Vav seat by election - કોંગ્રેસના ઉમેદવાર બીજેપી કાર્યાલય જઈને ગુલાબ આપે! Geniben Thakor અને સી.જે.ચાવડા....


  • Published By :
  • Published Date : 2024-11-11 13:23:44

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક વાવ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે... આ બેઠકના ધારાસભ્ય ગેનીબેન હતા પરંતુ ગેનીબેન હવે સાંસદ બની જતા આ જગ્યા ખાલી પડી હતી જેને લઈ વાવમાં પેટા ચૂંટણી યોજાવાની છે... પેટા ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે.. પ્રચારની કમાન દિગ્ગજ નેતાઓ ઉતર્યા છે.. પ્રચારનો આજે અંતિમ દિવસ છે.. ત્યારે આજે વાવથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે ભાગ્યે જ કદાચ જોવા મળશે..

દિગ્ગજ નેતાઓએ સંભાળ્યો છે પ્રચારનો મોરચો!

સ્વરૂપજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ઉમેદવાર જાહેર કર્યા છે.. અપક્ષ તરીકે માવજી ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે.... આ વખતે ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.. ત્રણેય ઉમેદવારો ખૂબ પ્રચાર કરી રહ્યા છે.... અનેક એવા નિવેદનો સામે આવ્યા છે જેમાં તિખા પ્રહાર કરવામાં આવી રહ્યા છે.... મંત્રીઓ, ધારાસભ્યોએ પ્રચારનો મોરચો સંભાળ્યો છે... 


ગેનીબેન ઠાકોર મળ્યા સી.જે.ચાવડાને....

ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ છે... ત્યારે એવા દ્રશ્યો સામે આવ્યા છે જે કદાચ ભાગ્યે જ જોવા મળે છે... કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહનો પ્રચાર કરવા માટે ગેનીબેન ઠાકોર રસ્તા ઉતર્યા હતા અને લોકોને ગુલાબ આપ્યું હતું... ભાજપના કાર્યાલય ગેનીબેન પહોંચ્યા હતા અને ત્યાં હાજર સી.જે.ચાવડાને ગુલાબ આપી ભેટ્યા હતા.. મહત્વનું છે કે સી.જે.ચાવડા પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા છે...   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.