વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના નેતા સહિત અધિકારીઓને પાઠવી નોટિસ, કહ્યું માફી માંગો નહિંતર....


  • Published By :
  • Published Date : 2023-07-27 16:43:13

ઉત્તરગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચામાં રહેતું નામ એટલે ગેનીબેન ઠાકોર. પોતાના નિવેદનને લઈ વાવના ધારસભ્ય હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસ પહેલા ગેનીબેનના ભાઈ દારૂની બોટલ સાથે પકડાયા હતા. જે બાદ રાજકારણ ગરમાયું હતું કારણ કે દારૂબંધીનું કડક રીતે અમલ થાય તે માટે ગેનીબેન ઠાકોરે અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ થોડા દિવસો પહેલા જ તેમના ભાઈને દારૂની બોટલ સાથે  LCBએ પકડી પાડ્યા હતા. 


ગેનીબેનની રાજકીય કારકિર્દીને પહોંચ્યું છે નુકસાન 

આ બાદ ગેનીબેન ઠાકોર એક્શન મોડમાં આવી ગયા છે. પોલીસે ગેનીબેનનો ભાઈ દારૂ સાથે પકડાયા હોવાનું વારંવાર જાહેર કરી જેને કારણે તેમની રાજકીય કારકિર્દીને નુકશાન પહોંચડ્યું છે તેવા આરોપો તેમણે કર્યા છે. છબી ખરાબ થયા બદલ તેમણે બનાસકાંઠાના SP, દિયોદરના DySP, પોલીસ કોન્સ્ટેબલ અને ભાભર ભાજપ પ્રમુખને નોટિસ પાઠવી છે. મીડિયા સમક્ષ માફી માગી 30 હજાર વળતર પેટે આપવાનું પણ કહ્યું છે .


આટલા અધિકારીઓને ગેનીબેને ફટકારી નોટિસ

આ મુદ્દે  અમે ગેની બેન ઠાકોર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા તેમના ભાઈને બે દારૂની બોટલના ખોટા કેસમાં પકડવામાં આવ્યો હતો. ત્યારે FIRમાં પોલીસ દ્વારા ગેનીબેન ઠાકોરના ભાઈ ન હોવાનો ઉલ્લેખ હતો. તેમ છતાં પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગેનીબેન ઠાકોરના ભાઈ હોવાનો વારંવાર ઉલ્લેખ કરી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું એટલે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા, દિયોદરના DySP ડી. ટી. ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ ચૌધરી અને ભાભર ભાજપ પ્રમુખ અમરત માળીને નોટિસ પાઠવી છે. અને જો એ સાચ્ચા છે તો કોર્ટમાં સાબિત કરે નહીંતો માફી માંગે.


ગેનીબેન ઠાકોરના ભાઈ કહી તેમની છબીને બગાડવાનું કામ કર્યું ! 

નોટિસમાં ગેનીબેને જુદા-જુદા 13 જેટલા મુદ્દાઓને આવરી લઈ 10 પાનાની નોટિસ બધાને  મોકલી છે. નોટિસમાં જણાવ્યા મુજબ "ફરિયાદમાં MLA ગેનીબેનના ભાઈ તરીકેનો ઉલ્લેખ ન હોવા છતાં આ તમામે મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં વાવ MLA ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે. જેથી પ્રાથમિક તબક્કે દરેકની વિરુદ્ધ માનહાનિના વળતર સ્વરૂપે પાંચ કરોડનો દાવો કરવા કટિબદ્ધ છીએ.'ત્યારે બનાસકાંઠા પોલીસ vs ગેનીબેન ઠાકોરની આ લડાઈ કયા પહોંચે છે તે જોવાનું રહ્યું!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.