Valsad : Asaram Bapuની પૂજા કરવા બદલ ત્રણ શાળાના 33 શિક્ષકોને ફટકારાઈ નોટિસ, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-02 17:51:30

છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મ અને જમીન પર કબજા મામલે આસારામ બાપુ સજા ભોગવી રહ્યા છે. આસારામ બાપુ ભલે જેલમાં છે પરંતુ તેમના અનુયાયીઓને કારણે તે ચર્ચામાં રહે છે. ફરી એક વખત આસારામ બાપુને લઈ સમાચાર સામે આવ્યા છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરાતી હોય છે ત્યારે આસારામ બાપુએ આ દિવસને માતૃ-પિતૃની પૂજા કરવી જોઈએ તેવી વાત કરી હતી. જે અંતર્ગત દર વર્ષે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. 

આસારામ બાપુ - વિકિપીડિયા

10 મહિના બાદ 33 શિક્ષકોને ફટકારવામાં આવી નોટિસ!

ત્યારે કપરાડાની કેટલીક શાળાના શિક્ષકોએ વેલેન્ટાઈન ડેના દિવસે માતૃપિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરી હતી જેના અનેક ફોટા તેમજ વીડિયો વાયરલ થયા હતા. વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ વિવાદ છેડાઈ ગયો હતો કારણ કે તેમાં આસારામ બાપુનો ફોટો લગાવી પૂજા અર્ચના કરવામાં આવી રહી હતી. ફરી એક વખત આ મુદ્દો એટલા માટે ઉઠ્યો છે કારણ કે આટલા મહિના પૂર્ણ થયા બાદ વલસાડ  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.