Valsad : ગંભીર બેદરકારી બદલ પતિએ પત્ની વિરૂદ્ધ કરી પોલીસ ફરિયાદ! ગાડી ચલાવતો વીડિયો જોઈ ભડક્યો પતિ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-08 09:31:09

અનેક વખત આપણે યુવાનોને વાહનો પર સ્ટંટ કરતા જોયા હશે. છુટા હાથે વાહન ચલાવતા કે સ્પીડમાં વાહનો ચલાવતા યુવાનોને કારણે લોકોના જીવ પર સંકટ રહેતું હોય છે. યુવાનોને ગાડી ચલાવતા આપણે જોયા હશે પરંતુ જો નાના બાળકને ગાડી ચલાવવા આપી દેવાય તો? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે વલસાડમાં એક બાળક ગાડી ચલાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોની વાત કરવામાં આવી રહી છે તેમાં બાળક માસાના ખોળામાં બેસી ગાડીનું સ્ટિયરિંગ પકડી સ્ટંટ કરતો હોય તેવું દેખાઈ રહ્યું છે. માતાએ આ વીડિયોને સ્ટેટસમાં મૂક્યું અને તેના પતિએ પત્ની તેમજ સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે તેવી માહિતી સામે આવી છે.     


 

સ્ટંટ કરવાના ચક્કરમાં અનેક વખત સર્જાય છે દુર્ઘટના 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર લોકોના મોત થઈ જતા હોય છે. સ્ટંટ કરવાના ચક્કરમાં, સોશિયલ મીડિયા પર મૂકવાના ચક્કરમાં અનેક વખત લોકો પોતાના જીવને તેમજ બીજાના જીવને જોખમમાં મૂકે છે. ઓવર સ્પીડિંગમાં વાહન પરથી કાબુ ગુમાવી દીધો તો, ગંભીર અકસ્માત થાય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. અનેક વખત સોશિયલ મીડિયા પર આવા સ્ટંટ કરતા વીડિયો પણ મૂકવામાં આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા સ્ટેટસમાં મૂકવામાં આવેલા વીડિયોને કારણે પતિએ પોતાની પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જે વીડિયોને લઈ પતિએ કેસ દાખલ કર્યો તેમાં તેમનો 10 વર્ષનો બાળક માસાના ખોળામાં બેસી ગાડી ચલાવતો હતો.  


માસાના ખોળામાં બેસી 10 વર્ષના બાળકે ચલાવી ગાડી!

આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા જેનીશ રાઠોડે તેમની પત્ની અને તેમના સાઢુભાઈ વિરૂદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં તેમની પત્ની ખુશ્બુ અને તેમના સાઢુભાઈ ગાડી લઈને દમણ ફરવા ગયા હતા. મમ્મી પોતાના 10 વર્ષના બાળકને પણ સાથે લઈ ગયા.વલસાડ જિલ્લાની હદમાંથી પસાર થતી વખતે પત્નીએ તેના દસ વર્ષના બાળકને સાઢુભાઈના ખોળામાં બેસાડ્યો અને ત્યારબાદ કાર ચલાવતા હોવાનો વીડિયો રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. 


સ્ટેટસમાં મૂકેલો વીડિયો પિતાએ જોયો અને પછી...  

સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે તેબાળકનો વીડિયો તેના પિતાએ જોયો. આ વીડિયોને લઈ તેમણે પોતાના પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી. બાળક મસ્તીમાં કાર ચલાવી રહ્યો હતો પરંતુ તેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાય તેવી બેદરકારી રાખવા બદલ પતિએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે પતિ પત્નીને એક બીજા સાથે નથી બનતું જેને કારણે બંને એકબીજાથી જૂદા રહે છે. 


જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? 

મહત્વનું છે કે બાળકને તો નથી ખબર કે તેની આ મસ્તી અનેક લોકો માટે ગંભીર સાબિત થઈ શકે છે. બાળકને તો મજા જ આવે જો એને ગાડી ચલાવવા આપવામાં આવે! બાળક ભલે નાદાન છે પરંતુ તેની માતા અને તેના માસાને તો ખબર હોવી જોઈએ કે આ કેટલી મોટી ભૂલ છે. બાળકની મસ્તીને કારણે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદની ચર્ચાઓ થઈ રહી છે. લોકો એવું માની રહ્યા છે કે માતા અને માસાને સબક તો મળવો જોઈએ. મહત્વનું છે કે આપણે પણ વાહન ચલાવતી વખતે સતર્કતા રાખવી જોઈએ.  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.