Valsad Loksabha seatના ઉમેદવાર Anant Patelએ જણાવ્યું શા માટે ઈન્ડિયા ગઠબંધન કરાયું? આપના નેતાઓને મળ્યા, સાંભળો કઈ રણનીતિથી આગળ વધશે...


  • Published By :
  • Published Date : 2024-03-16 10:22:02

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ભરૂચ તેમજ ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉભા રાખવાની છે જ્યારે બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવાની છે. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા માત્ર 7 બેઠકો માટે જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. વલસાડ બેઠક માટે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. ત્યારે વલસાડ બેઠક પર જીત હાંસલ કરવા માટે અનંત પટેલ આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા હતા અને આગળની રણનીતિ બતાવી હતી.

અનંત પટેલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

વલસાડના ઈન્ડિયા ગઠબંધનના ધારાસભ્ય અનંત પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. આપ અને કોંગ્રેસ ભેગા થઈને ગુજરાતમાં ચૂંટણી લડવાના છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ આપના નેતાઓને કપરાડા મળવા ગયા હતા અને આગળની રણનીતિ અંગે વાત કરી હતી. કાર્યકર્તાઓને જુસ્સો વધારવા અંગે વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત ગઠબંધન શા માટે કરવામાં આવ્યું તે અંગેની પણ વાત કરી હતી.  



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.