Valsad Loksabha Seatના ઉમેદવાર Anant Patelને જ્યારે જમાવટની ટીમે પૂછ્યું કે જો તે સાંસદ બની જાય છે તો શું કામ કરશે? સાંભળો જવાબમાં તેમણે કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-04-27 18:03:58

ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં મતદાન થવાનું છે.. ઉમેદવારોના પ્રચારમાં દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે... પ્રિયંકા ગાંધી આજે વલસાડમાં અનંત પટેલના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા.. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. જમાવટની ટીમ વલસાડ પહોંચી હતી અને વલસાડના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલ સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી. જો તે સાંસદ બની જશે તો તે શું કરશે તેની વાત જમાવટની ટીમને જણાવ્યું હતું.  

અનંત પટેલે જણાવ્યું તેમનું વિઝન

જમાવટની ટીમ સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું કે કપરાડા, ડાંગ,ધરમપુર,વાંસદા જેવા વિસ્તારોમાં તે ફર્યા ત્યારે તેમને ખબર પડી કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં પીવાના પાણીની સમસ્યા છે.. નલ સે જલના દાવા કરવામાં આવે છે પરંતુ ક્યાંક નળ પહોંચ્યા છે તો ક્યાં પાઈપલાઈન નથી... નળ છે પણ પાણી આવતું નથી.. કપરી પરિસ્થિતિ છે.. તેમણે કહ્યું કે માછીમારોને જમીન આપી હતી તે તો ઉદ્યોગ માટે આપી દેવામાં આવી.. શિક્ષણને લઈને પણ તેમણે વાત કરી હતી, તેમણે કહ્યું કે ગામડાની વર્ગશાળાને બંધ કરવાની વાત કરવામાં આવી રહી છે...તે ઉપરાંત નોકરીઓને લઈ પણ તેમણે વાત કરી હતી.. 


ભાજપ માટે શું કહ્યું પ્રિયંકા ગાંધીએ? 

ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે  'છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઊભા થઈ શકશો. એમ ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે.' 

પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર 

વધુમાં તેમણે કહ્યું કે અરે મોદીજી કેટલા મોટા નેતા છે એની સાથે આપણે શું લેવા દેવા. જો આવડા મોટા નેતા તમને પાણી નથી આપી શકતા, તમારૂ ઘર નથી બનાવી શકતા, તમને રોજગાર નથી આપી શકતા. તો આપણે શું તેની માફી માગવી જોઈએ? કે આપણે બેરોજગાર, મોંઘવારીની વાતો ઉઠાવી. જ્યારે જ્યારે મંચ પણ આવે ત્યારે ત્યારે માફી મંગાવો કે અમારી સામે આવીને તમે કેમ આવી ઉલટી સીધી વાતો, આવી હલકી વાતો કેમ કરી? પુછો તેઓને કે પ્રધાનમંત્રીની દેશ પ્રત્યે શું કોઈ જવાબદારી નથી હોતી? જનતા સામે મંચ પર આવો ત્યારે સાચુ બોલો. 


ધવલ પટેલ Vs અનંત પટેલનો જામશે જંગ 

મહત્વનું છે કે વલસાડ બેઠક માટે એવું માનવામાં આવે છે કે આ બેઠક પર જે પાર્ટીના ઉમેદવારની જીત  થાય છે તેની સરકાર સત્તામાં બને છે... આ બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકીટ આપી છે.. પટેલ Vs પટેલનો જંગ આ બેઠક પર જોવા મળવાનો છે..   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.