Valsad: Jamawat Election Yatra પહોંચી વાકલ ગામ જ્યાં સરકારી યોજનાઓની પથારી ફરી ગઈ છે? Anant Patel માટે સાંભળો શું કહે છે લોકો?


  • Published By :
  • Published Date : 2024-05-04 18:44:51

ગુજરાતના વિકાસને આપણે જોઈએ છીએ ત્ચારે લાગે કે ગુજરાત વિકાસની દ્રષ્ટિએ કેટલું આગળ વધી ગયું છે... ઉંચી ઉંચી ઈમારતો, સારા રોડ રસ્તા, સારૂં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે વગેરે.. પરંતુ આપણા જ વિકસીત ગુજરાતનો એક ભાગ એવો છે જે વિકાસથી વંચિત છે... અંતરિયાળ વિસ્તારમાં આપણે પણ સારા રસ્તા નથી બન્યા, પીવાનું પાણી નથી મળતું... નળ સે જળની યોજના વિશે અનેક વખત વાતો કરી છે, અનેક દ્રશ્યો બતાવ્યા છે ત્યારે ફરી એવા દ્રશ્યો વલસાડ લોકસભા બેઠકથી સામે આવ્યા છે જ્યારે જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કવર કરવા માટે વલસાડ પહોંચી હતી. 

વાકલ ગામ પહોંચી જમાવટની ટીમ 

જમાવટની ઈલેક્શન યાત્રા દરમિયાન ચૂંટણીની વાતો, ચૂંટણીના મુદ્દાઓ જાણવાની કોશિશ કરવામાં આવતી હોય છે પરંતુ સ્થાનિક લોકોને પડતી સમસ્યા તેમજ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચી છે કે નહીં તે જાણવાની કોશિશ કરવામાં આવતી હોય છે.. ત્યારે વલસાડના આદિવાસી વિસ્તાર વાકલ ગામમાં નળથી જળ પહોંચ્યું છે કે નહીં, રસ્તાઓ કેવા છે તે જાણવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તેવા દ્રશ્યો અનેક અંતરિયાળ વિસ્તારથી સામે આવ્યા છે..


નળ તો વર્ષો પહેલા પહોંચ્યા પણ પાણી નથી પહોંચ્યું

વિસ્તારમાં નળ તો પહોંચી ગયા છે પરંતુ નળથી પાણી નથી આવતું... નલસે જલ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ તે માત્ર કાગળ પર.. વાસ્તવિક્તા એવી છે કે અનેક ગામોમાં આજે પણ પાણી નથી પહોંચ્યું.. જ્યારે સ્થાનિકો સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે કોઈ જગ્યા પર ચકલી નથી તો કોઈ જગ્યા પર પાઈપ નથી.. પાંચ વર્ષમાં કોઈ વિકાસ નથી થયો. જે વિકાસની વાત કરે છે અને આદિવાસીના વિનાશથી તે વિકાસ કરવાની વાત કરે છે એ અમને સ્વીકાર્ય નથી...! ગામના લોકો મુખ્યત્વે ખેતી કરે છે અથવા તો પશુ પાલન કરે છે.. એક ટિપું પણ પાણી નલ સે જલથી નથી આવ્યું તેમણે જણાવ્યું... 


પાણી ના આવવાને કારણે વેઠવી પડે છે મુશ્કેલી

મહિલાઓ સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે પાણી ના આવવાને કારણે તેમને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.. પાણી ભરવા માટે દૂર જવું પડે છે.. કુવાઓ પર જવું પડે છે આજે પણ હેન્ડપમ્પથી પાણી કાઢવા માટે મહિલાઓ મજબૂર બની છે.. નળ તો ઘણા વર્ષો પહેલા નખાઈ ગયા હતા પરંતુ નળમાંથી પાણી નથી આવતું.. જ્યારે વધુ એક મહિલાને પૂછવામાં આવ્યું કે તેમણે પોતાના વિસ્તારમાં પાણી જોયું છે ત્યારે તેમણે કહ્યું કે પાણી જ નથી જોયું.. પીવા માટે પાણી નથી, કપડા ધોવા માટે પાણી નથી.. આજે પણ પાણી ભરીને રાખવા પડે છે..


પાણી વગરના શૌચાલય શું કામના?  

તે ઉપરાંત શૌચાલયને લઈને પણ તેમને સવાલ પૂછવામાં આવ્યો કે તેમના વિસ્તારમાં શૌચાલય બન્યા છે તો તેમણે કહ્યું કે શૌચાલય તો નથી ગયા છે પરંતુ પાણીની સુવિધા જ નથી તો શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવાનો?  પાણી જ નથી તો શૌચાલય શું કામના..? સરકારે ટાંકી બનાવી પરંતુ 10 વર્ષથી તે ટાંકીમાં પાણીનું એક ટીપું પણ નથી આવ્યું.. સરકાર ખાલી ટાંકી બનાવે અને કોન્ટ્રાક્ટર કમાય, પ્રજાએ ખાલી ટાંકીના નળ જોવાના.. તે સિવાય અનેક લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો... ભ્રષ્ટાચારની પણ વાત તેમણે કરી હતી... 

વલસાડના ઉમેદવારો માટે સ્થાનિક લોકોએ કહ્યું કે... 

જ્યારે આદિવાસી લોકો માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી યોજનાઓ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો રોષ જોવા મળ્યો હતો.. એફઆઈઆરની વાત પણ સ્થાનિક લોકોદ દ્વારા કરવામાં આવી છે.. જ્યારે સરકાર કેવી હોવી જોઈએ તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સરકાર સારી હોવી જોઈએ.. અનંત પટેલ મુખ્યત્વે લોકોની પસંદ હતા... જ્યારે ધવલ પટેલ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ધવલ પટેલને તેમણે જોયા નથી...  પાણી નથી આવતું પરંતુ તો પણ પાણીનો કર લેવામાં આવે છે... સફાઈ વેરો પણ લેવામાં આવે છે પરંતુ સફાઈ નથી..  

 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.