Valsad Loksabha બેઠકના ઉમેદવાર Anant Patelએ ભર્યું ઉમેદવારી ફોર્મ, જનસભાને સંબોધતા કહ્યું ભાજપની સરકારને ઉખાડીને ફેંકી દેવાનો સમય આવ્યો છે..


  • Published By :
  • Published Date : 2024-04-16 16:50:47

ગુજરાતની અનેક બેઠકો એવી છે જેની ચર્ચા ઉમેદવારોને કારણે થતી હોય છે... બનાસકાંઠા, ભરૂચ લોકસભા સીટ પોતાના  ઉમેદવારના નિવેદનને કારણે થતી હોય છે.. અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે જ્યારે અનેક ઉમેદવારો હવે ઉમેદવારી નોંધાવાના છે. ફોર્મ ભરવા માટે જ્યારે ઉમેદવાર જાય છે ત્યારે શક્તિપ્રદર્શન કરતા હોય છે. આ બધા વચ્ચે વલસાડના બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. 

ભાજપે ધવલ પટેલને તો કોંગ્રેસે અનંત પટેલને આપી છે ટિકીટ 

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવાનું છે.... ત્યારે ગુજરાતમાંથી આજે 26 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. કલેક્ટર કચેરી ખાતે અન્ય કાર્યકરો સાથે ઉમેદવારીપત્ર ભરે છે અને તે પહેલા શક્તિપ્રદર્શન કરે છે.. ગઈકાલે અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આજે પણ અનેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે... વલસાડ બેઠકની વાત કરીએ તો ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે પોતાના લોકપ્રિય ધારાસભ્ય અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 

જાતિય સમીકરણો મહત્વના કારણ કે

વલસાડ બેઠકની વાત કરીએ તો આ બેઠક માટે એવું માનવામાં આવે છે કે જે પાર્ટી આ સીટ પર જીત હાંસલ કરે છે તેની સરકાર બને છે. એટલે આ બેઠક દરેક રાજકીય પાર્ટી માટે મહત્વની છે.. દક્ષિણ ગુજરાતમાં જાતીય સમીકરણોના આધારે અનંત પટેલ ફિટ બેસે છે....વલસાડ લોકસભા બેઠક પર ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજના જાતીય સમીકરણો મહત્વના હોવાને કારણે કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે...... 

વલસાડમાં જામશે ખરાખરીનો જંગ 

વલસાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણી જંગ રસાકસી ભરી રહેશે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતી વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે આંદોલનો થકી સરકાર સામે બાયો ચઢાવી અનેક મોરચે સફળ રહેલા આદિવાસી નેતા અનંત પટેલને ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે, જેની સામે ભાજપે સ્કાયલેબ પ્રકારે સોશ્યલ મીડિયામાં એક્ટિવ અને ભાજપના આદિવાસી મોર્ચાના યુવા નેતાને ચુંટણી સંગ્રામમાં ઉતારતા વલસાડ લોકસભામાં ખરાખરીનો જંગ જોવા મળશે... 



અનંત પટેલે નોંધાવી દાવેદારી 

આજે અનંત પટેલે ફોર્મ ભર્યું અને જનતાને કહ્યું કે, ભાજપની સરકારને ઉખેડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે....  તમે મારા માટે 25 દિવસ લડો હું 1825 દિવસ તમારા માટે લડવા હું અનંત પટેલ તૈયાર છું.. તેમણે કહ્યું કે આ ભાજપની સરકારને ઉખેડીને ફેદી દેવાનો સમય આવી ગયો છે.... ત્યારે જોવું રહ્યું કે વલસાડની જનતા કોને સંસદ સુધી પહોંચાડે છે.?



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.