો ખબર હોવી જોઈએ કે આ કેટલી મોટી ભૂલ છે. બાળકની મસ્તીને કારણે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદની ચર્ચાઓ થઈ રહી છે. લોકો એવું માની રહ્યા છે કે માતા અને માસાને સબક તો મળવો જોઈએ. મહત્વનું છે કે આપણે પણ વાહન ચલાવતી વખતે સતર્કતા રાખવી જોઈએ.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.