Valsad : Asaram Bapuની પૂજા કરવા બદલ ત્રણ શાળાના 33 શિક્ષકોને ફટકારાઈ નોટિસ, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-02 17:51:30

છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મ અને જમીન પર કબજા મામલે આસારામ બાપુ સજા ભોગવી રહ્યા છે. આસારામ બાપુ ભલે જેલમાં છે પરંતુ તેમના અનુયાયીઓને કારણે તે ચર્ચામાં રહે છે. ફરી એક વખત આસારામ બાપુને લઈ સમાચાર સામે આવ્યા છે. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરાતી હોય છે ત્યારે આસારામ બાપુએ આ દિવસને માતૃ-પિતૃની પૂજા કરવી જોઈએ તેવી વાત કરી હતી. જે અંતર્ગત દર વર્ષે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. 

આસારામ બાપુ - વિકિપીડિયા

10 મહિના બાદ 33 શિક્ષકોને ફટકારવામાં આવી નોટિસ!

ત્યારે કપરાડાની કેટલીક શાળાના શિક્ષકોએ વેલેન્ટાઈન ડેના દિવસે માતૃપિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરી હતી જેના અનેક ફોટા તેમજ વીડિયો વાયરલ થયા હતા. વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ વિવાદ છેડાઈ ગયો હતો કારણ કે તેમાં આસારામ બાપુનો ફોટો લગાવી પૂજા અર્ચના કરવામાં આવી રહી હતી. ફરી એક વખત આ મુદ્દો એટલા માટે ઉઠ્યો છે કારણ કે આટલા મહિના પૂર્ણ થયા બાદ વલસાડ  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.  



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..