વધતા અકસ્માતને જોતા વંદે ભારત ટ્રેનને અપાશે સુરક્ષા !!!


  • Published By :
  • Published Date : 2022-12-04 13:54:40

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેનને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનની શરૂઆત થયાના થોડા મહિનો બાદ જ વંદે ભારત ટ્રેનના રસ્તા પર રખડતા પશુ આવી જતા અકસ્માત સર્જાયા હતા. પાંચ વખત ટ્રેનને અકસ્માત નડ્યો છે અને દર વખતે મુખ્યત્વે રખડતા પશુ ટ્રેક પર આવી જતા ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના વારંવાર ન બને અને વંદે ભારત ટ્રેનને અકસ્માતનો સામનો ન કરવો પડે તે માટે ટ્રેનના રૂટ પર ફેન્સીંગ લગાડવામાં આવશે.

Vande Bharat train ran at a speed of 180 km | ૧૮૦ કિલોમીટરની ઝડપે દોડી વંદે  ભારત ટ્રેન

Vande Bharat Train Accident In Ahmedabad, The Accident Occurred When 4  Buffaloes Came Between Them | Vande Bharat Train Accident: અમદાવાદમાં વંદે  ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, 4 ભેંસ વચ્ચે આવી જતા ...

ફેન્સીંગ બનાવામાં કરાશે કરોડો રૂપિયાનો ખર્ચ

30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેનને શરૂઆત થયા બાદ અનેક વખત ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. મુખ્યત્વ રખડતા પશુને કારણે આ અકસ્માત સર્જાતો હોય છે. થોડા દિવસો પહેલા જ વંદે ભારત ટ્રેનને પાંચમી વખત અકસ્માત થયો છે. જેને કારણે ટ્રેનની સુરક્ષાને લઈ લોકોમાં ચિંતા વધતી જઈ રહી હતી. ત્યારે 620 લાંબા રૂટ પર ફેન્સિંગ લગાડવામાં આવશે, આ અંગે ટ્રેન્ડર પણ મંગાવામાં આવ્યું છે. આ ફેન્સિંગની પાછળ અંદાજીત 264 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.