વિશ્વના દેશોએ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની સામે કરી આ તૈયારીઓ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-03 22:25:22

બુધવારે મધરાતે ટેરિફ વિસ્ફોટ કરીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ સમગ્ર વિશ્વને અચંબિત કરી નાખ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ડિક્ષનરીમાં પોતાના મનગમતા શબ્દ "ટેરીફનો" ઉપયોગ આ રીતે કરશે તે કોઈને ખબર નહોતી . હવે વિશ્વભરના દેશોની આ "ટેરિફ વિસ્ફોટને" લઇને પ્રતિક્રિયા સામે આવી છે . તો આવો જાણીએ વિશ્વના દેશો કઈ રીતે ટ્રમ્પના ટેરિફ વિસ્ફોટને  જોઈ રહ્યા છે. 

Trump tariffs updates: ‘Reciprocal’ levies shake up global trade

વાત કરીએ સૌ પ્રથમ યુરોપની તો , યુરોપ પર ડોનાલ્ડ ટ્રમ્પએ ૨૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ મામલે યુરોપીઅન કમિશનના ચેરમેન ઉર્સુલા વોન દે લેયને કહ્યું છે કે, " ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ સમગ્ર વિશ્વને નુકશાન કરશે . અમે હંમેશાથી અમેરિકા સાથે આ વિષય પર વાર્તાલાપ કરવા તૈયાર છીએ. તો આ તરફ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પના આ ટેરીફની કડક શબ્દોમાં નિંદા કરી છે. યુએસનું મુખ્ય સ્પર્ધક ચાઈના તેણે તો યુએસની સામે પડવા તૈયારી બતાવી છે  એટલેકે , ચાઈના હવે પોતાના ત્યાં થતી અમેરિકન નિકાસો પર કોઉંટર ટેરિફ લગાડવાની વાત કરી છે. વધુમાં ચાઈનાએ તો કહી દીધું છે કે , અમેરિકા આ ટેરિફ ઝડપથી કેન્સલ કરે. આ બધા જ ટેરિફ આંતરરાષ્ટ્રીય નીતિનિયમોનું ઉલ્લંઘન કરે છે . જોકે આપને જણાવી દયિકે ટ્રમ્પએ કેનેડા અને મેક્સિકો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યા નથી .

વાત કરીએ હિન્દ ઈન્ડો પેસિફિક રિજનના મહત્વના દેશ ઓસ્ટ્રેલિયાની તો ટ્રમ્પએ તેમની પર ૧૦ ટકા ટેરિફ લગાવવાની વાત કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ જણાવ્યું છે કે , આ રેસિપ્રોકલ ટેરીફમાં કોઈ પણ લોજીક નથી .  

જાપાન બીજા વિશ્વયુદ્ધ પછીનો સમગ્ર એશિયામાં અમેરિકાનો સૌથી વફાદાર દેશ. તેનું માનવું છે કે આ વનસાઇડેડ ટેરિફ ખુબ જ દુઃખદ છે. જાપાનના ચીફ કેબિનેટ સેક્રેટરી યોશીમાસા હાયાસીએ જણાવ્યું છે કે , આ રીતે આડેધડ ટેરિફ ના લગાવાય  . અમે ટ્રમ્પ એડ્મીનીસ્ટ્રેશનને પોતાનો ફેરવિચાર કરવા વિનંતી કરી છે. રેસિપ્રોકલ ટેરીફની જાપાન અને અમેરિકાના લાંબા ગાળાના સબંધો પર માઠી અસર પડી શકે છે.

વાત કરીએ દુનિયાના સૌથી સુંદર દેશ એવા સ્વીત્ઝર્લેન્ડની તો ડોનાલ્ડ ટ્રમ્પએ તેમની પર ૩૧ ટકા જેટલો જંગી ટેરિફ લગાડેલો છે. તો બીજી તરફ થાઈલેન્ડએ આ રેસિપ્રોકલ ટેરીફથી બચવા એક યોજના બનાવી છે.  વાત કરીએ સાઉથ કોરિયાની તો તેણે  યુએસ સાથે વાર્તાલાપ કરવા માટે તૈયારી બતાવી દીધી છે. 



જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.