Vavના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પક્ષપલટો કરનાર કોંગ્રેસના નેતાઓ માટે આપ્યું નિવેદન, કહ્યું પક્ષપલટો કરી ભાજપમાં જોડાનાર.... સાંભળો નિવેદન


  • Published By :
  • Published Date : 2024-03-06 13:30:41

એક તરફ કોંગ્રેસ ખાલીખમ થઈ રહી છે તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે જ પીઢ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓનું ભાજપમાં સ્વાગત કરવામાં આવ્યું. હાલની પરિસ્થિતિ જોતા જો આપણે એવું કહીએ કે કોંગ્રેસના દિવસો ખરાબ ચાલી રહ્યા છે તો અતિશયોક્તિ નહીં કહેવાય. કોંગ્રેસ પક્ષને છોડી ભાજપમાં જોડાઈ રહેલા ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓને લઈ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે  હાલ ભાજપનું પલડું ભારે છે એટલે સ્વાર્થી લોકોએ તે બાજુ ઝૂકી રહ્યા છે. આ બાજુ પલળું ભારે થશે એટલે ફરી પાછા આ બાજુ આવશે.  

અનેક ધારાસભ્યો છોડી રહ્યા છે કોંગ્રેસનો હાથ!

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતી કાલે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. યાત્રાનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ યાત્રા એવા વિસ્તારોમાંથી નીકળે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ હોય. આદિવાસી વિસ્તારોને કવર કરવાની કોશિશ આ યાત્રામાં કરવામાં આવી રહી છે. એક તરફ રાહુલ ગાંધીના આગમનને લઈ તૈયારી કરવામાં આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ પોતાના સંગઠનને પકડી રાખવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ પક્ષને છોડી જઈ રહ્યા છે. પક્ષપલટાની મોસમ જામી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ ભાજપ કોંગ્રેસ યુક્ત બનતી જશે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. આગામી સમયમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો કોંગ્રેસને છોડી જઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.


ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન અને કહ્યું કે... 

આ બધા વચ્ચે જ્યારે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા ત્યારે તે બાદ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, જે લોકો કોંગ્રેસ છોડીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એ એમની  વિચારધારા છે. હું એમાં પડવા માંગતી નથી. વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહીને અનેક હોદાઓ ઉપર રહ્યા, કોંગ્રેસે તેમને તકો આપી અને એવા લોકો કોંગ્રેસના ખરાબ સમયમાં કોંગ્રેસ છોડે એટલે એ વિસ્તારના લોકો અને કાર્યકર્તાઓની લાગણી દુભાતી હોય છે. આજે જે લોકો પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે તે સ્વાર્થી નેતાઓ છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.