સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો વાણીવિલાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 13:44:15

અમેરિકામાં હિંદુ ધર્મની લાગણી દુભાવ્યા બાદ ફરીવાર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ શિવજીનું અપમાન કર્યાનો વીડિયો વાયરલ થયો છે. વાણી વિલાસ કરતા સ્વામી રૂગનાથચરણ દાસ જણાવે છે કે, શિવજી અને સચ્ચિદાનંદ સ્વામી વચ્ચે કુશ્તી થઈ હતી.  


રૂગનાથચરણ દાસે શિવજી વિશે શું કહ્યું?

સ્વામિનારાયણ સંપ્રદાયના મહારાજે સ્ટેજ પરથી ભક્તો સામે વાણી વિલાસ કરતા જણાવ્યું હતું કે, મહારાજને  શિવપૂરાણ મુજબ શિવની પૂજા કરવાનું મન થયું. મહારાજે શંકરને સંભાળ્યા અટલે મૂર્તિમાન શંકર બિરાજ્યા. મૂર્તિમાન શંકરે મહારાજને પગે લાગ્યા. શંકરને મહારાજે ને કહ્યું કે, તમને બિલિપત્ર ચડાવવા છે. શંકરે કહ્યું કે, મહારાજ હું તો તમારો દાસ છું. તમારે મારી પૂજા ના કરાય. મહારાજે કહ્યું કે, તમે અમારા ભક્ત છો પરંતુ અમે મનુષ્ય અવતારમાં છીએ માટે અમારે તમારી પૂજા કરવી પડશે. મહારાજે સચ્ચિદાનંદ સ્વામિને આજ્ઞા કરી તો સચ્ચિદાનંદ સ્વામીએ 1600 ઉપચાર કરી શંકરની પૂજા કરી અને બિલિપત્ર ચડાવી પગે લાગવા ગયા. શંકરે સચ્ચિદાનંદ સ્વામીને પગે લાગવાની ના પાડી. સચ્ચિદાનંદ સ્વામી અને શંકરની કુશ્તી થઈ. ત્યાં ઉપસ્થિત સૌ લોકો કહે છે કે પરદેશી સામે સચ્ચિદાનંદ સ્વામિ મલ્લ કુશ્તી કરે છે. કુશ્તીમાં જય સચ્ચિદાનંદ સ્વામી જીતે છે. શંકર કહે છે "જય સચ્ચિદાનંદ".    


અગાઉ આનંદ સાગર સ્વામીએ અમેરિકામાં સત્સંગ દરમિયાન શિવજી અંગે વાણી વિલાસ કર્યો હતો. કચ્છના વિદ્યાર્થી નીશીતને ભગવાન શંકરના દર્શન થયા તેવું નિવેદન આપ્યું હતું. આનંદ સાગર સ્વામીએ કહ્યું હતું કે શંકર ભગવાન નીશીતને પગે લાગીને જતા રહે છે. સમગ્ર મુદ્દે વિવાદ સર્જાતા આનંદ સાગર સ્વામીને હિંદુ ધર્મની માફી માગી હતી.  

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.