વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપના નેતા સહિત અધિકારીઓને પાઠવી નોટિસ, કહ્યું માફી માંગો નહિંતર....


  • Published By :
  • Published Date : 2023-07-27 16:43:13

ઉત્તરગુજરાતના રાજકારણમાં સૌથી ચર્ચામાં રહેતું નામ એટલે ગેનીબેન ઠાકોર. પોતાના નિવેદનને લઈ વાવના ધારસભ્ય હમેશાં ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસ પહેલા ગેનીબેનના ભાઈ દારૂની બોટલ સાથે પકડાયા હતા. જે બાદ રાજકારણ ગરમાયું હતું કારણ કે દારૂબંધીનું કડક રીતે અમલ થાય તે માટે ગેનીબેન ઠાકોરે અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ થોડા દિવસો પહેલા જ તેમના ભાઈને દારૂની બોટલ સાથે  LCBએ પકડી પાડ્યા હતા. 


ગેનીબેનની રાજકીય કારકિર્દીને પહોંચ્યું છે નુકસાન 

આ બાદ ગેનીબેન ઠાકોર એક્શન મોડમાં આવી ગયા છે. પોલીસે ગેનીબેનનો ભાઈ દારૂ સાથે પકડાયા હોવાનું વારંવાર જાહેર કરી જેને કારણે તેમની રાજકીય કારકિર્દીને નુકશાન પહોંચડ્યું છે તેવા આરોપો તેમણે કર્યા છે. છબી ખરાબ થયા બદલ તેમણે બનાસકાંઠાના SP, દિયોદરના DySP, પોલીસ કોન્સ્ટેબલ અને ભાભર ભાજપ પ્રમુખને નોટિસ પાઠવી છે. મીડિયા સમક્ષ માફી માગી 30 હજાર વળતર પેટે આપવાનું પણ કહ્યું છે .


આટલા અધિકારીઓને ગેનીબેને ફટકારી નોટિસ

આ મુદ્દે  અમે ગેની બેન ઠાકોર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા તેમના ભાઈને બે દારૂની બોટલના ખોટા કેસમાં પકડવામાં આવ્યો હતો. ત્યારે FIRમાં પોલીસ દ્વારા ગેનીબેન ઠાકોરના ભાઈ ન હોવાનો ઉલ્લેખ હતો. તેમ છતાં પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગેનીબેન ઠાકોરના ભાઈ હોવાનો વારંવાર ઉલ્લેખ કરી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું એટલે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા, દિયોદરના DySP ડી. ટી. ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ ચૌધરી અને ભાભર ભાજપ પ્રમુખ અમરત માળીને નોટિસ પાઠવી છે. અને જો એ સાચ્ચા છે તો કોર્ટમાં સાબિત કરે નહીંતો માફી માંગે.


ગેનીબેન ઠાકોરના ભાઈ કહી તેમની છબીને બગાડવાનું કામ કર્યું ! 

નોટિસમાં ગેનીબેને જુદા-જુદા 13 જેટલા મુદ્દાઓને આવરી લઈ 10 પાનાની નોટિસ બધાને  મોકલી છે. નોટિસમાં જણાવ્યા મુજબ "ફરિયાદમાં MLA ગેનીબેનના ભાઈ તરીકેનો ઉલ્લેખ ન હોવા છતાં આ તમામે મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં વાવ MLA ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે. જેથી પ્રાથમિક તબક્કે દરેકની વિરુદ્ધ માનહાનિના વળતર સ્વરૂપે પાંચ કરોડનો દાવો કરવા કટિબદ્ધ છીએ.'ત્યારે બનાસકાંઠા પોલીસ vs ગેનીબેન ઠાકોરની આ લડાઈ કયા પહોંચે છે તે જોવાનું રહ્યું!



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.