ભાજપના સાંસદ વરુણ ગાંધીએ સરકાર પર ઉઠાવ્યા સવાલ, 'શું જય શ્રી રામ, ભારત માતા કી જયના નારાથી કામ થઈ જશે?'


  • Published By :
  • Published Date : 2023-11-21 14:58:14

લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં આંતરિક અસંતોષ સામે આવી રહ્યો છે. ભાજપના નેતા અને નહેરૂ-ગાંધી પરિવારના ફરજંદ વરૂણ ગાંધીએ તેમની જ પાર્ટીની સરકાર સામે બાયો ચઢાવી છે. ઉત્તર પ્રદેશની પીલીભીતના લોકસભા સીટથી ભાજપના સાંસદ વરૂણ ગાંધી તેમના મતવિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે કેટલાક ગામોમાં જનસંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, અને તેમની જ પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વરૂણ ગાંધીએ રાજ્ય અને કેન્દ્ર સરકારને સીધો સવાલ કર્યો હતો કે શું જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાથી કામ થઈ જશે? તે ઉપરાંત તેમણે સરકારી યોજનાઓની સ્થિતી અને ભ્રષ્ટાચાર-બેરોજગારીને લઈને પણ સરકારને ઘેરી હતી.  


વરૂણ ગાંધીએ કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘેરી


વરૂણ ગાંધીએ લોકોની સમસ્યા સાંભળી અને ત્યાર બાદ જનમેદનીને સંબોધતા રાજ્યની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકારને નિશાન બનાવી જબદસ્ત પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના અંગે પૂછ્યું કે કે એક ગરીબ માણસ 1100 રૂપિયાનું સિલિન્ડર કઈ રીતે ખરીદી શકે?  તે જ પ્રકારે તેમણે બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું કે 90 ટકા નોકરીઓ કોન્ટ્રાક્ટ આધારીત છે. એટલે કે આજે રાખ્યો અને કાલે ફેંકી દીધો. સરકારી વિભાગોમાં એક કરોડ જગ્યાઓ ખાલી છે, આ સરકારના સત્તાવાર આંકડા છે, તેમ છતાં જગ્યાઓ કેમ ભરાતી નથી? સરકારનું કામ બિઝનેશ કરવાનું નહીં પણ લોકોને સ્વાવલંબી બનાવવાનું છે. તે જ પ્રકારે ફ્રિ રાશન અંગે તેમણે કહ્યું કે આટો,દાળ અને ચણા આપવા તે કોઈ કાયમી સમાધાન નથી. મોંઘવારીનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે વાસ્તવિક વેતન માંડ એક ટકા વધે છે જ્યારે મોંઘવારી 7 ટકાના દરે વધી રહી છે. બિજેપી સાંસદે કહ્યું કે સાત વર્ષમાં કેરોસીનનો ભાવ અઢીસો ટકા વધી ગયો છે. દુધનો ભાવ 50 ટકા, રીંગણના ભાવ 56 ટકા અને ડુંગળીના ભાવ 70 ટકા જેટલા વધી ગયા છે.  


શું વરૂણ ગાંધી અપક્ષ ઉમેદવાર હશે?


વરૂણ ગાંધીએ જે રીતે તેમની જ પાર્ટીની સરકાર પર આકરા પ્રહાર કર્યા તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં વરૂણ ગાંધી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝંપલાવી શકે છે. પીલીભીત લોકસભા સીટ પર વરૂણ ગાંધી અપક્ષ ઉમેદવાર બની તે ભાજપ અને કોંગ્રેસ માટે પડકાર બની શકે છે. રાજકીય વર્તુળોમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે લોકસભા-2024માં વરૂણ ગાંધીને ભાજપની ટિકિટ મળવાની શક્યતા બહું જ ઓછી છે આ જ કારણે વરૂણ ગાંધીએ તેમની જ પાર્ટી સામે આક્રમક વલણ અપનાવ્યું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.