Valsad: Jamawat Election Yatra પહોંચી વાકલ ગામ જ્યાં સરકારી યોજનાઓની પથારી ફરી ગઈ છે? Anant Patel માટે સાંભળો શું કહે છે લોકો?


  • Published By :
  • Published Date : 2024-05-04 18:44:51

ગુજરાતના વિકાસને આપણે જોઈએ છીએ ત્ચારે લાગે કે ગુજરાત વિકાસની દ્રષ્ટિએ કેટલું આગળ વધી ગયું છે... ઉંચી ઉંચી ઈમારતો, સારા રોડ રસ્તા, સારૂં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે વગેરે.. પરંતુ આપણા જ વિકસીત ગુજરાતનો એક ભાગ એવો છે જે વિકાસથી વંચિત છે... અંતરિયાળ વિસ્તારમાં આપણે પણ સારા રસ્તા નથી બન્યા, પીવાનું પાણી નથી મળતું... નળ સે જળની યોજના વિશે અનેક વખત વાતો કરી છે, અનેક દ્રશ્યો બતાવ્યા છે ત્યારે ફરી એવા દ્રશ્યો વલસાડ લોકસભા બેઠકથી સામે આવ્યા છે જ્યારે જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કવર કરવા માટે વલસાડ પહોંચી હતી. 

વાકલ ગામ પહોંચી જમાવટની ટીમ 

જમાવટની ઈલેક્શન યાત્રા દરમિયાન ચૂંટણીની વાતો, ચૂંટણીના મુદ્દાઓ જાણવાની કોશિશ કરવામાં આવતી હોય છે પરંતુ સ્થાનિક લોકોને પડતી સમસ્યા તેમજ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચી છે કે નહીં તે જાણવાની કોશિશ કરવામાં આવતી હોય છે.. ત્યારે વલસાડના આદિવાસી વિસ્તાર વાકલ ગામમાં નળથી જળ પહોંચ્યું છે કે નહીં, રસ્તાઓ કેવા છે તે જાણવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તેવા દ્રશ્યો અનેક અંતરિયાળ વિસ્તારથી સામે આવ્યા છે..


નળ તો વર્ષો પહેલા પહોંચ્યા પણ પાણી નથી પહોંચ્યું

વિસ્તારમાં નળ તો પહોંચી ગયા છે પરંતુ નળથી પાણી નથી આવતું... નલસે જલ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ તે માત્ર કાગળ પર.. વાસ્તવિક્તા એવી છે કે અનેક ગામોમાં આજે પણ પાણી નથી પહોંચ્યું.. જ્યારે સ્થાનિકો સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે કોઈ જગ્યા પર ચકલી નથી તો કોઈ જગ્યા પર પાઈપ નથી.. પાંચ વર્ષમાં કોઈ વિકાસ નથી થયો. જે વિકાસની વાત કરે છે અને આદિવાસીના વિનાશથી તે વિકાસ કરવાની વાત કરે છે એ અમને સ્વીકાર્ય નથી...! ગામના લોકો મુખ્યત્વે ખેતી કરે છે અથવા તો પશુ પાલન કરે છે.. એક ટિપું પણ પાણી નલ સે જલથી નથી આવ્યું તેમણે જણાવ્યું... 


પાણી ના આવવાને કારણે વેઠવી પડે છે મુશ્કેલી

મહિલાઓ સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે પાણી ના આવવાને કારણે તેમને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.. પાણી ભરવા માટે દૂર જવું પડે છે.. કુવાઓ પર જવું પડે છે આજે પણ હેન્ડપમ્પથી પાણી કાઢવા માટે મહિલાઓ મજબૂર બની છે.. નળ તો ઘણા વર્ષો પહેલા નખાઈ ગયા હતા પરંતુ નળમાંથી પાણી નથી આવતું.. જ્યારે વધુ એક મહિલાને પૂછવામાં આવ્યું કે તેમણે પોતાના વિસ્તારમાં પાણી જોયું છે ત્યારે તેમણે કહ્યું કે પાણી જ નથી જોયું.. પીવા માટે પાણી નથી, કપડા ધોવા માટે પાણી નથી.. આજે પણ પાણી ભરીને રાખવા પડે છે..


પાણી વગરના શૌચાલય શું કામના?  

તે ઉપરાંત શૌચાલયને લઈને પણ તેમને સવાલ પૂછવામાં આવ્યો કે તેમના વિસ્તારમાં શૌચાલય બન્યા છે તો તેમણે કહ્યું કે શૌચાલય તો નથી ગયા છે પરંતુ પાણીની સુવિધા જ નથી તો શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવાનો?  પાણી જ નથી તો શૌચાલય શું કામના..? સરકારે ટાંકી બનાવી પરંતુ 10 વર્ષથી તે ટાંકીમાં પાણીનું એક ટીપું પણ નથી આવ્યું.. સરકાર ખાલી ટાંકી બનાવે અને કોન્ટ્રાક્ટર કમાય, પ્રજાએ ખાલી ટાંકીના નળ જોવાના.. તે સિવાય અનેક લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો... ભ્રષ્ટાચારની પણ વાત તેમણે કરી હતી... 

વલસાડના ઉમેદવારો માટે સ્થાનિક લોકોએ કહ્યું કે... 

જ્યારે આદિવાસી લોકો માટે સરકાર દ્વારા લાવવામાં આવેલી યોજનાઓ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો રોષ જોવા મળ્યો હતો.. એફઆઈઆરની વાત પણ સ્થાનિક લોકોદ દ્વારા કરવામાં આવી છે.. જ્યારે સરકાર કેવી હોવી જોઈએ તે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે સરકાર સારી હોવી જોઈએ.. અનંત પટેલ મુખ્યત્વે લોકોની પસંદ હતા... જ્યારે ધવલ પટેલ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ધવલ પટેલને તેમણે જોયા નથી...  પાણી નથી આવતું પરંતુ તો પણ પાણીનો કર લેવામાં આવે છે... સફાઈ વેરો પણ લેવામાં આવે છે પરંતુ સફાઈ નથી..  

 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.