Valsad: Jamawat Election Yatra પહોંચી વાકલ ગામ જ્યાં સરકારી યોજનાઓની પથારી ફરી ગઈ છે? Anant Patel માટે સાંભળો શું કહે છે લોકો?


  • Published By :
  • Published Date : 2024-05-04 18:44:51

ગુજરાતના વિકાસને આપણે જોઈએ છીએ ત્ચારે લાગે કે ગુજરાત વિકાસની દ્રષ્ટિએ કેટલું આગળ વધી ગયું છે... ઉંચી ઉંચી ઈમારતો, સારા રોડ રસ્તા, સારૂં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે વગેરે.. પરંતુ આપણા જ વિકસીત ગુજરાતનો એક ભાગ એવો છે જે વિકાસથી વંચિત છે... અંતરિયાળ વિસ્તારમાં આપણે પણ સારા રસ્તા નથી બન્યા, પીવાનું પાણી નથી મળતું... નળ સે જળની યોજના વિશે અનેક વખત વાતો કરી છે, અનેક દ્રશ્યો બતાવ્યા છે ત્યારે ફરી એવા દ્રશ્યો વલસાડ લોકસભા બેઠકથી સામે આવ્યા છે જ્યારે જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કવર કરવા માટે વલસાડ પહોંચી હતી. 

વાકલ ગામ પહોંચી જમાવટની ટીમ 

જમાવટની ઈલેક્શન યાત્રા દરમિયાન ચૂંટણીની વાતો, ચૂંટણીના મુદ્દાઓ જાણવાની કોશિશ કરવામાં આવતી હોય છે પરંતુ સ્થાનિક લોકોને પડતી સમસ્યા તેમજ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચી છે કે નહીં તે જાણવાની કોશિશ કરવામાં આવતી હોય છે.. ત્યારે વલસાડના આદિવાસી વિસ્તાર વાકલ ગામમાં નળથી જળ પહોંચ્યું છે કે નહીં, રસ્તાઓ કેવા છે તે જાણવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તેવા દ્રશ્યો અનેક અંતરિયાળ વિસ્તારથી સામે આવ્યા છે..


નળ તો વર્ષો પહેલા પહોંચ્યા પણ પાણી નથી પહોંચ્યું

વિસ્તારમાં નળ તો પહોંચી ગયા છે પરંતુ નળથી પાણી નથી આવતું... નલસે જલ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ તે માત્ર કાગળ પર.. વાસ્તવિક્તા એવી છે કે અનેક ગામોમાં આજે પણ પાણી નથી પહોંચ્યું.. જ્યારે સ્થાનિકો સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે કોઈ જગ્યા પર ચકલી નથી તો કોઈ જગ્યા પર પાઈપ નથી.. પાંચ વર્ષમાં કોઈ વિકાસ નથી થયો. જે વિકાસની વાત કરે છે અને આદિવાસીના વિનાશથી તે વિકાસ કરવાની વાત કરે છે એ અમને સ્વીકાર્ય નથી...! ગામના લોકો મુખ્યત્વે ખેતી કરે છે અથવા તો પશુ પાલન કરે છે.. એક ટિપું પણ પાણી નલ સે જલથી નથી આવ્યું તેમણે જણાવ્યું... 


પાણી ના આવવાને કારણે વેઠવી પડે છે મુશ્કેલી

મહિલાઓ સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે પાણી ના આવવાને કારણે તેમને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.. પાણી ભરવા માટે દૂર જવું પડે છે.. કુવાઓ પર જવું પડે છે આજે પણ હેન્ડપમ્પથી પાણી કાઢવા માટે મહિલાઓ મજબૂર બની છે.. નળ તો ઘણા વર્ષો પહેલા નખાઈ ગયા હતા પરંતુ નળમાંથી પાણી નથી આવતું.. જ્યારે વધુ એક મહિલાને પૂછવામાં આવ્યું કે તેમણે પોતાના વિસ્તારમાં પાણી જોયું છે ત્યારે તેમણે કહ્યું કે પાણી જ નથી જોયું.. પીવા માટે પાણી નથી, કપડા ધોવા માટે પાણી નથી.. આજે પણ પાણી ભરીને રાખવા પડે છે..


પાણી વગરના શૌચાલય શું કામના?  

તે ઉપરાંત શૌચાલયને લઈને પણ તેમને સવાલ પૂછવામાં આવ્યો કે તેમના વિસ્તારમાં શૌચાલય બન્યા છે તો તેમણે કહ્યું કે શૌચાલય તો નથી ગયા છે પરંતુ પાણીની સુવિધા જ નથી તો શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવાનો?  પાણી જ નથી તો શૌચાલય શું કામના..? સરકારે ટાંકી બનાવી પરંતુ 10 વર્ષથી તે ટાંકીમાં પાણીનું એક ટીપું પણ નથી આવ્યું.. સરકાર ખાલી ટાંકી બનાવે અને કોન્ટ્રાક્ટર કમાય, પ્રજાએ ખાલી ટાંકીના નળ જોવાના.. તે સિવાય અનેક લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો... ભ્રષ્ટાચારની પણ વાત તેમણે કરી હતી... 

વલસાડના ઉમેદવારો માટે સ્થાનિક લોકોએ કહ્યું કે... 

જ્યારે આદિવાસી લોકો માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી યોજનાઓ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો રોષ જોવા મળ્યો હતો.. એફઆઈઆરની વાત પણ સ્થાનિક લોકોદ દ્વારા કરવામાં આવી છે.. જ્યારે સરકાર કેવી હોવી જોઈએ તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સરકાર સારી હોવી જોઈએ.. અનંત પટેલ મુખ્યત્વે લોકોની પસંદ હતા... જ્યારે ધવલ પટેલ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ધવલ પટેલને તેમણે જોયા નથી...  પાણી નથી આવતું પરંતુ તો પણ પાણીનો કર લેવામાં આવે છે... સફાઈ વેરો પણ લેવામાં આવે છે પરંતુ સફાઈ નથી..  

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.