Vasava Vs Vasavaનો જંગ જામ્યો Bharuch Loksabha Seat પર, Manuskh Vasavaએ કર્યા Chaitar Vasava પર પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-05 11:15:29

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે.. પ્રચાર પડઘમ આજે શાંત થઈ જશે.. પરંતુ ભાષણમાં નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો ચર્ચાનો વિષય બનતા હોય છે.. ગુજરાતની રાજનીતિમાં નેતાઓ ભાષણ અને નિવેદન આપતા આપતા દર વખતે અલગ અલગ શબ્દો વાપરી રહ્યા છે.. હમણાં રાજનીતિમાં બબૂચક શબ્દ આવ્યો, એની પહેલા પણ અનેક એવા શબ્દો આવ્યા જેની ચર્ચા થઈ હતી ત્યારે હવે રાજનીતિમાં નવો શબ્દ આવ્યો છે ગંગુ તૈલી શબ્દ.. 

ચૈતર વસાવા માટે મનસુખ વસાવાએ વાપર્યો આ શબ્દ!

ગુજરાતમાં ભરૂચ બેઠક ગુજરાતની સૌથી હોટ સીટ બની છે. અહીં મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક જંગ હવે રોજ જોવા મળે છે. ઇલેક્શન જેમ જેમ નજીક આવે છે એમ એમ નેતાઓ વધારે આક્રામક અને વિવાદિત નિવેદન આપી રહ્યા છે. ત્યારે ફરી એક વાર વસાવા vs વસાવા અમને સામને આવી ગયા છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવાને મચ્છર અને ગંગુતૈલી કહ્યા છે. આ પહેલાં પણ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહારો કર્યા હતા. 



ફરી એક વખત મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા પ્રહાર!

મનસુખ વસાવાએ ચાર દિવસ પહેલા કહ્યુ હતું કે, ચૈતરથી કૂતરું કે બિલાડું પણ નથી ડરતું. ચૈતરના દેશ ન સાચવી શકનારાવાળા નિવેદન પર મનસુખ વસાવાએ કહ્યું કે, પ્રધાનમંત્રી સામે મોટા મોટા નેતાઓ નિવેદન નથી કરતા. ક્યાં નરેન્દ્ર મોદી અને ક્યાં ચૈતર વસાવા? હવે ભરૂચ લોકસભા એમ પણ પહેલાથી બધાની ચર્ચાઓમાં રહતી બેઠક છે આમાં પણ જ્યારે નેતાઓ આવા નિવેદન આપે ત્યારે ખ્યાલ આવે કે ભાઈ ચુંટણી નજીક આવી ગઈ છે તો આ વખતે ભરૂચના લોકો કોને પસંદ કરે છે એ સમય બતાવશે...



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે