વધતા અકસ્માતને જોતા વંદે ભારત ટ્રેનને અપાશે સુરક્ષા !!!


  • Published By :
  • Published Date : 2022-12-04 13:54:40

અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેનને વારંવાર અકસ્માતનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેનની શરૂઆત થયાના થોડા મહિનો બાદ જ વંદે ભારત ટ્રેનના રસ્તા પર રખડતા પશુ આવી જતા અકસ્માત સર્જાયા હતા. પાંચ વખત ટ્રેનને અકસ્માત નડ્યો છે અને દર વખતે મુખ્યત્વે રખડતા પશુ ટ્રેક પર આવી જતા ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના વારંવાર ન બને અને વંદે ભારત ટ્રેનને અકસ્માતનો સામનો ન કરવો પડે તે માટે ટ્રેનના રૂટ પર ફેન્સીંગ લગાડવામાં આવશે.

Vande Bharat train ran at a speed of 180 km | ૧૮૦ કિલોમીટરની ઝડપે દોડી વંદે  ભારત ટ્રેન

Vande Bharat Train Accident In Ahmedabad, The Accident Occurred When 4  Buffaloes Came Between Them | Vande Bharat Train Accident: અમદાવાદમાં વંદે  ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, 4 ભેંસ વચ્ચે આવી જતા ...

ફેન્સીંગ બનાવામાં કરાશે કરોડો રૂપિયાનો ખર્ચ

30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી હતી. ટ્રેનને શરૂઆત થયા બાદ અનેક વખત ટ્રેન અકસ્માતનો ભોગ બની છે. મુખ્યત્વ રખડતા પશુને કારણે આ અકસ્માત સર્જાતો હોય છે. થોડા દિવસો પહેલા જ વંદે ભારત ટ્રેનને પાંચમી વખત અકસ્માત થયો છે. જેને કારણે ટ્રેનની સુરક્ષાને લઈ લોકોમાં ચિંતા વધતી જઈ રહી હતી. ત્યારે 620 લાંબા રૂટ પર ફેન્સિંગ લગાડવામાં આવશે, આ અંગે ટ્રેન્ડર પણ મંગાવામાં આવ્યું છે. આ ફેન્સિંગની પાછળ અંદાજીત 264 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.