Ahmedabad-Mumbai વચ્ચે 130ની સ્પીડે દોડી વંદે ભારત ટ્રેન, કાલુપુર રેલવે સ્ટેશનથી નવી ટ્રેનની કરાઇ ટ્રાયલ


  • Published By :
  • Published Date : 2024-08-09 16:55:04

ભારતીય રેલવે દ્વારા અમદાવાદ મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. તમારામાંથી અનેક લોકો એ ટ્રેનમાં બેઠા પણ હશો.. આજે વાત વંદે ભારત ટ્રેનની જ કરવી છે કારણ કે 16 કોચની જગ્યાએ 20 કોચ વાળી ટ્રેનને દોડાવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે એટલે કે 9મી ઓગસ્ટે આ વંદે ભારત ટ્રેનની ટ્રાયલ લેવામાં આવી હતી. કાલુપુર સ્ટેશનથી આ ટ્રેન ઉપડી હતી.  આ ટ્રેનની બીજી એક ખાસીયત છે કે આ ટ્રેન કેસરી કલરની છે.. 

સડસડાટ ટ્રેન નીકળતા લોકોએ પોતાના મોબાઈલમાં દૃશ્યો કેદ કર્યા


8 અથવા તો 16 કોચ વાળી ચાલતી હતી વંદે ભારત ટ્રેન 

ટ્રેનની મુસાફરીને આપણે ત્યાં સેફ માનવામાં આવે છે. ટ્રેનની મુસાફરી લોકો પસંદ કરતા હોય છે. ભારતીય રેલવે દ્વારા અનેક ટ્રેનો ચલાવવામાં આવતી હોય છે. અનેક ટ્રેનો એવી હોય છે જેનું આકર્ષણ હોય છે.. તેવી જ એક ટ્રેન છે વંદે ભારત ટ્રેન.. હજી સુધી વંદે ભારત ટ્રેન ચાલતી હતી પરંતુ 8 અથવા તો 16 કોચવાળી હતી. દેશના મોટા મોટા શહેરોમાં સફેદ રંગની વંદે ભારત ટ્રેન ચાલતી હતી પરંતુ 20 કોચ વાળી વંદેભારત ટ્રેન અમદાવાદ- મુંબઈ વચ્ચે ચલાવામાં આવી છે.  ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. 

કાલુપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેન નીકળી


20 કોચ વાળી વંદે ભારત ટ્રેન દોડાવાનો લેવાયો નિર્ણય 

વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી ત્યારે સફેદ કલરના કોચવાળી ટ્રેન હતી. હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલી કેસરી કરવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનોમાં ફૂલ બુકિંગ ચાલતું હોય છે. પેસેન્જરનો સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવરજવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તમને આ નવી ટ્રેન કેવી લાગી અમને કમેન્ટમાં જણાવજો. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.