Ahmedabad-Mumbai વચ્ચે 130ની સ્પીડે દોડી વંદે ભારત ટ્રેન, કાલુપુર રેલવે સ્ટેશનથી નવી ટ્રેનની કરાઇ ટ્રાયલ


  • Published By :
  • Published Date : 2024-08-09 16:55:04

ભારતીય રેલવે દ્વારા અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. તમારામાંથી અનેક લોકો એ ટ્રેનમાં બેઠા પણ હશો.. આજે વાત વંદે ભારત ટ્રેનની જ કરવી છે કારણ કે 16 કોચની જગ્યાએ 20 કોચ વાળી ટ્રેનને દોડાવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે એટલે કે 9મી ઓગસ્ટે આ વંદે ભારત ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. કાલુપુર સ્ટેશનથી આ ટ્રેન ઉપડી હતી.  આ ટ્રેનની બીજી એક ખાસીયત છે કે આ ટ્રેન કેસરી કલરની છે.. 

સડસડાટ ટ્રેન નીકળતા લોકોએ પોતાના મોબાઈલમાં દૃશ્યો કેદ કર્યા


8 અથવા તો 16 કોચ વાળી ચાલતી હતી વંદે ભારત ટ્રેન 

ટ્રેનની મુસાફરીને આપણે ત્યાં સેફ માનવામાં આવે છે. ટ્રેનની મુસાફરી લોકો પસંદ કરતા હોય છે. ભારતીય રેલવે દ્વારા અનેક ટ્રેનો ચલાવવામાં આવતી હોય છે. અનેક ટ્રેનો એવી હોય છે જેનું આકર્ષણ હોય છે.. તેવી જ એક ટ્રેન છે વંદે ભારત ટ્રેન.. હજી સુધી વંદે ભારત ટ્રેન ચાલતી હતી પરંતુ 8 અથવા તો 16 કોચવાળી હતી. દેશના મોટા મોટા શહેરોમાં સફેદ રંગની વંદે ભારત ટ્રેન ચાલતી હતી પરંતુ 20 કોચ વાળી વંદેભારત ટ્રેન અમદાવાદ- મુંબઈ વચ્ચે ચલાવામાં આવી છે.  ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. 

કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેન નીકળી


20 કોચ વાળી વંદે ભારત ટ્રેન દોડાવાનો લેવાયો નિર્ણય 

વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી ત્યારે સફેદ કલરના કોચવાળી ટ્રેન હતી. હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલી કેસરી કરવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનોમાં ફૂલ બુકિંગ ચાલતું હોય છે. પેસેન્જરનો સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવરજવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તમને આ નવી ટ્રેન કેવી લાગી અમને કમેન્ટમાં જણાવજો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.