Valsad Loksabha Seatના ઉમેદવાર Anant Patelને જ્યારે જમાવટની ટીમે પૂછ્યું કે જો તે સાંસદ બની જાય છે તો શું કામ કરશે? સાંભળો જવાબમાં તેમણે કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-04-27 18:03:58

ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં મતદાન થવાનું છે.. ઉમેદવારોના પ્રચારમાં દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે... પ્રિયંકા ગાંધી આજે વલસાડમાં અનંત પટેલના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા.. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. જમાવટની ટીમ વલસાડ પહોંચી હતી અને વલસાડના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલ સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી. જો તે સાંસદ બની જશે તો તે શું કરશે તેની વાત જમાવટની ટીમને જણાવ્યું હતું.  

અનંત પટેલે જણાવ્યું તેમનું વિઝન

જમાવટની ટીમ સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું કે કપરાડા, ડાંગ,ધરમપુર,વાંસદા જેવા વિસ્તારોમાં તે ફર્યા ત્યારે તેમને ખબર પડી કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં પીવાના પાણીની સમસ્યા છે.. નલ સે જલના દાવા કરવામાં આવે છે પરંતુ ક્યાંક નળ પહોંચ્યા છે તો ક્યાં પાઈપલાઈન નથી... નળ છે પણ પાણી આવતું નથી.. કપરી પરિસ્થિતિ છે.. તેમણે કહ્યું કે માછીમારોને જમીન આપી હતી તે તો ઉદ્યોગ માટે આપી દેવામાં આવી.. શિક્ષણને લઈને પણ તેમણે વાત કરી હતી, તેમણે કહ્યું કે ગામડાની વર્ગશાળાને બંધ કરવાની વાત કરવામાં આવી રહી છે...તે ઉપરાંત નોકરીઓને લઈ પણ તેમણે વાત કરી હતી.. 


ભાજપ માટે શું કહ્યું પ્રિયંકા ગાંધીએ? 

ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે  'છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઊભા થઈ શકશો. એમ ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે.' 

પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર 

વધુમાં તેમણે કહ્યું કે અરે મોદીજી કેટલા મોટા નેતા છે એની સાથે આપણે શું લેવા દેવા. જો આવડા મોટા નેતા તમને પાણી નથી આપી શકતા, તમારૂ ઘર નથી બનાવી શકતા, તમને રોજગાર નથી આપી શકતા. તો આપણે શું તેની માફી માગવી જોઈએ? કે આપણે બેરોજગાર, મોંઘવારીની વાતો ઉઠાવી. જ્યારે જ્યારે મંચ પણ આવે ત્યારે ત્યારે માફી મંગાવો કે અમારી સામે આવીને તમે કેમ આવી ઉલટી સીધી વાતો, આવી હલકી વાતો કેમ કરી? પુછો તેઓને કે પ્રધાનમંત્રીની દેશ પ્રત્યે શું કોઈ જવાબદારી નથી હોતી? જનતા સામે મંચ પર આવો ત્યારે સાચુ બોલો. 


ધવલ પટેલ Vs અનંત પટેલનો જામશે જંગ 

મહત્વનું છે કે વલસાડ બેઠક માટે એવું માનવામાં આવે છે કે આ બેઠક પર જે પાર્ટીના ઉમેદવારની જીત  થાય છે તેની સરકાર સત્તામાં બને છે... આ બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકીટ આપી છે.. પટેલ Vs પટેલનો જંગ આ બેઠક પર જોવા મળવાનો છે..   



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.