Valsad Loksabha seatના ઉમેદવાર Anant Patelએ જણાવ્યું શા માટે ઈન્ડિયા ગઠબંધન કરાયું? આપના નેતાઓને મળ્યા, સાંભળો કઈ રણનીતિથી આગળ વધશે...


  • Published By :
  • Published Date : 2024-03-16 10:22:02

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ભરૂચ તેમજ ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉભા રાખવાની છે જ્યારે બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવાની છે. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા માત્ર 7 બેઠકો માટે જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. વલસાડ બેઠક માટે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. ત્યારે વલસાડ બેઠક પર જીત હાંસલ કરવા માટે અનંત પટેલ આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા હતા અને આગળની રણનીતિ બતાવી હતી.

અનંત પટેલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

વલસાડના ઈન્ડિયા ગઠબંધનના ધારાસભ્ય અનંત પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. આપ અને કોંગ્રેસ ભેગા થઈને ગુજરાતમાં ચૂંટણી લડવાના છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ આપના નેતાઓને કપરાડા મળવા ગયા હતા અને આગળની રણનીતિ અંગે વાત કરી હતી. કાર્યકર્તાઓને જુસ્સો વધારવા અંગે વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત ગઠબંધન શા માટે કરવામાં આવ્યું તે અંગેની પણ વાત કરી હતી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.