વધતા અકસ્માતને જોતા વંદે ભારત ટ્રેનને અપાશે સુરક્ષા !!!


  • Published By :
  • Published Date : 2022-12-04 13:54:40

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેનને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનની શરૂઆત થયાના થોડા મહિનો બાદ જ વંદે ભારત ટ્રેનના રસ્તા પર રખડતા પશુ આવી જતા અકસ્માત સર્જાયા હતા. પાંચ વખત ટ્રેનને અકસ્માત નડ્યો છે અને દર વખતે મુખ્યત્વે રખડતા પશુ ટ્રેક પર આવી જતા ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના વારંવાર ન બને અને વંદે ભારત ટ્રેનને અકસ્માતનો સામનો ન કરવો પડે તે માટે ટ્રેનના રૂટ પર ફેન્સીંગ લગાડવામાં આવશે.

Vande Bharat train ran at a speed of 180 km | ૧૮૦ કિલોમીટરની ઝડપે દોડી વંદે  ભારત ટ્રેન

Vande Bharat Train Accident In Ahmedabad, The Accident Occurred When 4  Buffaloes Came Between Them | Vande Bharat Train Accident: અમદાવાદમાં વંદે  ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, 4 ભેંસ વચ્ચે આવી જતા ...

ફેન્સીંગ બનાવામાં કરાશે કરોડો રૂપિયાનો ખર્ચ

30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેનને શરૂઆત થયા બાદ અનેક વખત ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. મુખ્યત્વ રખડતા પશુને કારણે આ અકસ્માત સર્જાતો હોય છે. થોડા દિવસો પહેલા જ વંદે ભારત ટ્રેનને પાંચમી વખત અકસ્માત થયો છે. જેને કારણે ટ્રેનની સુરક્ષાને લઈ લોકોમાં ચિંતા વધતી જઈ રહી હતી. ત્યારે 620 લાંબા રૂટ પર ફેન્સિંગ લગાડવામાં આવશે, આ અંગે ટ્રેન્ડર પણ મંગાવામાં આવ્યું છે. આ ફેન્સિંગની પાછળ અંદાજીત 264 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.