Valsad Loksabha seatના ઉમેદવાર Anant Patelએ જણાવ્યું શા માટે ઈન્ડિયા ગઠબંધન કરાયું? આપના નેતાઓને મળ્યા, સાંભળો કઈ રણનીતિથી આગળ વધશે...


  • Published By :
  • Published Date : 2024-03-16 10:22:02

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ભરૂચ તેમજ ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉભા રાખવાની છે જ્યારે બાકીની 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવાની છે. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા માત્ર 7 બેઠકો માટે જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. વલસાડ બેઠક માટે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. ત્યારે વલસાડ બેઠક પર જીત હાંસલ કરવા માટે અનંત પટેલ આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા હતા અને આગળની રણનીતિ બતાવી હતી.

અનંત પટેલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

વલસાડના ઈન્ડિયા ગઠબંધનના ધારાસભ્ય અનંત પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. આપ અને કોંગ્રેસ ભેગા થઈને ગુજરાતમાં ચૂંટણી લડવાના છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને વલસાડ લોકસભાના ઉમેદવાર અનંત પટેલ આપના નેતાઓને કપરાડા મળવા ગયા હતા અને આગળની રણનીતિ અંગે વાત કરી હતી. કાર્યકર્તાઓને જુસ્સો વધારવા અંગે વાત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા ઉપરાંત ગઠબંધન શા માટે કરવામાં આવ્યું તે અંગેની પણ વાત કરી હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.