Vasava Vs Vasavaનો જંગ જામ્યો Bharuch Loksabha Seat પર, Manuskh Vasavaએ કર્યા Chaitar Vasava પર પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-05 11:15:29

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે.. પ્રચાર પડઘમ આજે શાંત થઈ જશે.. પરંતુ ભાષણમાં નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો ચર્ચાનો વિષય બનતા હોય છે.. ગુજરાતની રાજનીતિમાં નેતાઓ ભાષણ અને નિવેદન આપતા આપતા દર વખતે અલગ અલગ શબ્દો વાપરી રહ્યા છે.. હમણાં રાજનીતિમાં બબૂચક શબ્દ આવ્યો, એની પહેલા પણ અનેક એવા શબ્દો આવ્યા જેની ચર્ચા થઈ હતી ત્યારે હવે રાજનીતિમાં નવો શબ્દ આવ્યો છે ગંગુ તૈલી શબ્દ.. 

ચૈતર વસાવા માટે મનસુખ વસાવાએ વાપર્યો આ શબ્દ!

ગુજરાતમાં ભરૂચ બેઠક ગુજરાતની સૌથી હોટ સીટ બની છે. અહીં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક જંગ હવે રોજ જોવા મળે છે. ઇલેક્શન જેમ જેમ નજીક આવે છે એમ એમ નેતાઓ વધારે આક્રામક અને વિવાદિત નિવેદન આપી રહ્યા છે. ત્યારે ફરી એક વાર વસાવા vs વસાવા અમને સામને આવી ગયા છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મચ્છર અને ગંગુતૈલી કહ્યા છે. આ પહેલાં પણ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહારો કર્યા હતા. 



ફરી એક વખત મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા પ્રહાર!

મનસુખ વસાવાએ ચાર દિવસ પહેલા કહ્યુ હતું કે, ચૈતરથી કૂતરું કે બિલાડું પણ નથી ડરતું. ચૈતરના દેશ ન સાચવી શકનારાવાળા નિવેદન પર મનસુખ વસાવાએ કહ્યું કે, પ્રધાનમંત્રી સામે મોટા મોટા નેતાઓ નિવેદન નથી કરતા. ક્યાં નરેન્દ્ર મોદી અને ક્યાં ચૈતર વસાવા? હવે ભરૂચ લોકસભા એમ પણ પહેલાથી બધાની ચર્ચાઓમાં રહતી બેઠક છે આમાં પણ જ્યારે નેતાઓ આવા નિવેદન આપે ત્યારે ખ્યાલ આવે કે ભાઈ ચુંટણી નજીક આવી ગઈ છે તો આ વખતે ભરૂચના લોકો કોને પસંદ કરે છે એ સમય બતાવશે...



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.