વિશ્વના દેશોએ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની સામે કરી આ તૈયારીઓ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-03 22:25:22

બુધવારે મધરાતે ટેરિફ વિસ્ફોટ કરીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ સમગ્ર વિશ્વને અચંબિત કરી નાખ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ડિક્ષનરીમાં પોતાના મનગમતા શબ્દ "ટેરીફનો" ઉપયોગ આ રીતે કરશે તે કોઈને ખબર નહોતી . હવે વિશ્વભરના દેશોની આ "ટેરિફ વિસ્ફોટને" લઇને પ્રતિક્રિયા સામે આવી છે . તો આવો જાણીએ વિશ્વના દેશો કઈ રીતે ટ્રમ્પના ટેરિફ વિસ્ફોટને  જોઈ રહ્યા છે. 

Trump tariffs updates: ‘Reciprocal’ levies shake up global trade

વાત કરીએ સૌ પ્રથમ યુરોપની તો , યુરોપ પર ડોનાલ્ડ ટ્રમ્પએ ૨૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ મામલે યુરોપીઅન કમિશનના ચેરમેન ઉર્સુલા વોન દે લેયને કહ્યું છે કે, " ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સમગ્ર વિશ્વને નુકશાન કરશે . અમે હંમેશાથી અમેરિકા સાથે આ વિષય પર વાર્તાલાપ કરવા તૈયાર છીએ. તો આ તરફ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પના આ ટેરીફની કડક શબ્દોમાં નિંદા કરી છે. યુએસનું મુખ્ય સ્પર્ધક ચાઈના તેણે તો યુએસની સામે પડવા તૈયારી બતાવી છે  એટલેકે , ચાઈના હવે પોતાના ત્યાં થતી અમેરિકન નિકાસો પર કોઉંટર ટેરિફ લગાડવાની વાત કરી છે. વધુમાં ચાઈનાએ તો કહી દીધું છે કે , અમેરિકા આ ટેરિફ ઝડપથી કેન્સલ કરે. આ બધા જ ટેરિફ આંતરરાષ્ટ્રીય નીતિનિયમોનું ઉલ્લંઘન કરે છે . જોકે આપને જણાવી દયિકે ટ્રમ્પએ કેનેડા અને મેક્સિકો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યા નથી .

વાત કરીએ હિન્દ ઈન્ડો પેસિફિક રિજનના મહત્વના દેશ ઓસ્ટ્રેલિયાની તો ટ્રમ્પએ તેમની પર ૧૦ ટકા ટેરિફ લગાવવાની વાત કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ જણાવ્યું છે કે , આ રેસિપ્રોકલ ટેરીફમાં કોઈ પણ લોજીક નથી .  

જાપાન બીજા વિશ્વયુદ્ધ પછીનો સમગ્ર એશિયામાં અમેરિકાનો સૌથી વફાદાર દેશ. તેનું માનવું છે કે આ વનસાઇડેડ ટેરિફ ખુબ જ દુઃખદ છે. જાપાનના ચીફ કેબિનેટ સેક્રેટરી યોશીમાસા હાયાસીએ જણાવ્યું છે કે , આ રીતે આડેધડ ટેરિફ ના લગાવાય  . અમે ટ્રમ્પ એડ્મીનીસ્ટ્રેશનને પોતાનો ફેરવિચાર કરવા વિનંતી કરી છે. રેસિપ્રોકલ ટેરીફની જાપાન અને અમેરિકાના લાંબા ગાળાના સબંધો પર માઠી અસર પડી શકે છે.

વાત કરીએ દુનિયાના સૌથી સુંદર દેશ એવા સ્વીત્ઝર્લેન્ડની તો ડોનાલ્ડ ટ્રમ્પએ તેમની પર ૩૧ ટકા જેટલો જંગી ટેરિફ લગાડેલો છે. તો બીજી તરફ થાઈલેન્ડએ આ રેસિપ્રોકલ ટેરીફથી બચવા એક યોજના બનાવી છે.  વાત કરીએ સાઉથ કોરિયાની તો તેણે  યુએસ સાથે વાર્તાલાપ કરવા માટે તૈયારી બતાવી દીધી છે. 



આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?