Vasava Vs Vasavaનો જંગ જામ્યો Bharuch Loksabha Seat પર, Manuskh Vasavaએ કર્યા Chaitar Vasava પર પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-05 11:15:29

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે.. પ્રચાર પડઘમ આજે શાંત થઈ જશે.. પરંતુ ભાષણમાં નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો ચર્ચાનો વિષય બનતા હોય છે.. ગુજરાતની રાજનીતિમાં નેતાઓ ભાષણ અને નિવેદન આપતા આપતા દર વખતે અલગ અલગ શબ્દો વાપરી રહ્યા છે.. હમણાં રાજનીતિમાં બબૂચક શબ્દ આવ્યો, એની પહેલા પણ અનેક એવા શબ્દો આવ્યા જેની ચર્ચા થઈ હતી ત્યારે હવે રાજનીતિમાં નવો શબ્દ આવ્યો છે ગંગુ તૈલી શબ્દ.. 

ચૈતર વસાવા માટે મનસુખ વસાવાએ વાપર્યો આ શબ્દ!

ગુજરાતમાં ભરૂચ બેઠક ગુજરાતની સૌથી હોટ સીટ બની છે. અહીં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક જંગ હવે રોજ જોવા મળે છે. ઇલેક્શન જેમ જેમ નજીક આવે છે એમ એમ નેતાઓ વધારે આક્રામક અને વિવાદિત નિવેદન આપી રહ્યા છે. ત્યારે ફરી એક વાર વસાવા vs વસાવા અમને સામને આવી ગયા છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મચ્છર અને ગંગુતૈલી કહ્યા છે. આ પહેલાં પણ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહારો કર્યા હતા. 



ફરી એક વખત મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા પ્રહાર!

મનસુખ વસાવાએ ચાર દિવસ પહેલા કહ્યુ હતું કે, ચૈતરથી કૂતરું કે બિલાડું પણ નથી ડરતું. ચૈતરના દેશ ન સાચવી શકનારાવાળા નિવેદન પર મનસુખ વસાવાએ કહ્યું કે, પ્રધાનમંત્રી સામે મોટા મોટા નેતાઓ નિવેદન નથી કરતા. ક્યાં નરેન્દ્ર મોદી અને ક્યાં ચૈતર વસાવા? હવે ભરૂચ લોકસભા એમ પણ પહેલાથી બધાની ચર્ચાઓમાં રહતી બેઠક છે આમાં પણ જ્યારે નેતાઓ આવા નિવેદન આપે ત્યારે ખ્યાલ આવે કે ભાઈ ચુંટણી નજીક આવી ગઈ છે તો આ વખતે ભરૂચના લોકો કોને પસંદ કરે છે એ સમય બતાવશે...



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.