Valsad Loksabha Seatના ઉમેદવાર Anant Patelને જ્યારે જમાવટની ટીમે પૂછ્યું કે જો તે સાંસદ બની જાય છે તો શું કામ કરશે? સાંભળો જવાબમાં તેમણે કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-04-27 18:03:58

ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં મતદાન થવાનું છે.. ઉમેદવારોના પ્રચારમાં દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે... પ્રિયંકા ગાંધી આજે વલસાડમાં અનંત પટેલના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યા હતા.. પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. જમાવટની ટીમ વલસાડ પહોંચી હતી અને વલસાડના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલ સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી. જો તે સાંસદ બની જશે તો તે શું કરશે તેની વાત જમાવટની ટીમને જણાવ્યું હતું.  

અનંત પટેલે જણાવ્યું તેમનું વિઝન

જમાવટની ટીમ સાથે વાતચીત કરતી વખતે તેમણે કહ્યું કે કપરાડા, ડાંગ,ધરમપુર,વાંસદા જેવા વિસ્તારોમાં તે ફર્યા ત્યારે તેમને ખબર પડી કે અનેક જગ્યાઓ એવી છે જ્યાં પીવાના પાણીની સમસ્યા છે.. નલ સે જલના દાવા કરવામાં આવે છે પરંતુ ક્યાંક નળ પહોંચ્યા છે તો ક્યાં પાઈપલાઈન નથી... નળ છે પણ પાણી આવતું નથી.. કપરી પરિસ્થિતિ છે.. તેમણે કહ્યું કે માછીમારોને જમીન આપી હતી તે તો ઉદ્યોગ માટે આપી દેવામાં આવી.. શિક્ષણને લઈને પણ તેમણે વાત કરી હતી, તેમણે કહ્યું કે ગામડાની વર્ગશાળાને બંધ કરવાની વાત કરવામાં આવી રહી છે...તે ઉપરાંત નોકરીઓને લઈ પણ તેમણે વાત કરી હતી.. 


ભાજપ માટે શું કહ્યું પ્રિયંકા ગાંધીએ? 

ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે  'છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઊભા થઈ શકશો. એમ ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે.' 

પીએમ મોદી પર કર્યા આકરા પ્રહાર 

વધુમાં તેમણે કહ્યું કે અરે મોદીજી કેટલા મોટા નેતા છે એની સાથે આપણે શું લેવા દેવા. જો આવડા મોટા નેતા તમને પાણી નથી આપી શકતા, તમારૂ ઘર નથી બનાવી શકતા, તમને રોજગાર નથી આપી શકતા. તો આપણે શું તેની માફી માગવી જોઈએ? કે આપણે બેરોજગાર, મોંઘવારીની વાતો ઉઠાવી. જ્યારે જ્યારે મંચ પણ આવે ત્યારે ત્યારે માફી મંગાવો કે અમારી સામે આવીને તમે કેમ આવી ઉલટી સીધી વાતો, આવી હલકી વાતો કેમ કરી? પુછો તેઓને કે પ્રધાનમંત્રીની દેશ પ્રત્યે શું કોઈ જવાબદારી નથી હોતી? જનતા સામે મંચ પર આવો ત્યારે સાચુ બોલો. 


ધવલ પટેલ Vs અનંત પટેલનો જામશે જંગ 

મહત્વનું છે કે વલસાડ બેઠક માટે એવું માનવામાં આવે છે કે આ બેઠક પર જે પાર્ટીના ઉમેદવારની જીત  થાય છે તેની સરકાર સત્તામાં બને છે... આ બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ટિકીટ આપી છે.. પટેલ Vs પટેલનો જંગ આ બેઠક પર જોવા મળવાનો છે..   



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.