Vav seat by election - કોંગ્રેસના ઉમેદવાર બીજેપી કાર્યાલય જઈને ગુલાબ આપે! Geniben Thakor અને સી.જે.ચાવડા....


  • Published By :
  • Published Date : 2024-11-11 13:23:44

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક વાવ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે... આ બેઠકના ધારાસભ્ય ગેનીબેન હતા પરંતુ ગેનીબેન હવે સાંસદ બની જતા આ જગ્યા ખાલી પડી હતી જેને લઈ વાવમાં પેટા ચૂંટણી યોજાવાની છે... પેટા ચૂંટણીને લઈ તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે.. પ્રચારની કમાન દિગ્ગજ નેતાઓ ઉતર્યા છે.. પ્રચારનો આજે અંતિમ દિવસ છે.. ત્યારે આજે વાવથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે ભાગ્યે જ કદાચ જોવા મળશે..

દિગ્ગજ નેતાઓએ સંભાળ્યો છે પ્રચારનો મોરચો!

સ્વરૂપજી ઠાકોરને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને ઉમેદવાર જાહેર કર્યા છે.. અપક્ષ તરીકે માવજી ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે.... આ વખતે ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.. ત્રણેય ઉમેદવારો ખૂબ પ્રચાર કરી રહ્યા છે.... અનેક એવા નિવેદનો સામે આવ્યા છે જેમાં તિખા પ્રહાર કરવામાં આવી રહ્યા છે.... મંત્રીઓ, ધારાસભ્યોએ પ્રચારનો મોરચો સંભાળ્યો છે... 


ગેનીબેન ઠાકોર મળ્યા સી.જે.ચાવડાને....

ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ છે... ત્યારે એવા દ્રશ્યો સામે આવ્યા છે જે કદાચ ભાગ્યે જ જોવા મળે છે... કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહનો પ્રચાર કરવા માટે ગેનીબેન ઠાકોર રસ્તા ઉતર્યા હતા અને લોકોને ગુલાબ આપ્યું હતું... ભાજપના કાર્યાલય ગેનીબેન પહોંચ્યા હતા અને ત્યાં હાજર સી.જે.ચાવડાને ગુલાબ આપી ભેટ્યા હતા.. મહત્વનું છે કે સી.જે.ચાવડા પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા છે...   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.