વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના નેતા સહિત અધિકારીઓને પાઠવી નોટિસ, કહ્યું માફી માંગો નહિંતર....


  • Published By :
  • Published Date : 2023-07-27 16:43:13

ઉત્તરગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચામાં રહેતું નામ એટલે ગેનીબેન ઠાકોર. પોતાના નિવેદનને લઈ વાવના ધારસભ્ય હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસ પહેલા ગેનીબેનના ભાઈ દારૂની બોટલ સાથે પકડાયા હતા. જે બાદ રાજકારણ ગરમાયું હતું કારણ કે દારૂબંધીનું કડક રીતે અમલ થાય તે માટે ગેનીબેન ઠાકોરે અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ થોડા દિવસો પહેલા જ તેમના ભાઈને દારૂની બોટલ સાથે  LCBએ પકડી પાડ્યા હતા. 


ગેનીબેનની રાજકીય કારકિર્દીને પહોંચ્યું છે નુકસાન 

આ બાદ ગેનીબેન ઠાકોર એક્શન મોડમાં આવી ગયા છે. પોલીસે ગેનીબેનનો ભાઈ દારૂ સાથે પકડાયા હોવાનું વારંવાર જાહેર કરી જેને કારણે તેમની રાજકીય કારકિર્દીને નુકશાન પહોંચડ્યું છે તેવા આરોપો તેમણે કર્યા છે. છબી ખરાબ થયા બદલ તેમણે બનાસકાંઠાના SP, દિયોદરના DySP, પોલીસ કોન્સ્ટેબલ અને ભાભર ભાજપ પ્રમુખને નોટિસ પાઠવી છે. મીડિયા સમક્ષ માફી માગી 30 હજાર વળતર પેટે આપવાનું પણ કહ્યું છે .


આટલા અધિકારીઓને ગેનીબેને ફટકારી નોટિસ

આ મુદ્દે  અમે ગેની બેન ઠાકોર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા તેમના ભાઈને બે દારૂની બોટલના ખોટા કેસમાં પકડવામાં આવ્યો હતો. ત્યારે FIRમાં પોલીસ દ્વારા ગેનીબેન ઠાકોરના ભાઈ ન હોવાનો ઉલ્લેખ હતો. તેમ છતાં પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગેનીબેન ઠાકોરના ભાઈ હોવાનો વારંવાર ઉલ્લેખ કરી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું એટલે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા, દિયોદરના DySP ડી. ટી. ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ ચૌધરી અને ભાભર ભાજપ પ્રમુખ અમરત માળીને નોટિસ પાઠવી છે. અને જો એ સાચ્ચા છે તો કોર્ટમાં સાબિત કરે નહીંતો માફી માંગે.


ગેનીબેન ઠાકોરના ભાઈ કહી તેમની છબીને બગાડવાનું કામ કર્યું ! 

નોટિસમાં ગેનીબેને જુદા-જુદા 13 જેટલા મુદ્દાઓને આવરી લઈ 10 પાનાની નોટિસ બધાને  મોકલી છે. નોટિસમાં જણાવ્યા મુજબ "ફરિયાદમાં MLA ગેનીબેનના ભાઈ તરીકેનો ઉલ્લેખ ન હોવા છતાં આ તમામે મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં વાવ MLA ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે. જેથી પ્રાથમિક તબક્કે દરેકની વિરુદ્ધ માનહાનિના વળતર સ્વરૂપે પાંચ કરોડનો દાવો કરવા કટિબદ્ધ છીએ.'ત્યારે બનાસકાંઠા પોલીસ vs ગેનીબેન ઠાકોરની આ લડાઈ કયા પહોંચે છે તે જોવાનું રહ્યું!



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.