Valsad : Asaram Bapuની પૂજા કરવા બદલ ત્રણ શાળાના 33 શિક્ષકોને ફટકારાઈ નોટિસ, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-02 17:51:30

છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મ અને જમીન પર કબજા મામલે આસારામ બાપુ સજા ભોગવી રહ્યા છે. આસારામ બાપુ ભલે જેલમાં છે પરંતુ તેમના અનુયાયીઓને કારણે તે ચર્ચામાં રહે છે. ફરી એક વખત આસારામ બાપુને લઈ સમાચાર સામે આવ્યા છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરાતી હોય છે ત્યારે આસારામ બાપુએ આ દિવસને માતૃ-પિતૃની પૂજા કરવી જોઈએ તેવી વાત કરી હતી. જે અંતર્ગત દર વર્ષે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. 

આસારામ બાપુ - વિકિપીડિયા

10 મહિના બાદ 33 શિક્ષકોને ફટકારવામાં આવી નોટિસ!

ત્યારે કપરાડાની કેટલીક શાળાના શિક્ષકોએ વેલેન્ટાઈન ડેના દિવસે માતૃપિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરી હતી જેના અનેક ફોટા તેમજ વીડિયો વાયરલ થયા હતા. વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ વિવાદ છેડાઈ ગયો હતો કારણ કે તેમાં આસારામ બાપુનો ફોટો લગાવી પૂજા અર્ચના કરવામાં આવી રહી હતી. ફરી એક વખત આ મુદ્દો એટલા માટે ઉઠ્યો છે કારણ કે આટલા મહિના પૂર્ણ થયા બાદ વલસાડ  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."