Valsad : ગંભીર બેદરકારી બદલ પતિએ પત્ની વિરૂદ્ધ કરી પોલીસ ફરિયાદ! ગાડી ચલાવતો વીડિયો જોઈ ભડક્યો પતિ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-08 09:31:09

અનેક વખત આપણે યુવાનોને વાહનો પર સ્ટંટ કરતા જોયા હશે. છુટા હાથે વાહન ચલાવતા કે સ્પીડમાં વાહનો ચલાવતા યુવાનોને કારણે લોકોના જીવ પર સંકટ રહેતું હોય છે. યુવાનોને ગાડી ચલાવતા આપણે જોયા હશે પરંતુ જો નાના બાળકને ગાડી ચલાવવા આપી દેવાય તો? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે વલસાડમાં એક બાળક ગાડી ચલાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયોની વાત કરવામાં આવી રહી છે તેમાં બાળક માસાના ખોળામાં બેસી ગાડીનું સ્ટિયરિંગ પકડી સ્ટંટ કરતો હોય તેવું દેખાઈ રહ્યું છે. માતાએ આ વીડિયોને સ્ટેટસમાં મૂક્યું અને તેના પતિએ પત્ની તેમજ સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે તેવી માહિતી સામે આવી છે.     


 

સ્ટંટ કરવાના ચક્કરમાં અનેક વખત સર્જાય છે દુર્ઘટના 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક અકસ્માતો એટલા ગંભીર હોય છે કે ઘટનાસ્થળ પર લોકોના મોત થઈ જતા હોય છે. સ્ટંટ કરવાના ચક્કરમાં, સોશિયલ મીડિયા પર મૂકવાના ચક્કરમાં અનેક વખત લોકો પોતાના જીવને તેમજ બીજાના જીવને જોખમમાં મૂકે છે. ઓવર સ્પીડિંગમાં વાહન પરથી કાબુ ગુમાવી દીધો તો, ગંભીર અકસ્માત થાય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. અનેક વખત સોશિયલ મીડિયા પર આવા સ્ટંટ કરતા વીડિયો પણ મૂકવામાં આવતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા સ્ટેટસમાં મૂકવામાં આવેલા વીડિયોને કારણે પતિએ પોતાની પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જે વીડિયોને લઈ પતિએ કેસ દાખલ કર્યો તેમાં તેમનો 10 વર્ષનો બાળક માસાના ખોળામાં બેસી ગાડી ચલાવતો હતો.  


માસાના ખોળામાં બેસી 10 વર્ષના બાળકે ચલાવી ગાડી!

આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા જેનીશ રાઠોડે તેમની પત્ની અને તેમના સાઢુભાઈ વિરૂદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં તેમની પત્ની ખુશ્બુ અને તેમના સાઢુભાઈ ગાડી લઈને દમણ ફરવા ગયા હતા. મમ્મી પોતાના 10 વર્ષના બાળકને પણ સાથે લઈ ગયા.વલસાડ જિલ્લાની હદમાંથી પસાર થતી વખતે પત્નીએ તેના દસ વર્ષના બાળકને સાઢુભાઈના ખોળામાં બેસાડ્યો અને ત્યારબાદ કાર ચલાવતા હોવાનો વીડિયો રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર મૂકી દીધો. 


સ્ટેટસમાં મૂકેલો વીડિયો પિતાએ જોયો અને પછી...  

સોશિયલ મીડિયા પર મૂકતાની સાથે તેબાળકનો વીડિયો તેના પિતાએ જોયો. આ વીડિયોને લઈ તેમણે પોતાના પત્ની અને સાઢુભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી. બાળક મસ્તીમાં કાર ચલાવી રહ્યો હતો પરંતુ તેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મૂકાય તેવી બેદરકારી રાખવા બદલ પતિએ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે પતિ પત્નીને એક બીજા સાથે નથી બનતું જેને કારણે બંને એકબીજાથી જૂદા રહે છે. 


જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? 

મહત્વનું છે કે બાળકને તો નથી ખબર કે તેની આ મસ્તી અનેક લોકો માટે ગંભીર સાબિત થઈ શકે છે. બાળકને તો મજા જ આવે જો એને ગાડી ચલાવવા આપવામાં આવે! બાળક ભલે નાદાન છે પરંતુ તેની માતા અને તેના માસાને તો ખબર હોવી જોઈએ કે આ કેટલી મોટી ભૂલ છે. બાળકની મસ્તીને કારણે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદની ચર્ચાઓ થઈ રહી છે. લોકો એવું માની રહ્યા છે કે માતા અને માસાને સબક તો મળવો જોઈએ. મહત્વનું છે કે આપણે પણ વાહન ચલાવતી વખતે સતર્કતા રાખવી જોઈએ.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.